Skip to main content

Posts

Showing posts with the label National Divya Bhaskar

ભાજપ-કોંગ્રેસની 'હેટ સ્પીચ' વચ્ચે ફેસબુકની નિષ્પક્ષતા અંગે સ્પષ્ટતા,આજે ફાઇનલ યર અને સેમેસ્ટરની પરીક્ષા અંગે ચુકાદો

શુભ પ્રભાત. આજે મંગળવાર 18 ઓગસ્ટ છે. જો તમે ગઈકાલે અગત્યના સમાચાર ચુકી ગયા હોય અથવા આજે કયાં સમાચાર અગત્યના હશે તે જાણવા ઈચ્છતા હોય તો આપના માટે અમારી આ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ પ્રસ્તુત છે... સૌથી પહેલા જાણીએ કે આજે કઈ ઘટના આકાર લેવાની છે.... સુપ્રીમ કોર્ટમાં નક્કી થશે કે ડિગ્રી માટે અંતિમ વર્ષ (Final Year) અને સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે કે નહીં. કોર્ટ UGCની ગાઈડલાઈન સામે વિદ્યાથીઓની અરજી પર સુનાવણી કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ પોતાના અધિકાર ક્ષેત્ર અંગે સ્પષ્ટતા ઈચ્છે છે. આ માટે તેણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે. આ અરજી પર પણ આજે સુનાવણી થશે. રાષ્ટ્રીય રમત-ગમત પુરસ્કાર માટે સ્પોર્ટ મંત્રાલયની ખાસ સમિતિની આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે જ અર્જુન તથા ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત થઈ શકે છે. BCCI આજે IPLના નવા ટાઈટલ સ્પોન્સરની જાહેરાત કરશે. આ રેસ (RACE)માં ટાટા સન્સ સૌથી આગળ છે. માલદીવ અને ભારત વચ્ચે આજથી ટ્રાવેલ બબલ (Travel Bubble) એટલે કે હવાઈ યાત્રાની શરૂઆત થશે. ટ્રાવેલ બબલ બન્ને દેશ વચ્ચે હવાઈ સેવા માટે તૈયાર કરવામાં આવેલો એર કોરિડોર હોય છે.

રાની તેરો, ચિર જીયો ગોપાલ... આ જ્યાં સુધી ગાય નહીં ત્યાં સુધી પંડિત જસરાજનો સંગીત સમારંભ પૂરો થતો નહોતો

નાની વયે જ લક્ષ્ય નક્કી હોય, નિશ્ચિત હોય અને તેને પકડીને જે ટોચ પર પહોંચે તથા વર્ષો સુધી ટોચ પર ટકી રહેવાની ક્ષમતા પણ હોય તો તેનું નામ જસરાજ છે. પંડિત જસરાજ ખરેખર તો પ્રારંભમાં તબલાવાંદક હતા. પોતાના મોટાભાઈ મહાન ગાયક પંડિત મણિરામ સાથે સંગત કરતા હતા. લાહોરની એક સંગીત સભામાં એકવાર ગાયકોને મંચ પર સ્થાન અપાયું અને સંગત આપનારા માટે નીચે બેસવાની વ્યવસ્થા કરાઈ. તે દિવસથી પંડિત જસરાજે તબલાંવાદન છોડી દીધું. એ સંગીત સભામાં પણ સંગત કરી નહીં. તેવું પણ કહેવાય છે કે પંડિત કુમાર ગાંધર્વના કહેવાથી તેમને તબલાં છોડી ગાયકી શરૂ કરી હતી. મંચ પર ગાવા તો માંડ્યા હતા. આ દરમિયાન ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં બીમાર પડ્યા તો તેમની ખબર જોવા ગયા હતા. તેમના શાગિર્દ બનવું ઘણું મુશ્કેલ હતું. એ જ બડે ગુલામ અલી ખાં સાહેબે પંડિત જસરાજને પોતે કહ્યું કે તમે આટલું સારું ગાવ છો તો મારા શાગિર્દ બની જાવ. પંડિત જસરાજે ઇન્કાર કર્યો. કહ્યું કે પંડિત મણિરામ મારા ગુરુ છે, હું તો તેમની પાસે જ શીખીશ. પિતા મોતીરામ મેવાતના રાજગાયક હતા, સસરા વિખ્યાત ફિલ્મકાર વ્હિ. શાંતારામ હતા પણ પોતાની ગાયિકી દ્વારા પંડિત જસરાજ સૌથી મોટા બની ગયા. ગાતા ગય

