Skip to main content

Posts

Showing posts with the label Entertainment/Divya Bhaskar

સંજય દત્ત ફેફસાંના કેન્સરના જીવલેણ સ્ટેજ સામે ઝઝૂમી રહ્યો છે, 39 વર્ષ પહેલા માતા નરગિસ તથા 24 વર્ષ પહેલાં પત્ની ઋચાનો જીવ પણ કેન્સરે જ લીધો હતો

61 વર્ષીય સંજય દત્તને લંગ કેન્સર છે અને તે પણ થર્ડ સ્ટેજનું. આ સ્ટેજને જીવલેણ માનવામાં આવે છે. જોકે, દત્ત પરિવાર માટે કેન્સર નવી બાબત નથી. 39 વર્ષ પહેલાં સંજય દત્તની માતા નરગિસનું પણ કેન્સરને કારણે જ મોત થયું હતું. 1981માં નરગિસનું મોત પૅન્ક્રિઍટિક કેન્સરને કારણે થયું હતું. તે સમયે સંજય દત્તની ઉંમર માત્ર 22 વર્ષની હતી. નરગિસની અંતિમ યાત્રાની તસવીર, સુનીલ દત્તે કાંધ આપી હતી તો સંજય દોણી લઈને ચાલતો જોવા મળ્યો હતો નરગિસે 10 મહિના કેન્સર સામેનો જંગ લડ્યો હતો 2 ઓગસ્ટ, 1980ના રોજ નરગિસ રાજ્યસભાના સેશન દરમિયાન બીમાર થઈ ગયા હતા. શરૂઆતમાં તેમને કમળો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મુંબઈ આવીને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એડમિટ થયા હતા પરંતુ 15 દિવસ સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં અને વજન પણ ઝડપથી ઘટતું જતું હતું. તપાસ બાદ સામે આવ્યું કે તેમને પૅન્ક્રિઍટિક (સ્વાદપિંડું)નું કેન્સર છે. નરગિસની સારવાર ન્યૂ યોર્કમાં કરવામાં આવી હતી. જોકે, ભારત પરત ફર્યા બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. 2 મે, 1981ના રોજ તેઓ કોમામાં જતાં રહ્યાં હતાં. બીજા જ દિવસે તેમનું મોત થયું હતું. દ

રિયાએ પરિવાર સાથે ફાર્મહાઉસ પર પૂજા કરી હતી, સુશાંતે દર મહિનાના આશરે 3 લાખ રૂપિયાના હિસાબે ઓગસ્ટ સુધીનું ભાડું એડવાન્સમાં આપ્યું હતું

સુશાંત સિંહ રાજપૂતના લોનાવલાના ફાર્મહાઉસના મેનેજર રાહુલના મત પ્રમાણે, રિયા ચક્રવતી અને તેના પરિવારે ગત વર્ષે પાવના લેક પાસે આવેલા ફાર્મહાઉસમાં પૂજા કરી હતી. રાહુલે એક ન્યૂઝ ચેનલની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, લોનાવલામાં આવેલું આ ફાર્મહાઉસ સુશાંતે ભાડેથી લીધું હતું. તેના માટે સુશાંત દર મહિને આશરે 2.50થી 3 લાખ રૂપિયા ચૂકવતો હતો. સુશાંત ઓગસ્ટ મહિના સુધીનું ભાડું એડવાન્સમાં આપી ચૂક્યો હતો. મુંબઈથી 95 કિલોમીટર દૂર આવેલું છે હેન્ગઆઉટ વિલા ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, હેન્ગઆઉટ વિલા નામનું આ ફાર્મહાઉસ મુંબઈથી આશરે 95 કિલોમીટર દૂર આવેલું છે. ફાર્મહાઉસ સુધીનો રસ્તો એટલો સારો નથી, પરંતુ સુશાંત જ્યારે પણ અપસેટ અથવા કોઈ મુશ્કેલીમાં હોય તો ફાર્મઆઉસ આવી જતો હતો. રાહુલે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે 2 વર્ષથી સુશાંત સાથે કામ કરે છે અને તેને ક્યારે પણ સુશાંતને ડિપ્રેશન કે મુશ્કેલીમાં નથી જોયો. સુશાંત જ્યારે પણ ફાર્મહાઉસ આવતો તે હંમેશા હસતો રહેતો અને એન્જોય કરતો હતો. રાહુલના જણાવ્યા પ્રમાણે સુશાંત મહિનામાં 3થી 4 વખત હેન્ગઆઉટ વિલા આવતો હતો. ક્યારેક તે અઠવાડિયાંમા

પોલીસે વધુ એક સાઇકાયટ્રિસ્ટનું નિવેદન લીધું, ડોક્ટરે કહ્યું- એક્ટર ટ્રીટમેન્ટથી સંતુષ્ટ નહોતો અને સારવાર અધવચ્ચે છોડી દીધી હતી

