Skip to main content

13 જુલાઈથી ‘કુંડલી ભાગ્ય’, ‘કુમકુમ ભાગ્ય’ સહિત અન્ય શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ થશે, સેટ પર સ્ટાર્સ માસ્ક સાથે જોવા મળ્યાં

લૉકડાઉનના ત્રણ મહિના બાદ હવે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી ફરીથી શરૂ થઈ છે. મોટાભાગના ટીવી પ્રોડ્યૂસર્સે સિરિયલ્સના શૂટિંગ શરૂ કરી દીધા છે. ઝી ટીવી પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’, ‘કુંડલી ભાગ્ય’, ‘તુઝસે હૈં રાબ્તા’, ‘ગુડ્ડન તુમસે ના હો પાયેંગા’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

ચેનલ સાથે જોડાયેલા સૂત્રોના મતે, આ તમામ શોના નવા એપિસોડ 13 જુલાઈથી ટીવી પર પ્રસારિત થશે. મનીષ પોલ હોસ્ટેડ સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ’ના નવા એપિસોડ 18 જુલાઈથી શરૂ થશે.

પ્રોમો શૂટ કરતાં કલાકારો

લૉકડાઉનને કારણે મારા વિચારોમાં પરિવર્તન આવ્યુંઃ રીમા શેખ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ‘તુઝસે હૈ રાબ્તા’ની એક્ટ્રેસ રીમા શેખે કહ્યું હતું, ‘આ લૉકડાઉને મને બહુ બધું શીખવ્યું છે. મારી માતાનું મહત્ત્વ મને સમજાવ્યું. એવું નથી કે હું તેમને પ્રેમ નથી કરતી પરંતુ વ્યસ્ત રહેવાને કારણે તેમનું ધ્યાન રાખી શકતી નહોતી અને વધુ સમય આપી શકતી નહોતી. જોકે, લૉકડાઉનમાં મને સાથે રહેવાનો સમય મળ્યો અને માતા-પુત્રીના સંબંધોનું મહત્ત્વ સમજાયું. આ સાથે જ જીવનમાં સંબંધો તથા પરિવારના સભ્યોની મહત્ત્વતા સમજાઈ. આ લૉકડાઉનને કારણે મારા વિચારોમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે.’

શૂટિંગ તથા શો મેમ્બર્સને મિસ કર્યાં
શૂટિંગ શરૂ થવા પર રીમાએ કહ્યું હતું કે આ દરમિયાન તેણે શૂટિંગ તથા શોના સાથી કલાકારોને મિસ કર્યાં હતાં. તેના માટે આ કલાકારો પરિવાર જેવા જ છે. હવે જ્યારે તે સેટ પર પરત ફરી તોતે ઘણી જ ખુશ છે. સિરિયલની સ્ટોરીલાઈનમાં નવો કોન્સેપ્ટ જોવા મળશે. આશા છે કે દર્શકોને આ પસંદ આવશે.

‘કુમકુમ ભાગ્ય’ તથા ‘કુંડલી ભાગ્ય’ના કલાકારોએ પ્રોમો શૂટ કર્યો
સિરિયલના સેટ પરથી આવેલી તસવીરોમાં શબ્બીર આહલુવાલિયા, શ્રીતિ ઝા, શ્રદ્ધા આર્ય, ધીરજ કપૂર એક સાથે શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. આ કલાકારો ‘કુંડલી ભાગ્ય’ તથા ‘કુમકુમ ભાગ્ય’ના પ્રોમોનું શૂટિંગ કરતાં હતાં.

પ્રોમો શૂટ કરતાં કલાકારો


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
New episode 'Kundali Bhagya', 'Kumkum Bhagya' will be telecast from July 13, with Stars Mask seen on set


from Divya Bhaskar https://ift.tt/31AGqlc

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...