કેજરીવાલે કહ્યું- ટેસ્ટ ભૂલી જાઓ, પહેલાં 6 હજાર દર્દી આવતા હતા, હવે હજારથી પણ ઓછા, યુપી સહિત જ્યાં તક મળશે ત્યાં ચૂંટણી લડીશું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજકાલ ચર્ચામાં છે. આ વખતે તેઓ એલજીના નિવાસસ્થાને ધરણાં કે કેન્દ્ર સરકાર સાથેની ટક્કરના કારણે નહીં, કોરોના સામે લડવાના દિલ્હી મોડલને લઈને ચર્ચામાં છે. મોદીએ પોતાના સંબોધનમાં દિલ્હી મોડલનાં વખાણ કર્યાં હતાં. કોરોના ટેસ્ટિંગની બદલાયેલી પદ્ધતિ સામે સવાલ ઊઠી રહ્યા છે. બિહારની ચૂંટણી માથે છે અને આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં પણ ચૂંટણી છે. કોરોનાની લડાઇના દિલ્હી મોડલના પ્રચારથી આશાન્વિત આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરે પક્ષના વિસ્તરણની શક્યતા જુએ છે. જોકે, બિહારની ચૂંટણી માટે તેઓ સમયનો અભાવ હોવાનું કહે છે પણ યુપીના ચૂંટણીજંગમાં ઝુકાવવાની પૂરી તૈયારી છે. આ અંગે કેજરીવાલ સાથેની વાતચીતના મુખ્ય અંશ.. સવાલ: દિલ્હીમાં કોરોનાના દર્દી ઘટી રહ્યા છે. શું અહીં પિક આવી ચૂક્યું છે કે હજુયે ઉપર-નીચે થશે? કેજરીવાલ: કોરોના અંગે કશું પણ કહી ના શકાય. અમે કોઈ કામમાં કચાશ રાખવા નથી માંગતા. જ્યાં સુધી સંપૂર્ણ કામ ના થઈ જાય ત્યાં સુધી તૈયારી પણ ઓછી કરવાનો નિર્ણય ના લઈ શકાય. કોરોનાના મામલામાં દેશ કરતાં દિલ્હીમાં સ્થિતિ સારી છે. આશા છે કે, ભવિષ્યમાં પણ આવી સ્થ

​​​​​​​સુપ્રીમકોર્ટ નક્કી કરશે કે જજો સામે જાહેરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં?

વકીલ પ્રશાંત ભૂષણ સામેના કોર્ટના અનાદરનાં 11 વર્ષ જૂના કેસમાં સુપ્રીમકોર્ટે સોમવારે 2 મોટા સવાલ નક્કી કર્યા. આ અંગે સુનાવણી કરી રહેલી કોર્ટ નક્કી કરશે કે જજો સામે સાર્વજનિક ધોરણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં? જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચ એ પણ નક્કી કરશે કે આ મુદ્દો સુનાવણી માટે લાર્જર બેન્ચને મોકલવો કે નહીં? વધુ સુનાવણી 24 ઓગસ્ટે થશે. પ્રશાંત ભૂષણ વતી સિનિયર એડવોકેટ રાજીવ ધવને સુપ્રીમકોર્ટ સમક્ષ કહ્યું કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવો એ કોર્ટનો અનાદર નથી. કોર્ટે આરોપોના સંદર્ભમાં પરિસ્થિતિઓ પર વિચાર કરવો જોઇએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ રિટાયર્ડ જસ્ટિસ જે. એસ. વર્માનો એક ચુકાદો ટાંકતાં કહ્યું, ‘સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કહે છે કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ સીધો પહેલી વારમાં જાહેર ન કરી શકાય. તે પહેલાં કોર્ટના વહીવટી વિભાગમાં આંતરિક તપાસ માટે મૂકવા જરૂરી છે.’ આ તબક્કે સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે કહ્યું કે કોર્ટે નિયમિતપણે સુનાવણી શરૂ થયા બાદ જ આ મામલો સાંભળવો જોઇએ. જવાબમાં જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેઓ મામલો ખતમ કરવા ઇચ્છતા હતા પણ આમાં બે મહત્ત્વના સવાલ ઊભા થયા

ભારતે ખાનગી ક્ષેત્રમાં તૈયાર કરી એન્ટિ ટેન્ક મિસાઈલ, 12 મહિનામાં પરીક્ષણ થશે, રેન્જ અઢી કિલોમીટર

સંરક્ષણ ઉત્પાદન મામલે ભારતના ખાનગી ક્ષેત્રમાંથી મોટા સમાચાર મળ્યા છે. ખાનગી ક્ષેત્રએ પ્રથમ મિસાઈલ તૈયાર કરી લીધી છે. ત્રીજી પેઢીની આ એન્ટિ ટેન્ક મિસાઈલ પરીક્ષણ માટે તૈયાર છે. 12 મહિનાની અંદર તેનું પરીક્ષણ કરવાની આશા છે. ખાનગી ક્ષેત્રમાં મિસાઈલ તૈયાર કરાયાના સમાચાર પણ એવા સમયે આવ્યા છે જ્યારે સંરક્ષણ મંત્રાલયે દેશમાં હથિયાર અને સંરક્ષણ ઉપકરણોના મોટા પાયે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અઠવાડિયા પૂર્વે જ 101 સંરક્ષણ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ સંકલ્પને સાકાર કરવા સોમવારે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ, સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને ખાનગી ક્ષેત્રના દિગ્ગજો વચ્ચે ચર્ચા-વિચારણા થઈ હતી. તેના ઉદ્ઘાટન સત્રમાં જ ખાનગી ક્ષેત્રની મિસાઇલ તૈયાર થયાનો ખુલાસો કરાયો હતો. સેનાના વાઈસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ ઉદ્યમીઓ વચ્ચે જ જાહેરાત કરી હતી કે સેના સ્વદેશી હથિયારો સાથે જ યુદ્ધ લડીને જીતશે. પણ આપણે ધ્યાન રાખવું પડશે કે ભવિષ્યનાં યુદ્ધ કંઇક અલગ જ પ્રકારનાં હશે. આપણે હથિયાર છોડી નવી ટેક્નોલોજી પર ફોકસ કરવું પડશે. રાજકીય માધ્યમોથી સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવાની પણ તૈયારી ભાર

સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- ઇશ્વર ગાતા હોત તો તેમનો અવાજ પણ આવો જ હોત...

પદ્મવિભૂષણથી સન્માનિત સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- પંડિત જસરાજની વિદાય શાસ્ત્રીય સંગીતની દુનિયા માટે બહુ મોટી ખોટ તો છે જ, મારું અંગત નુકસાન પણ છે. તેઓ મારા મોટા ભાઇ હતા. 1960-61ના દાયકામાં અમે બન્ને ઘણા પ્રોગ્રામ-ફેસ્ટિવલમાં સાથે પ્રસ્તુતિ આપતા હતા. ક્યારેક અમે તેમનાથી પહેલાં, ક્યારેક તેઓ અમારાથી પહેલાં. પદ્મશ્રી સન્માન પણ 1975માં અમને બન્નેને સાથે જ મળ્યું. સંગીત સુંદર બગીચા જેવું હોય છે, જેમાં જુદા-જુદા રંગના, જુદી-જુદી સુગંધના ફૂલો હોય છે. બગીચામાંથી જે ફૂલ જતું રહે છે તે પાછું નથી આવતું, હવે બીજા જસરાજ પેદા નહીં થઇ શકે. પંડિત જસરાજ સ્વભાવે પણ બહુ સારા અને મિલનસાર હતા. તેમનો એક પરિવાર મુંબઇમાં છે અને એક અમેરિકામાં. તેઓ અડધો સમય અમેરિકામાં વીતાવતા અને અડધો સમય મુંબઇમાં રહેતા. તેમના શિષ્યોની લાંબી શૃંખલા છે. તેઓ માત્ર શીખવતા નહોતા, વ્યક્તિગત ધોરણે મદદ પણ કરતા. તેમના શિષ્યો તેમની ગાયિકીની પરંપરાને ચોક્કસપણે આગળ વધારશે. અમદાવાદ-ગુજરાત સાથે તેમનો બહુ જૂનો નાતો હતો. હૈદરાબાદમાં તેમના પૂર્વજોની સમાધિ વગેરે છે. આ શહેરો સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો. તેઓ પોતાને મેવાતી ઘરાનાના કહે

દેશમાં નવા દર્દી કરતા વધુ સાજા, મહારાષ્ટ્રમાં 6 લાખ કોરોનાગ્રસ્ત, દેશમાં સોમવારે 52,886 નવા દર્દી મળ્યા, 59,097 સાજા થયા

દેશમાં કોરોનાના દર્દી 27 લાખની નજીક પહોંચી ગયા છે. સોમવારે 52,886 હજાર નવા દર્દી મળ્યા હતા. રાહતના સમાચાર એ છે કે આ દરમિયાન આશરે 6 હજાર વધુ એટલે કે 59,097 દર્દી સાજા થયા હતા. 24 કલાકમાં વધુ 889 મૃત્યુ સાથે કુલ મૃતકાંક 51,840 થઈ ગયો છે. તેની સાથે મૃત્યુદર 1.92% એ પહોંચી ગયો હતો. મહારાષ્ટ્રમાં 8,493 નવા દર્દી મળ્યા હતા જે ચાલુ મહિનામાં કોઈ પણ એક દિવસમાં સૌથી ઓછા છે. તેની સાથે જ ત્યાં ચેપગ્રસ્તોની સંખ્યા 6 લાખને વટાવી ગઈ હતી. દેશમાં 19,68,638 દર્દી સાજા થઈ ચૂક્યા છે એટલે કે કોરોનાને હરાવનારાની સરેરાશ 73.04% થઈ ગઈ છે. મંગળવારે દેશમાં સાજા થનારાની સંખ્યા 20 લાખને પાર થઈ શકે છે. દિલ્હીમાં હોટલ, જિમ, સાપ્તાહિક હાટ શરૂ કરવા અંગે આજે નિર્ણય દિલ્હીમાં હોટલ, જિમ, સાપ્તાહિક હાટ ફરી શરૂ કરવા અંગે દિલ્હી ઈમરજન્સી મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે સીએમ કેજરીવાલ ચાલુ મહિનાની શરૂઆતમાં તેના વિશે પ્રસ્તાવ રજૂ કરી ચૂક્યા હતા જેને ઉપરાજ્યપાલ અનિલે સંમતિ આપી ન હતી. બિહારમાં લૉકડાઉન 6 સપ્ટેમ્બર સુધી વધ્યું બિહાર સરકારે કોરોનાના ચેપને રોકવા માટે લૉકડાઉન 6 સપ્ટેમ્બર સુધી વધા

