Skip to main content

સંજય દત્ત ફેફસાંના કેન્સરના જીવલેણ સ્ટેજ સામે ઝઝૂમી રહ્યો છે, 39 વર્ષ પહેલા માતા નરગિસ તથા 24 વર્ષ પહેલાં પત્ની ઋચાનો જીવ પણ કેન્સરે જ લીધો હતો

61 વર્ષીય સંજય દત્તને લંગ કેન્સર છે અને તે પણ થર્ડ સ્ટેજનું. આ સ્ટેજને જીવલેણ માનવામાં આવે છે. જોકે, દત્ત પરિવાર માટે કેન્સર નવી બાબત નથી. 39 વર્ષ પહેલાં સંજય દત્તની માતા નરગિસનું પણ કેન્સરને કારણે જ મોત થયું હતું. 1981માં નરગિસનું મોત પૅન્ક્રિઍટિક કેન્સરને કારણે થયું હતું. તે સમયે સંજય દત્તની ઉંમર માત્ર 22 વર્ષની હતી.

નરગિસની અંતિમ યાત્રાની તસવીર, સુનીલ દત્તે કાંધ આપી હતી તો સંજય દોણી લઈને ચાલતો જોવા મળ્યો હતો

નરગિસે 10 મહિના કેન્સર સામેનો જંગ લડ્યો હતો
2 ઓગસ્ટ, 1980ના રોજ નરગિસ રાજ્યસભાના સેશન દરમિયાન બીમાર થઈ ગયા હતા. શરૂઆતમાં તેમને કમળો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મુંબઈ આવીને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એડમિટ થયા હતા પરંતુ 15 દિવસ સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં અને વજન પણ ઝડપથી ઘટતું જતું હતું. તપાસ બાદ સામે આવ્યું કે તેમને પૅન્ક્રિઍટિક (સ્વાદપિંડું)નું કેન્સર છે. નરગિસની સારવાર ન્યૂ યોર્કમાં કરવામાં આવી હતી. જોકે, ભારત પરત ફર્યા બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. 2 મે, 1981ના રોજ તેઓ કોમામાં જતાં રહ્યાં હતાં. બીજા જ દિવસે તેમનું મોત થયું હતું.

દીકરા માટે પત્ર લખ્યો હતો
કેન્સર હોવાની જાણ થતાં નરગિસ દીકરા સંજય માટે ચિંતિત થઈ ગયા હતા. સારવાર માટે જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે તેમણે સુનીલ દત્તને પત્ર લખીને સંજય માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સંજય બીજીવાર ખરાબ આદતોમાં ના ફસાય. 3 મે, 1981ના રોજ તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ કેન્સર પેશન્ટ નરગિસની યાદમાં 1982માં નરગિસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું.

સંજય દત્ત તથા ઋચા શર્માને એક દીકરી ત્રિશાલા પણ છે

પહેલી પત્નીનું મોત પણ કેન્સરને કારણે
સંજય દત્તની પહેલી પત્ની તથા દીકરી ત્રિશાલાની માતા ઋચા શર્માનું મોત પણ કેન્સરને કારણે થયું હતું. ઋચાને બ્રેન ટ્યૂમર હતું. સંજયે 1987માં લગ્ન કર્યાં હતાં. બે વર્ષની અંદર કેન્સર હોવાની જાણ થઈ હતી. ઋચાએ ન્યૂ યોર્કમાં સારવાર કરાવી હતી. 1996માં ઋચાનું ન્યૂ યોર્કમાં મોત થયું હતું. તો સંજય દત્ત 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેલ ગયો હતો.

સંજય દત્તે બે મહિના પહેલાં જ માતાને યાદ કરીને વીડિયો શૅર કર્યો હતો
સંજય દત્તે માતા નરગિસની 91મી જન્મજયંતી પર ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં નરગિસના જીવનના મહત્ત્વની વાતો વણી લેવામાં આવી હતી. આ વીડિયો પોસ્ટ કરીને સંજયે કહ્યું હતું, હેપ્પી બર્થડે મા, મિસ યુ.

View this post on Instagram

Happy Birthday Ma, miss you❤️

A post shared by Sanjay Dutt (@duttsanjay) on May 31, 2020 at 11:44pm PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt is battling a deadly stage of lung cancer, 39 years ago his mother Nargis and 24 years ago his wife Richa died of cancer.


from Divya Bhaskar https://ift.tt/3kE3AhG

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...