Skip to main content

પોલીસે વધુ એક સાઇકાયટ્રિસ્ટનું નિવેદન લીધું, ડોક્ટરે કહ્યું- એક્ટર ટ્રીટમેન્ટથી સંતુષ્ટ નહોતો અને સારવાર અધવચ્ચે છોડી દીધી હતી

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક મહિના કરતાં પણ વધુ સમય પસાર થઈ ગયો છે પરંતુ પોલીસ તપાસમાં હજી સુધી એ વાત સામે આવી નથી કે આખરે એક્ટરે આત્મહત્યા શા માટે કરી હતી. પોલીસે હાલમાં જ સુશાંતના અન્ય એક સાઇકાયટ્રિસ્ટ ડૉક્ટરનું નિવેદન લીધું હતું. ડૉક્ટરના મતે, સુશાંતે વર્ષ 2018માં નવેમ્બર મહિનાથી કાઉન્સિલિંગની શરૂઆત કરી હતી.

ડૉક્ટરે પોલીસને શું કહ્યું?
સાઇકાયટ્રિસ્ટ પરવીન દરાઈચે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે, સુશાંત તેમની પાસે વર્ષ 2018માં નવેમ્બર મહિનામાં આવ્યો હતો અને કાઉન્સિલિંગ લેતો હતો. જોકે, આ દરમિયાન તે ડૉક્ટરની સારવારથી સંતુષ્ટ થયો નહીં અને તેણે ડૉ. પરવીન સાથે સારવારને લઈ દલીલો કરી હતી અને ટ્રીટમેન્ટ અધવચ્ચે છોડી દીધી હતી.

પોલીસે ડૉ. પરવીનને સુશાંતના કાઉન્સલિંગ સેશન, મુશ્કેલીઓ, દવાના ડોઝ તથા દલીલોને લઈ વિગતે પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પોલીસે સાઇકાયટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા તથા ડો. પિંગલેની પણ પૂછપરછ કરી હતી. આ બંને ડૉક્ટર્સ પાસે સુશાંતે કાઉન્સિલિંગ કરાવ્યું હતું.

સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી
સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. માનવામાં આવે છે કે સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. જોકે, સુશાંત શા માટે ડિપ્રેશનમાં હતો, તે કારણ હજી સુધી સામે આવ્યું નથી.

પોલીસે 36થી વધુ લોકોના સ્ટેટમેન્ટ લીધા
મુંબઈ પોલીસ પહેલાં જ દિવસથી આ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી પોલીસે સુશાંતના કૂક નીરજસિંહ, નોકર કેશવ બચ્ચન, મેનેજર દિપેશ સાવંત, ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ રામનાથમૂર્તિ પિઠાની, બહેનો નીતુ અને મીતુ સિંહ, પિતા કે.કે. સિંહ, ટેલિવિઝન અભિનેતા મહેશ શેટ્ટી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, પીઆર મેનેજર અંકિતા તેહલાની, અભિનેત્રી રિયા ચક્રવર્તી, ફિલ્મેકર સંજય લીલા ભણસાલી અને યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા તથા કર્મચારીઓ સહિત 36 જણનાં નિવેદન હમણાં સુધી નોંધ્યાં છે. શેખર કપૂરે પોતાનું નિવેદન ઈમેલથી મોકલાવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Police took another psychiatrist's statement, the doctor said - the actor was not satisfied with the treatment and was leaving midway through the treatment.


from Divya Bhaskar https://ift.tt/2WGsjYv

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...