સંકટમોચકની ભૂમિકાના બદલામાં અજય માકનને રાજસ્થાનની કમાન મળી, રાજ્યસભા ચૂંટણીમાં પણ વાડાબંધી કરી હતી

રાજસ્થાન કોંગ્રેસમાં સંકટ મોચકની ભૂમિકા અદા કરવાના બદલામાં હાઈકમાન્ડે પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકનને રાજસ્થાન મહાસચિવ પ્રભારી બનાવ્યા છે.સચિન પાયલટની બળવાખોરી પછી રાજસ્થાન કોંગ્રેસમાં 35 દિવસો સુધી ચાલેલી રાજકીય ખેંચતાણમાં માકન ગેહલોત કેમ્પમાં હાઈકમાન્ડના પ્રતિનિધિ તરીકે ફ્રન્ટ સીટ પર રહ્યા હતા. આ પહેલા તેઓ રાજ્યસભા ચૂંટણી દરમિયાન થયેલી વાડાબંધીમાં પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે મોડી સાંજે અજય માકનને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી જનરલ સેક્રેટરી બનાવવાની જાહેરાત કરી હતી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના જણાવ્યા પ્રમાણે, માકન અવિનાશ પાંડેનું સ્થાન લેશે. કોંગ્રેસે 3 મેમ્બર્સની કમિટિની રચના કરી છે. કમિટિમાં સીનિયર પાર્ટી લીડર અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માકન સામેલ છે. કમિટિ રાજસ્થાનમાં હાલના મુદ્દાઓને જોશે અને તેનું નિરાકરણ શોધશે. માકનને નવી જવાબદારી આપવાના 3 કારણ 1. અજય માકને રાજ્યમાં રાજકીય સંકટ દરમિયાન સતત ધારાસભ્યો પાસેથી ફીડબેક લીધો. તેને હાઈકમાન્ડ સુધી પણ પહોંચાડ્યો. અશોક ગેહલોત સાથે માકનનો જૂનો સંબંધ રહ્યો છે. માકન દિલ્હીમાં સાંસદ હતા. ત્યારે ગેહલોત

68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથેનું આ પ્રકારનું પહેલું સત્ર

કોરોના વાઇરસના બે હાથના અંતરે ભારતીય સંસદનો ચહેરો પણ બદલી નાખ્યો છે. સંસદનું આ વખતનું ચોમાસુ સત્ર મહામારીની મજબૂરીઓનું ઉદાહરણ સાબિત થશે, કેમ કે 1952 બાદ 68 વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર બન્ને ગૃહ જુદા-જુદા સમયે ચાલશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ શકે તે માટે રાજ્યસભાના સાંસદો લોકસભામાં અને દીર્ઘાઓમાં પણ બેસશે. લોકસભા માટે પણ આ જ વ્યવસ્થા અપનાવાશે. તે માટે સંસદમાં હાલ જોરશોરથી કામ ચાલી રહ્યું છે. રાજ્યસભા સવારે, લોકસભા સાંજે ચાલી શકે છે નવી બેઠક ક્ષમતા પ્રમાણે રાજ્યસભાના 60 સાંસદ ગૃહમાં અને 51 દીર્ઘાઓમાં બેસશે. બાકીના 132 સાંસદને લોકસભાની ચેમ્બરમાં બેસાડાશે. આ કારણથી જ બન્ને ગૃહ એક સાથે નહીં પણ જુદા-જુદા સમયે ચાલશે. રાજ્યસભા સવારે જ્યારે લોકસભા સાંજે ચાલી શકે છે. બંને ગૃહ મોટી સ્ક્રીન પર દેખાશે, જેથી કાર્યવાહીમાં ગૃહ સાથે દેખાય. રાજ્યસભાની મુખ્ય ચેમ્બરમાં વડાપ્રધાન, ગૃહના નેતા અને વિપક્ષના નેતા બેસશે. તમામ પક્ષોના ગૃહના નેતા પણ ચેમ્બરમાં જ બેસશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચ. ડી. દેવગૌડા, રામવિલાસ પાસવાન, રામદાસ અઠાવલે માટે સીટો રખાઇ છે. કાર્યવાહી દરમિયાન વિપક્ષ કોલાહલ કે હોબા

ભારત-નેપાળ વચ્ચે મિત્રતા માટે વાતચીત યોજાશે, 6 મહિનાથી બંધ વૈષ્ણોદેવી મંદિરના દર્શન શરૂ; કોરોનાને વધતો અટકાવવા દવા મળી