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક મહિના કરતાં પણ વધુ સમય પસાર થઈ ગયો છે પરંતુ પોલીસ તપાસમાં હજી સુધી એ વાત સામે આવી નથી કે આખરે એક્ટરે આત્મહત્યા શા માટે કરી હતી. પોલીસે હાલમાં જ સુશાંતના અન્ય એક સાઇકાયટ્રિસ્ટ ડૉક્ટરનું નિવેદન લીધું હતું. ડૉક્ટરના મતે, સુશાંતે વર્ષ 2018માં નવેમ્બર મહિનાથી કાઉન્સિલિંગની શરૂઆત કરી હતી. ડૉક્ટરે પોલીસને શું કહ્યું? સાઇકાયટ્રિસ્ટ પરવીન દરાઈચે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, સુશાંત તેમની પાસે વર્ષ 2018માં નવેમ્બર મહિનામાં આવ્યો હતો અને કાઉન્સિલિંગ લેતો હતો. જોકે, આ દરમિયાન તે ડૉક્ટરની સારવારથી સંતુષ્ટ થયો નહીં અને તેણે ડૉ. પરવીન સાથે સારવારને લઈ દલીલો કરી હતી અને ટ્રીટમેન્ટ અધવચ્ચે છોડી દીધી હતી. પોલીસે ડૉ. પરવીનને સુશાંતના કાઉન્સલિંગ સેશન, મુશ્કેલીઓ, દવાના ડોઝ તથા દલીલોને લઈ વિગતે પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પોલીસે સાઇકાયટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા તથા ડો. પિંગલેની પણ પૂછપરછ કરી હતી. આ બંને ડૉક્ટર્સ પાસે સુશાંતે કાઉન્સિલિંગ કરાવ્યું હતું. સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા ક

સંજય લીલા ભણસાલીએ પોલીસને કહ્યું, યશરાજ બેનરને કારણે એક્ટર ‘રામલીલા’-‘બાજીરાવ મસ્તાની’માં કામ ના કરી શક્યો

છ જુલાઈના રોજ સંજય લીલા ભણસાલીની બાંદ્રા પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સંજય લીલા ભણસાલીને કુલ 30થી 35 સવાલ પૂછવામાં આવ્યા હતાં. સૂત્રોના મતે, સંજયે ‘રામલીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મની ઓફર સુશાંતને કરી હતી પરંતુ એક્ટર આ ફિલ્મ સાઈન કરી શક્યો નહોતો. પોલીસ જાણવા માગતી હતી કે આ બંને ફિલ્મમાંથી ડ્રોપ કર્યાં બાદ સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે નહીં. આ સવાલ પર સંજય લીલા ભણસાલીએ જવાબ આપ્યો હતો, ‘મેં સુશાંતને કોઈ પણ ફિલ્મમાંથી બહાર કર્યો નહોતો અને તેને રિપ્લેસ પણ કર્યો નહોતો. સુશાંત સિંહ રાજપૂત સાથે મારી મુલાકાત વર્ષ 2012માં ‘સરસ્વતીચંદ્ર’ નામની એક સિરિયલના કાસ્ટિંગ દરમિયાન થઈ હતી. જોકે, તે સમયે સુશાંતને સિરિયલ માટે કાસ્ટ કરવામાં આવ્યો નહોતો. જોકે, હું તેની એક્ટિંગથી ઘણો જ પ્રભાવિત થયો હતો.’ ‘વર્ષ 2013માં ‘રામલીલા’ તથા વર્ષ 2015માં ‘બાજીરાવર મસ્તાની’ માટે મેં બેવાર સુશાંતનો અપ્રોચ કર્યો હતો. જોકે, તે દરમિયાન સુશાંત યશરાજ બેનર હેઠળ બનતી ફિલ્મ ‘પાની’ના વર્કશોપ તથા શિડ્યૂઅલમાં વ્યસ્ત હતો. એક ડિરેક્ટર

કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન, કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 71 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે સરોજ ખાનનું મૃત્યુ બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 1:52 વાગ્યે થયું. સરોજ ખાન 17 જૂનથી હોસ્પિટલમાં એડમિટ હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતા સરોજ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન ડાયાબિટીઝ અને તેની સંબંધિત બીમારીથી પીડિત હતા. સરોજ ખાને તેમના ચાર દશક જેટલા કરિયરમાં 2000થી વધુ સોન્ગ કોરિયોગ્રાફ કર્યા હતા. ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ શરૂ કરનાર સરોજ ખાનને 1974માં ગીતા મેરા નામથી એક સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો. ત્રણ વખત નેશનલ અવોર્ડ જીતનાર સરોજ ખાને છેલ્લે 2019માં રિલીઝ થયેલ ફિલ્મ કલંકમાં માધુરી દીક્ષિતને તબાહ હો ગયે સોન્ગ માટે ડાન્સ શીખવ્યો હતો. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today Choreographer Saroj Khan dies at 71 due to cardiac arrest from Divya Bhaskar https://ift.tt/38yWsOl

