Skip to main content

રણધીર કપૂરે કહ્યું, અમે રિશી કપૂરને રોજ યાદ કરીએ છીએ


67 વર્ષીય રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. રિશી કપૂરના નિધનને કારણે ચાહકો, શુભેચ્છો તથા પરિવારને ઘેરો આઘાત લાગ્યો હતો. ઈરફાનના નિધનના બીજા જ દિવસે રિશી કપૂરનું નિધન થતાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. હાલમાં રણધીર કપૂરે પોતાના ભાઈને લઈ વાત કરી હતી.
શું કહ્યું રણધીર કપૂરે?
રણધીર કપૂરે કહ્યું હતું કે રિશીના નિધનને 20 દિવસ થઈ ગયા. પરિવાર હજી પણ દુઃખમાં છે. ભગવાન દયાળું છે અને પરિવાર આ દુઃખની ઘડીમાંથી બહાર આવી જશે. પરિવાર રોજ તેમને યાદ કરે છે. તેમની અને રિશી વચ્ચે સારું બોન્ડિંગ હતું. તેમના મિત્રો કોમન હતાં. તેમની ફૂડ તથા ફિલ્મ્સની પસંદ તેમની ઘણી મળતી આવતી હતી.
ચાહકોનો આભાર માન્યો
રણધીર કપૂરે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વભરના અનેક લોકોએ પરિવાર પ્રત્યે પ્રેમ બતાવ્યો હતો. ઘણાં મેસેજીસ આવ્યા હતાં અને રિશી સાથેના અનુભવો શૅર કર્યાં હતાં. વ્યક્તિગત રીતે દરેકનો આભાર માનવો શક્ય નથી અને તેથી જ તે તમામનો આભાર માને છે. ચાહકોને તેમની ફિલ્મ અને તેનું હાસ્ય યાદ રહી ગયું છે.
હાલમાં જ રિશીના તેરમાની પૂજા યોજાઈ હતી
હાલમાં જ રિશી કપૂરના તેરમાની પૂજા યોજાઈ હતી. આ પ્રસંગે કરિશ્મા કપૂર, રાજીવ કપૂર, રણધીર કપૂર, રીમા જૈન, શ્વેતા બચ્ચન, આલિયા ભટ્ટ સહિતના સેલેબ્સ આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રિશી કપૂરને છેલ્લાં બે વર્ષથી લ્યૂકેમિયાનું કેન્સર હતું. તેમણે ન્યૂ યોર્કમાં સારવાર પણ કરાવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં તેમની તબિયત બગડી હતી. રિશી કપૂરે મુંબઈની એચ એન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. લૉકડાઉન હોવાને કારણે તેમના અંતિમ સંસ્કાર હોસ્પિટલની નજીક આવેલા સ્મશાન ચંદનવાડી ખાતે કરવામાં આવ્યા હતાં. તેમની દીકરી રિદ્ધિમા દિલ્હીમાં હોવાથી પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શકી નહોતી.




Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...