શુભ પ્રભાત. આજે સોમવાર છે. સપ્તાહની શરૂઆત પોઝિટિવ સમાચાર સાથે કરીએ. આજે ભારત અને નેપાળ વચ્ચે શાંતિની પહેલ થશે, જેથી બન્ને દેશ વચ્ચે તણાવ ઓછો કરી શકાય. વિદેશ મંત્રાલયના અધિકારી કાઠમંડુમાં વાટાઘાટ કરશે. આ વાટાઘાટમાં નેપાળના વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી અને ભારત તરફથી નેપાળમાં રાજદૂત વિનય મોહન ક્વાત્રા હશે.હવે અન્ય અગત્યના સમાચારો તરફ આગળ વધશુ..... કોરોના સામે વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં વૈજ્ઞાનિકોને સફળતા મળતી દેખાઈ રહી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવી દવા શોધી લીધી છે કે જે સંક્રમણ બાદ શરીરમાં કોરોના વાઈરસની સંખ્યા વધતા (રેપ્લિકેટ) અટકાવશે. જોકે આ દવા અગાઉથી જ ઉપલબ્ધ છે. પણ હવે આ દવાનો ઈલાજ કોરોના માટે પણ થશે. દવાનું નામ એબ્સેલેન છે. તેનો ઉપયોગ બાયપોલર ડિસઓર્ડર તથા સાંભળવાની ક્ષમતા ઘટવા (હિયરિંગ ડિસઓર્ડર)ના ઈલાજ માટે કરવામાં આવે છે. સુશાંતના મૃત્યુના દિવસનો એક વીડિયો મળ્યો છે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ બે કેન્દ્રીય તપાસ એજન્સી CBI અને ED કરી રહી છે. દરમિયાન એક ન્યૂઝ ચેનલે અભિનેતાના મૃત્યુના દિવસનો અત્યાર સુધીમાં નહીં જોવા મળેલો એક વીડિયો મળ્યો

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથી નિમીતે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથી નિમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાને એક ટ્વિટ કરીને કહ્યું કે, દેશની પ્રગતિની દિશામાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. Tributes to beloved Atal Ji on his Punya Tithi. India will always remember his outstanding service and efforts towards our nation’s progress. pic.twitter.com/ZF0H3vEPVd — Narendra Modi (@narendramodi) August 16, 2020 પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથી છે. 2018માં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લાંબી બિમારી પછી 93 વર્ષની ઉંમરમાં વાજપેયીનું નિધન થયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સમાધિ સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા અને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સમાધિ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Leaders including PM Modi pay tributes to former PM Atal Bihari Vajpayee News And Updates

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

ક્રિકેટ પ્રેમીઓના આશ્ચર્ય વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, એટલે કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટ જોવા નહીં મળે. ધોનીએ શનિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે આપ સૌએ જે પ્રેમ અને સહકાર આપ્યો તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. આજે સાંજે 7:29 વાગ્યાથી મને નિવૃત્ત જ સમજશો. આ વીડિયોમાં તેના ક્રિકેટ જીવનકાળની કેટલીક વિશેષ ઝાંખી જોવા મળતી હતી. ધોની ટીમ ઇન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. ધોનીના નૈતૃત્વમાં ભારતને T-20, વન-ડે વર્લ્ડ કપ તથા ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મળી હતી. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તો સન્યાસ લેવાની જાહેરાત કરી છે પણ IPLમાં તે રમતો જોવા મળશે. ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જે જાહેરાત કરી તેની ગણતરીની મિનિટોમાં જ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને સંબોધન દેશમાં કોરોના મહામારીને લીધે અનેક મુશ્કેલી સર્જાયેલી છે પણ દેશની સ્વતંત્રતાના 74 વર્ષની ઉજવણી ઉત્સ

20 હજારથી વધુનું હોટલ બિલ, 1 લાખથી વધુની સ્કૂલ ફી આવકવેરા વિભાગની નજરમાં

કરચોરી રોકવા માટે સરકારે ટેક્સપેયર્સ ચાર્ટર સહિત નવા ઘણા ઉપાય કર્યા છે. હવે બિઝનેસ ક્લાસમાં હવાઇ મુસાફરી, વિદેશયાત્રા, 20 હજાર રૂ.થી વધુ હોટલ બિલ, 20 હજાર રૂ.થી વધુ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તથા 1 લાખ રૂ.થી વધુ વાર્ષિક સ્કૂલ ફી ભર્યાની માહિતી આપોઆપ જ આવકવેરા વિભાગ સુધી પહોંચી જશે. સરકારે ગુરુવારે જાહેર કરેલા આવકવેરા સુધારામાં આવા 11 ઉપાય કર્યા છે. નવી જોગવાઇઓ હેઠળ ફોર્મ - 26એએસમાં નવી 11 પ્રકારની માહિતી સામેલ થશે. જે કોઇ સંસ્થાનને ચુકવણી થશે તે ચુકવણી કરનારનો પાન નંબર નોંધીને તે માહિતી આવકવેરા વિભાગને મોકલશે. અત્યાર સુધી 30 લાખથી વધુની સંપત્તિની ખરીદી, શેરોમાં 10 લાખનું રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ, ક્રેડિટ કાર્ડ અને એફડીમાં 10 લાખથી વધુની લેવડદેવડની જ માહિતી અપાતી હતી. લેવડ-દેવડ અને આવકના દાવામાં તફાવત હશે તો નોટિસ લેવડ-દેવડના રેકોર્ડ અને ઇનકમ ટેક્સ રિટર્નમાં તફાવત જણાશે તો કરદાતાને નોટિસ જારી કરીને કારણ પૂછાશે. દા.ત. કોઇએ આવક 5 લાખ જાહેર કરી અને તેની લેવડ-દેવડ વધુ હોય તો નોટિસ આવી જશે. 11 પ્રકારની ચૂકવણીના આધારે આવકનું આકલન 1 લાખ રૂ.થી વધુ વાર્ષિક ફી કે ડોનેશન. 1 લાખ રૂ.થી

