Skip to main content

દેશમાં કોરોના પીડિત 25 લાખને પાર, ભાજપ સાંસદે કાદવથી ઈમ્યૂનિટી વધારી કોરોનાથી બચવાની સલાહ આપી

દેશમાં શુક્રવારે કોરોના વાઈરસના 62,425 નવા દર્દી મળ્યાં. તેની સાથે જ કુલ ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 25,18,498એ પહોંચી ગઈ હતી. જ્યારે એક દિવસમાં 56,291 સ્વસ્થ થયા હતા. રાહતના સમાચાર એ છે કે કોરોનાને હરાવી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 17,98,354 થઈ ચૂકી છે. 976 નવા મૃત્યુથી કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 50 હજારથી ફક્ત 46 જ ઓછી 49,054 થઈ ગઈ છે પણ ચિંતાની વાત એ છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.

1996 બેચના આંધ્રપ્રદેશ કેડરના IAS અધિકારી અગ્રવાલે લખ્યું કે મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ગાઇડલાઇન્સ અનુસાર હું હોમક્વૉરન્ટાઈનમાં છું. બીજી બાજુ દિલ્હીમાં 1192 નવા દર્દી સામે આવતાની સાથે અહીં કોરોના ચેપગ્રસ્તોનો આંકડો દોઢ લાખને વટાવી 1,50,652 થઈ ગયો છે. અહીં 4178 લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યાં છે.

ભાજપ સાંસદે કાદવથી ઈમ્યૂનિટી વધારી કોરોનાથી બચવાની સલાહ આપી
રાજસ્થાન ટૉંક-સવાઈમાધોપુરથી ભાજપના સાંસદ સુખબીર સિંહ જોનપુરીયાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પાણી ભરેલા ખેતરના કાદવમાં બેઠાં છે. તેમાં તે કોરોનાથી બચાવ માટે કાદવને ઈમ્યૂન સિસ્ટમ વધારનારું ગણાવતાં દેખાય છે. જોનપુરીયાના જમણા હાથમાં શંખ છે અને તે દાવો કરે છે કે તે બે મિનિટ સુધી શંખ વગાડી શકે છે. તેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને કોરોનાનો ચેપ નહીં લાગે. જ્યારે અગાઉ કેન્દ્રીયમંત્રી અર્જુન મેઘવાલે કહ્યું હતું કે પાપડ ખાવાથી કોરોના નહીં થાય.

ભારતમાં મૃત્યુ વધવાની ઝડપ દુનિયાથી બમણી
1 જુલાઈ પછી રોજ સરેરાશ 1.4%ના દરે મૃત્યુ વધ્યાં, જોકે દુનિયામાં 0.7%ના દરે વધ્યાં. ભારતમાં અત્યાર સુધી દુનિયાના ફક્ત 6.6% મૃત્યુ થયાં છે. પણ, હવે રોજ દુનિયાનાં 20% મૃત્યુ ભારતમાં જ થવા લાગ્યાં છે. દેશમાં કોરોનાથી 50 હજાર લોકોના મૃત્યુ થયા છે.

દેશમાં દર્દી પણ દુનિયાથી દોઢ ગણી ઝડપે વધી રહ્યા છે
1 જુલાઈ બાદ ભારતમાં રોજ સરેરાશ 1.7%ના દરે દર્દી વધી રહ્યા છે, જ્યારે દુનિયામાં 1.2%ના દરે વધ્યા. ભારતમાં દુનિયાના કુલ 12% દર્દી થઈ ચૂક્યા છે.
પણ, હવે દરરોજ દુનિયાના 27% દર્દી ભારતમાં મળવા લાગ્યા છે.

હવે શું: દર્દીઓ અને મૃત્યુની ઝડપ આવી જ જળવાઈ રહેશે તો 30 ઓગસ્ટ સુધી 36 લાખ દર્દી અને 70 હજાર મૃત્યુ થઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજસ્થાન ટૉંક-સવાઈમાધોપુરથી ભાજપના સાંસદ સુખબીર સિંહ જોનપુરીયા.


from Divya Bhaskar https://ift.tt/2Y46Au9

Comments

Popular posts from this blog

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

How You can Genarate more Search Traffic Using Voice Search|

Have you Optimize Your Website To Voice Search!  Yes that Is the Biggest Idea of you! You know What? In the Future Everyone Used Voice To find there Looking for! So today I will Teach You How You can Genarate more Search Traffic Using Voice Search! 1.So First Things I have for You that make sure Your website Comapartable  with https:- If Your Website Found On https That's much more Comapartable to Genarate more search traffic From Voice Search!  Now Your Question Is? Why You used that Https on your Website! What happening in http! Then My opinion is much more saw that The 65% voice Searches website is happening on https site!  So if You want to Genarate more search traffic from voice Searches Then  make sure That Your website Comapartable with https!  2.Build Authoritive Domain:-   We found that That Any Site have Lot of link, amazing Content,  Lot Of Social Share and Very Good User Experience!  Overall  Theirs authority...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...