સુશાંત કેસમાં સંજના સાંઘીની પૂછપરછ, શેખર કપૂરને સમન્સ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા કેસમાં બાંદરા પોલીસે મંગળવારે અભિનેત્રી સંજના સાંઘીનું નિવેદન નોંધ્યું હતું. સાથે જ ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરને પણ સમન્સ મોકલાયું છે. ગયા અઠવાડિયે પોલીસે તેને બોલાવી હતી. મંગળવારે સવારે તે પોલીસ સ્ટેશને પહોંચી હતી, જે પછી તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ફિલ્મના શૂટ સમયે સેટ્સ પર સુશાંતનું વર્તન કેવું હતું અને તે માનસિક આઘાતમાં હતો કે કેમ તે વિશે સંજનાને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today શેખર કપૂર. from Divya Bhaskar https://ift.tt/2YRvFJT

13 જુલાઈથી ‘કુંડલી ભાગ્ય’, ‘કુમકુમ ભાગ્ય’ સહિત અન્ય શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ થશે, સેટ પર સ્ટાર્સ માસ્ક સાથે જોવા મળ્યાં

લૉકડાઉનના ત્રણ મહિના બાદ હવે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી ફરીથી શરૂ થઈ છે. મોટાભાગના ટીવી પ્રોડ્યૂસર્સે સિરિયલ્સના શૂટિંગ શરૂ કરી દીધા છે. ઝી ટીવી પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’, ‘કુંડલી ભાગ્ય’, ‘તુઝસે હૈં રાબ્તા’, ‘ગુડ્ડન તુમસે ના હો પાયેંગા’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ચેનલ સાથે જોડાયેલા સૂત્રોના મતે, આ તમામ શોના નવા એપિસોડ 13 જુલાઈથી ટીવી પર પ્રસારિત થશે. મનીષ પોલ હોસ્ટેડ સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’ના નવા એપિસોડ 18 જુલાઈથી શરૂ થશે. પ્રોમો શૂટ કરતાં કલાકારો લૉકડાઉનને કારણે મારા વિચારોમાં પરિવર્તન આવ્યુંઃ રીમા શેખ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ‘તુઝસે હૈ રાબ્તા’ની એક્ટ્રેસ રીમા શેખે કહ્યું હતું, ‘આ લૉકડાઉને મને બહુ બધું શીખવ્યું છે. મારી માતાનું મહત્ત્વ મને સમજાવ્યું. એવું નથી કે હું તેમને પ્રેમ નથી કરતી પરંતુ વ્યસ્ત રહેવાને કારણે તેમનું ધ્યાન રાખી શકતી નહોતી અને વધુ સમય આપી શકતી નહોતી. જોકે, લૉકડાઉનમાં મને સાથે રહેવાનો સમય મળ્યો અને માતા-પુત્રીના સંબંધોનું મહત્ત્વ સમજાયું. આ સાથે જ જીવનમાં સંબંધો તથા પરિવારના સભ્યોની મહત્ત્વતા સમજાઈ. આ લૉકડાઉનને કારણે મારા વિચારો

પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ માટે સુશાંતને 30 લાખ મળ્યા હતાં, બાકીની બે ફિલ્મ પહેલી ફિલ્મની સફળતા પર આધારિત હતી

સુશાંત સિંહ રાજપૂતે 2012માં યશરાજ ફિલ્મ્સની સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, આમાંથી બે ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ તથા ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ જ બની શકી હતી. ત્રીજી ફિલ્મ ‘પાની’ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે બની શકી નહીં. પહેલી ફિલ્મ માટે સુશાંતને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં. આ માહિતી યશરાજની કોન્ટ્રાક્ટ કોપીમાંથી મળી છે. આ કોપી 19 જૂનના રોજ યશરાજ પ્રોડક્શને પોલીસને આપી હતી. મુંબઈ પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. તેની પ્રોફેશનલ લાઈફમાં આવેલા ચઢાવ-ઉતારને પણ પોલીસે ધ્યાનમાં લીધા છે. આ જ કારણે યશરાજ પાસેથી કોન્ટ્રાક્ટની નકલ માગવામાં આવી હતી. કોન્ટ્રાક્ટની સૌથી મહત્ત્વની વાત એ હતી કે ફિલ્મ હિટ છે કે ફ્લોપ તે વાત પ્રોડક્શન હાઉસ જાતે નક્કી કરશે. કોન્ટ્રાક્ટની ત્રણ મુખ્ય વાતો કોન્ટ્રાક્ટ પ્રમાણે, સુશાંતે યશરાજની સાથે ત્રણ ફિલ્મ કરવાની હતી પરંતુ તમામની ટર્મ્સ અને કન્ડિશન અલગ-અલગ હતી. ખાસ કરીને ફીને લઈ ત્રણ પોઈન્ટ્સ હતાં. પહેલી ફિલ્મ માટે 30 લાખ રૂપિયા મળશે. જો ફિલ્મ હિટ ગઈ તો બીજી ફિલ્મ માટે 60 લાખ મળશે. જો ફિલ્મ ફ્લોપ ગઈ તો બીજી ફિલ્મ માટે 30 લાખ રૂપિયા

