Skip to main content

સંજય લીલા ભણસાલીએ પોલીસને કહ્યું, યશરાજ બેનરને કારણે એક્ટર ‘રામલીલા’-‘બાજીરાવ મસ્તાની’માં કામ ના કરી શક્યો

છ જુલાઈના રોજ સંજય લીલા ભણસાલીની બાંદ્રા પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સંજય લીલા ભણસાલીને કુલ 30થી 35 સવાલ પૂછવામાં આવ્યા હતાં.

સૂત્રોના મતે, સંજયે ‘રામલીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મની ઓફર સુશાંતને કરી હતી પરંતુ એક્ટર આ ફિલ્મ સાઈન કરી શક્યો નહોતો. પોલીસ જાણવા માગતી હતી કે આ બંને ફિલ્મમાંથી ડ્રોપ કર્યાં બાદ સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે નહીં.

આ સવાલ પર સંજય લીલા ભણસાલીએ જવાબ આપ્યો હતો,

‘મેં સુશાંતને કોઈ પણ ફિલ્મમાંથી બહાર કર્યો નહોતો અને તેને રિપ્લેસ પણ કર્યો નહોતો. સુશાંત સિંહ રાજપૂત સાથે મારી મુલાકાત વર્ષ 2012માં ‘સરસ્વતીચંદ્ર’ નામની એક સિરિયલના કાસ્ટિંગ દરમિયાન થઈ હતી. જોકે, તે સમયે સુશાંતને સિરિયલ માટે કાસ્ટ કરવામાં આવ્યો નહોતો. જોકે, હું તેની એક્ટિંગથી ઘણો જ પ્રભાવિત થયો હતો.’

‘વર્ષ 2013માં ‘રામલીલા’ તથા વર્ષ 2015માં ‘બાજીરાવર મસ્તાની’ માટે મેં બેવાર સુશાંતનો અપ્રોચ કર્યો હતો. જોકે, તે દરમિયાન સુશાંત યશરાજ બેનર હેઠળ બનતી ફિલ્મ ‘પાની’ના વર્કશોપ તથા શિડ્યૂઅલમાં વ્યસ્ત હતો. એક ડિરેક્ટર તરીકે હું એક્ટરનું પૂરું અટેન્શન તથા ડેડિકેશન ઈચ્છતો હતો. જોકે, સુશાંત પોતાના કામમાં વ્યસ્ત હોવાથી તેણે બંને ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સુશાંત સાથે એક પણ ફિલ્મને લઈ વાત કરી નહોતી. ’

‘સુશાંતને હું એક એક્ટર તરીકે ઓળખું છું. તે મારી નિકટ નહોતો કે તે મારી સાથે તેની કોઈ અંગત વાતો શૅર કરે. તે ડિપ્રેશનમાં હતો, તે મને ખબર નથી.’

‘વર્ષ 2016 પછી સુશાંત સાથે માત્ર ત્રણવાર ફિલ્મ શોમાં મુલાકાત થઈ હતી પરંતુ આ સમયે અમારી વચ્ચે ફિલ્મ કરવાને લઈ અથવા તો પછી અન્ય કોઈ વાત પર કોઈ ચર્ચા થઈ નહોતી.’

પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યાની પુષ્ટિ
ઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. એક્ટરના પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, પોલીસ તપાસ હજી ચાલુ છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી.

30થી વધુ લોકોની પૂછપરછ
સુશાંતના સુસાઈડ બાદથી અત્યાર સુધી આ કેસમાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં હાઉસસ્ટાફ, મેનેજર, PR ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર તથા પરિવારના સભ્યો સામેલ છે. યશરાજ ફિલ્મના કેટલાંક પૂર્વ અધિકારીઓ તથા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના નિવેદન લેવામાં આવ્યા છે. યશરાજના હજી કેટલાંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત શેખર કપૂરનું નિવેદન લેવામાં આવ્યું છે. કંગના રનૌતને પણ પોલીસ બોલાવી શકે છે. કંગનાએ કહ્યું હતું કે બોલિવૂડના નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant suicide case sanjay leela bhansali said actor could not work in his film because of he was busy in YRF film


from Divya Bhaskar https://ift.tt/2Z52wuP

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...