આજના માહોલમાં ડિક્ટેટર નહીં, પોઝિટિવ પેરેન્ટિંગ જરૂરી

આ એવો અવસર છે કે જ્યારે આપણે આપણાં બાળકો સાથે એક બોન્ડ બનાવી શકીએ છીએ. ડિક્ટેટર બનવાની પ્રવૃત્તિ આપણાં બાળકો માટે જરાય ફાયદાકારક સાબિત નહીં થાય. શાબ્દિક કે શારીરિક સજા ટાળવી જોઇએ. મારા બાળપણની એક બહુ સુખદ યાદ એ પળની છે કે જ્યારે આખો પરિવાર સાથે બેસીને ટીવી પર કોઇ ફિલ્મ જોતો હતો. એવામાં જ્યારે હિંસાનો કોઇ સીન આવે ત્યારે મા તેમના હાથથી મારી આંખો બંધ કરી દેતી હતી. સ્વાભાવિક છે કે તેના કારણે મારી જોવાની ઉત્સુકતા વધી જતી પણ ભારે મથામણ પછી પણ હું તેમનો હાથ મારી આંખો પરથી હટાવી શકતો નહોતો. માતા-પિતાનું બાળકોને તકલીફોથી બચાવવાનું કેટલું પ્રાકૃતિક છે. લાગે છે કે આ વ્યવહાર માતા-પિતાના મગજમાં કોડ કરી દેવાયો છે. વિજ્ઞાને આજે સાબિત કરી દીધું છે કે બાળકે જેવું બાળપણ વિતાવ્યું હોય તેની અસર તેના વિકાસ અને વ્યક્તિત્વ પર પડે જ છે. ખાસ કરીને જીવનનાં પ્રથમ 6 વર્ષ બહુ મહત્ત્વનાં છે કે જ્યારે મગજનો વિકાસ બહુ ઝડપથી થાય છે. આ એ જ સમય છે કે જે નક્કી કરી દે છે કે બાળક આગળ જતાં કેટલું સ્વસ્થ અને સુખી રહેશે? નવા પુરાવા તો એવા પણ છે કે જે દર્શાવે છે કે બાળપણમાં નકારાત્મક લાગણીઓનો અનુભવ બાળકોના ભાવનાત્મક વિકાસ પ

દેશમાં કોરોના પીડિત 25 લાખને પાર, ભાજપ સાંસદે કાદવથી ઈમ્યૂનિટી વધારી કોરોનાથી બચવાની સલાહ આપી

દેશમાં શુક્રવારે કોરોના વાઈરસના 62,425 નવા દર્દી મળ્યાં. તેની સાથે જ કુલ ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 25,18,498એ પહોંચી ગઈ હતી. જ્યારે એક દિવસમાં 56,291 સ્વસ્થ થયા હતા. રાહતના સમાચાર એ છે કે કોરોનાને હરાવી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 17,98,354 થઈ ચૂકી છે. 976 નવા મૃત્યુથી કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 50 હજારથી ફક્ત 46 જ ઓછી 49,054 થઈ ગઈ છે પણ ચિંતાની વાત એ છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. 1996 બેચના આંધ્રપ્રદેશ કેડરના IAS અધિકારી અગ્રવાલે લખ્યું કે મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ગાઇડલાઇન્સ અનુસાર હું હોમક્વૉરન્ટાઈનમાં છું. બીજી બાજુ દિલ્હીમાં 1192 નવા દર્દી સામે આવતાની સાથે અહીં કોરોના ચેપગ્રસ્તોનો આંકડો દોઢ લાખને વટાવી 1,50,652 થઈ ગયો છે. અહીં 4178 લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યાં છે. ભાજપ સાંસદે કાદવથી ઈમ્યૂનિટી વધારી કોરોનાથી બચવાની સલાહ આપી રાજસ્થાન ટૉંક-સવાઈમાધોપુરથી ભાજપના સાંસદ સુખબીર સિંહ જોનપુરીયાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પાણી ભરેલા ખેતરન

