Skip to main content

રિયાએ પરિવાર સાથે ફાર્મહાઉસ પર પૂજા કરી હતી, સુશાંતે દર મહિનાના આશરે 3 લાખ રૂપિયાના હિસાબે ઓગસ્ટ સુધીનું ભાડું એડવાન્સમાં આપ્યું હતું

સુશાંત સિંહ રાજપૂતના લોનાવલાના ફાર્મહાઉસના મેનેજર રાહુલના મત પ્રમાણે, રિયા ચક્રવતી અને તેના પરિવારે ગત વર્ષે પાવના લેક પાસે આવેલા ફાર્મહાઉસમાં પૂજા કરી હતી. રાહુલે એક ન્યૂઝ ચેનલની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, લોનાવલામાં આવેલું આ ફાર્મહાઉસ સુશાંતે ભાડેથી લીધું હતું. તેના માટે સુશાંત દર મહિને આશરે 2.50થી 3 લાખ રૂપિયા ચૂકવતો હતો. સુશાંત ઓગસ્ટ મહિના સુધીનું ભાડું એડવાન્સમાં આપી ચૂક્યો હતો.

મુંબઈથી 95 કિલોમીટર દૂર આવેલું છે હેન્ગઆઉટ વિલા
ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, હેન્ગઆઉટ વિલા નામનું આ ફાર્મહાઉસ મુંબઈથી આશરે 95 કિલોમીટર દૂર આવેલું છે. ફાર્મહાઉસ સુધીનો રસ્તો એટલો સારો નથી, પરંતુ સુશાંત જ્યારે પણ અપસેટ અથવા કોઈ મુશ્કેલીમાં હોય તો ફાર્મઆઉસ આવી જતો હતો.

રાહુલે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે 2 વર્ષથી સુશાંત સાથે કામ કરે છે અને તેને ક્યારે પણ સુશાંતને ડિપ્રેશન કે મુશ્કેલીમાં નથી જોયો. સુશાંત જ્યારે પણ ફાર્મહાઉસ આવતો તે હંમેશા હસતો રહેતો અને એન્જોય કરતો હતો. રાહુલના જણાવ્યા પ્રમાણે સુશાંત મહિનામાં 3થી 4 વખત હેન્ગઆઉટ વિલા આવતો હતો. ક્યારેક તે અઠવાડિયાંમાં 2થી 3 વાર પણ આવતો હતો.

ફાર્મહાઉસ પર સુશાંત શું કરતો હતો?
રાહુલના મત પ્રમાણે, સુશાંત ફાર્મહાઉસ જઈને બોટિંગ કરતો હતો. ક્યારેક તે સવારે આવતો અને સાંજે મુંબઈ પરત ફરતો હતો તો ક્યારે રાતે આવતો અને ડિનર ફાર્મહાઉસ પર લેતો હતો. સુશાંતને પ્લાન્ટેશન અને ખેતીનો ઘણો શોખ હતો. ક્યારેક રિયા ચક્રવતી પણ તેની સાથે ફાર્મહાઉસ આવતી હતી.

ગત વર્ષે રિયાનો બર્થ ડે આ જ ફાર્મહાઉસ પર ઉજવાયો હતો
રાહુલ જણાવે છે કે, ગત વર્ષે રિયાનો બર્થ ડે આ જ ફાર્મહાઉસ પર ઉજવાયો હતો. તે વખતે તેના માતાપિતા અને ભાઈ (શોવિક) પણ હાજર હતો. રિયાના કેટલાક મિત્રો પણ પાર્ટીમાં આવ્યા હતા. તે દરમિયાન ફાર્મહાઉસમાં તેમણે ભગવાનની મૂર્તિની સ્થાપના કરી હતી અને આખા ચક્રવતી પરિવારે પૂજા પણ કરી હતી.

ગત વર્ષે જ્યારે જૂના કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી, ત્યારે રાહુલ પણ તેમાં સામેલ હતો. જોકે, બીજા દિવસે તેને પરત બોલાવ્યો હતો. તેને હટાવવામાં સિદ્ધાર્થ પીઠાણી પણ સામેલ હતો.

રિયાની પૂજાની વાત અગાઉ પણ સામે આવી હતી
થોડાક દિવસો અગાઉ સુશાંતના બેંક સ્ટેટમેન્ટની કૉપી સામે આવી હતી. તેમાં સ્પષ્ટ થયું હતું કે, રિયાએ ગત વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સુશાંતના અકાઉન્ટમંથી 5 વાર પૂજા અને પૂજારીને દક્ષિણાના નામે પૈસા ઉપાડ્યા હતા. સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, રિયાએ આ પૈસાનો ઉપયોગ સુશાંત વિરુદ્ધ બ્લેક મેજિક (મેલી વિદ્યા) માટે કર્યો હતો. આ અગાઉ પણ સુશાંતની બહેન મીતુ એક નોકરના હવાલે આ દાવો કરી ચૂકી છે કે, રિયા સુશાંત પર બ્લેક મેજિક કરતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાર્મહાઉસના મેનેજેરના જણાવ્યા અનુસાર, ક્યારેક રિયા ચક્રવતી પણ સુશાંત સાથે હેન્ગઆઉટ વિલા આવતી હતી


from Divya Bhaskar https://ift.tt/2XuAsj9

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...