અલી ફઝલની માતાનું મૃત્યુ, અચાનક તબિયત લથડી ગઈ અને દુનિયાને અલવિદા કહ્યું

બોલિવૂડ એક્ટર અલી ફઝલની માતાનું મૃત્યુ બુધવારે સવારે થયું હતું. લખનઉ રહેતી માતાની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ હતી અને તેમણે દુનિયાને અલવિદા કહ્યું. દુઃખની આ ઘડીમાં તેના માટે સહાનુભૂતિ વ્યક્ત કરનાર લોકોનો અલી ફઝલે આભાર માન્યો છે. અલી ફઝલના પ્રવક્તાએ આ વાતની જાણ કરી હતી. તેણે સ્ટેટમેન્ટ શેર કરી જણાવ્યું કે, જણાવતા ઘણું દુઃખ થાય છે કે અલી ફઝલના માતાનું 17 જૂને સવારે લખનઉમાં અચાનક તબિયત લથડી જતા મૃત્યુ થયું છે. તેમનું નિધન અચાનક થયું અને અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. આ કઠિન પરિસ્થિતિમાં પ્રેમ અને સપોર્ટ આપવા બદલ અલી તેના ફેન્સનો આભારી છે. તે તેના ફેન્સ અને પ્રેસને આ સમયે પ્રાઇવસી આપવા માટે વિનંતી કરે છે. અલી ફઝલ થ્રી ઈડિયટ્સ, ફુકરે, બાત બન ગઈ, બોબી જાસૂસ, ખામોશિયાં, હેપ્પી ભાગ જાયેગી અને પ્રસ્થાનમ જેવી ફિલ્મ્સમાં દેખાયો હતો. આ સિવાય તેણે હોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. એમેઝોન પ્રાઈમની ઓરિજિનલ વેબ સિરીઝ મિર્ઝાપુરનું તેનું ગુડ્ડુ પંડિતનું કેરેક્ટર ઘણું ફેમસ છે. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today It is with great sorrow we inform you t

રણધીર કપૂરે કહ્યું, અમે રિશી કપૂરને રોજ યાદ કરીએ છીએ

67 વર્ષીય રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. રિશી કપૂરના નિધનને કારણે ચાહકો, શુભેચ્છો તથા પરિવારને ઘેરો આઘાત લાગ્યો હતો. ઈરફાનના નિધનના બીજા જ દિવસે રિશી કપૂરનું નિધન થતાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. હાલમાં રણધીર કપૂરે પોતાના ભાઈને લઈ વાત કરી હતી. શું કહ્યું રણધીર કપૂરે? રણધીર કપૂરે કહ્યું હતું કે રિશીના નિધનને 20 દિવસ થઈ ગયા. પરિવાર હજી પણ દુઃખમાં છે. ભગવાન દયાળું છે અને પરિવાર આ દુઃખની ઘડીમાંથી બહાર આવી જશે. પરિવાર રોજ તેમને યાદ કરે છે. તેમની અને રિશી વચ્ચે સારું બોન્ડિંગ હતું. તેમના મિત્રો કોમન હતાં. તેમની ફૂડ તથા ફિલ્મ્સની પસંદ તેમની ઘણી મળતી આવતી હતી. ચાહકોનો આભાર માન્યો રણધીર કપૂરે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વભરના અનેક લોકોએ પરિવાર પ્રત્યે પ્રેમ બતાવ્યો હતો. ઘણાં મેસેજીસ આવ્યા હતાં અને રિશી સાથેના અનુભવો શૅર કર્યાં હતાં. વ્યક્તિગત રીતે દરેકનો આભાર માનવો શક્ય નથી અને તેથી જ તે તમામનો આભાર માને છે. ચાહકોને તેમની ફિલ્મ અને તેનું હાસ્ય યાદ રહી ગયું છે. હાલમાં જ રિશીના તેરમાની પૂજા યોજાઈ હતી હાલમાં જ રિશી કપૂરના ત