માસ્ક, ડિસ્ટન્સિંગ સાથે પહેલીવાર આઝાદીના પર્વની ઉજવણી કરાશે

રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગુરુવારે જવાનોએ લાલ કિલ્લા પર ફુલ ડ્રેસ રિહર્સલ કર્યુ હતું. જોકે રિહર્સલ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો પણ સુરક્ષાદળોનો જુસ્સો જરાય ડગમગ્યો નહીં અને ભારે વરસાદ વચ્ચે પણ જવાનોએ રિહર્સલ પૂર્ણ કર્યુ. કોરોના સંકટને લીધે આ વખતે 15 ઓગસ્ટના આયોજનની ખાસ તૈયારીઓ કરાઈ છે. આ વખતે મહેમાનીનો સંખ્યામાં કાપ મુકાયો છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે લોકોને દૂર-દૂર બેસાડવાની યોજના છે. સૂત્રો મુજબ આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ઓપન પાસ જારી કરાયા નથી. ઉપરાંત લોકોના બેસવા અને કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થામાં પણ ફેરફાર કરાયા છે. આ વખતે પ્રાચીરની બંને બાજુ ફક્ત 150 મહેમાનો હશે, પહેલાં 300થી 500 બેસતા હતા. અનેક વીઆઈપી ફોરગ્રાઉન્ડમાં ખુરશીઓ પર બેસશે. ત્રણેય સેનાના જવાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપશે. તેમાં આશરે 22 જવાન અને અધિકારીઓ સામેલ રહેશે. રાષ્ટ્રીય સેલ્યૂટમાં તેમની સંખ્યા 32 રહેશે. કોરોનાને લીધે જવાનો ચાર હરોળમાં ઊભા રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશે. Download Dainik Bhaskar App to read Lates

ગામડાં સુધી સસ્તાં કમ્પ્યૂટર પહોંચે તો જ ઓનલાઈન શિક્ષણનો ફાયદો થશે: કેન્દ્રીયમંત્રી નિશંક

નવી શિક્ષણનીતિ કેબિનેટમાંથી પસાર થઈ ચૂકી છે પણ અત્યાર સુધી સામાન્ય નાગરિકો અનેક મુદ્દાઓ અંગે મૂંઝવણમાં છે. 10+2ના સ્થાને 5+3+3+4ની વ્યવસ્થા, ડિજિટલ શિક્ષણ હોય કે ફેકલ્ટીની બાધ્યતા ખતમ કરવી… આ તમામ મુદ્દાઓ અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ ભાસ્કર સાથે વાતચીત કરી હતી. શિક્ષણનીતિમાં ડિજિટલ એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકનારા નિશંક પણ સ્વીકારે છે કે આ ત્યારે જ સફળ થઈ શકશે જ્યારે ગામડાંઓ સુધી ડિજિટલ ભારત અભિયાન પહોંચી જાય અને ગ્રામીણ વિસ્તારોનાં બાળકોને સસ્તાં કમ્પ્યૂટર ઉપલબ્ધ થાય. વાંચો અમિતકુમાર નિરંજન સાથેની વાતચીતના મુખ્ય અંશો…. સવાલ: શિક્ષણ પર જીડીપીનો 6 ટકા ખર્ચ કરવાનું લક્ષ્ય છે, આ કઈ રીતે થશે? જવાબ: 10 વર્ષમાં શિક્ષણ પર ખર્ચને વધારી 20% સુધી કરવાની આશા છે. જુદાં જુદાં ક્ષેત્રોની ફન્ડિંગ અને જટિલતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ માટે ફંડ સ્ટ્રીમ જરૂરી છે. તેમાં ઉચ્ચ શિક્ષણ ફાઈનાન્શિયલ એજન્સીના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યોનાં સંસ્થાનો માટે સરકાર ગેરન્ટીવાળી લોન વ્યવસ્થા વિકસિત કરશે. સવાલ: ઓનલાઇન શિક્ષણ પર ભાર મુકાય છે પણ ગામડાંઓમાં વિદ્યાર્થીઓ મુખ્ય ધારાથી દૂર થાય છે, કઈ

આજે સૌની નજર રાજસ્થાન પર, વિધાનસભામાં ગેહલોતની કોન્ફિડન્સ ટેસ્ટ; અટલજીથી આગળ નિકળ્યા PM મોદી, કાલે વધુ એક રેકોર્ડ બનાવશે

આજે 14 ઓગસ્ટ છે. બરોબર 73 વર્ષ પહેલા આજના દિવસેજ અંગ્રેજોએ ભારતના વિભાજનની રેખા ખેંચી હતી અને વિશ્વના નકશા પર પાકિસ્તાન નામના નવા એક દેશનું સર્જન થયું હતું. બીજી તરફ આજે સૌની નજર રાજસ્થાન પર ટકેલી રહેશે. CM અશોક ગેહલોત વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જોકે સરકાર પર અત્યારે કોઇ સંકટ દેખાતું નથી. બળવા પછી સચિન પાયલટ ગુરૂવારે અશોક ગેહલોતને મળ્યા હતા. બન્ને નેતાઓએ હાથ મિલાવ્યો અને હસ્યા પરંતુ ભેટ્યા નહીં. ધારાસભ્ય પક્ષની બેઠકમાં ગેહલોતે કહ્યું કે અમે આ 19 ધારાસભ્યો વિના પણ બહુમત સાબિત કરી દેત પણ તેમાં ખુશી ન થાત. પોતાના તો પોતાના જ હોય છે. ભાજપે પણ ધારાસભ્ય પક્ષની બેઠક આયોજિત કરી હતી. આ વખતે પૂર્વ CM વસુંધરા રાજે પણ તેમાં સામેલ થયા હતાં. ભાજપે કહ્યું કે તેઓ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. 1. કોરોના અટકવાનું નામ લેતો નથી. દેશમાં સંક્રમિતોનો આંકડો 24 લાખ પાર કરી ગયો છે. મરનારાઓની સંખ્યા 47 હજારથી વધુ થઇ ગઇ છે. જોકે રાહતની વાત એ છે કે રિકવરી રેટ 70 ટકા થઇ ગયો છે. ગુરૂવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ (82)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પરીક્ષા વિના મળેલી ડિગ્રીને ક્યાંય પણ માન્યતા ન આપી શકાય, રાજ્યોને પરીક્ષા પર રોક લગાવવાનો અધિકાર નથી: UGC

દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની પરીક્ષા રદ કરવાની માગ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (યુજીસી) ગુરુવારે સુપ્રીમકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે તે છેલ્લા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બર સુધીમાં લેવાય તેની તરફેણમાં છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય છે. પરીક્ષા વિના મળેલી ડિગ્રીને ક્યાંય પણ માન્યતા ન આપી શકાય. પરીક્ષા સમયસર નહીં લેવાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તેની અસર થશે. યુજીસીએ પરીક્ષા રદ કરવાના મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો છે. એજ્યુકેશન ઓફિસર ડૉ. નિખિલકુમારે 10 પેજની એફિડેવિટમાં કહ્યું કે યુજીસી એક સ્વતંત્ર સંસ્થા છે. દેશભરની યુનિવર્સિટીઓમાં પરીક્ષાના આયોજનની જવાબદારી યુજીસીની છે, રાજ્ય સરકારોની નહીં. રાજ્ય સરકારોને પરીક્ષા પર રોક લગાવવાનો કોઇ હક નથી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today સુપ્રીમકોર્ટની ફાઇલ તસવીર. from Divya Bhaskar https://ift.tt/3fUwmr4

આતંકથી ઝૂલસી ઘાટીમાં કાશ્મીરી પંડિતો, શિખોના દર્દોને રંગોથી બતાવતો જમીર, સંદેશ એ કે, ‘ધર્મ વેર ન રાખવાનું શીખવાડતો નથી’

જમ્મુ-કાશ્મીરના બારમૂલામાં રહેતા જમીર અહમદ શેખ(39)એ માત્ર 5 વર્ષની ઉંરે પિતા અબ્દુલ હમીદ શેખ પાસેથી પેઇન્ટિંગ શીખવાની શરૂઆત કરી હતી. જ્યારે તેમને કાશ્મીરની હાલત સમજાઈ, ત્યારથી તેઓ કાશ્મીરી પંડિતો, મુસલમાનો અને શિખોની પીડાને વ્યક્ત કરતી તસવીરો બનાવી રહ્યાં છે. જમીર કહે છે કે, ‘અમારી આગળની પેઢીને એ ખબર પડવી જોઇએ કે કાશ્મીરીઓ કેવી હાલતમાંથી પસાર થયા હતા.’ તેમની એક તસવીર 1990ના હાલતનો અંદાજો આપે છે. જ્યારે કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક તો એવા હતા, જેના સંબંધીઓ આતંકી હુમલાઓને કારણે પહેથી જ કાશ્મીર છોડીને જતા રહ્યાં હતા. એવામાં મેં મૃત્યુ પામેલા કાશ્મીરી પંડિતો અને ત્યાંના મુસલમાનોને કાંધ આપી હતી. ફોટો-1 આ તસવીરમાં કાશ્મીરી પંડિતોના મૃતદેહોને કાંધ આપી રહેલા મુસલમાનો દેખાઈ રહ્યાં છે. આ તસવીર ધર્મ વેર ન રાખવા માટેનો સંદેશ આપે છે. ફોટો-2 કાશ્મીરના કેટલાક ઘરોમાં પ્રવાસીઓ-સહેલાણીઓને કારણે ચૂલો સળગે છે. કર્ફ્યૂ દરમિયાન શિકારાવાળા પર રોજી કમાવવાનું સંકટ આવી ગયું હતું તે દેખાડતી તસવીર Download Dainik Bhaskar App to read Latest Hindi News Today જમીર જ્યારે 11