Skip to main content

પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ માટે સુશાંતને 30 લાખ મળ્યા હતાં, બાકીની બે ફિલ્મ પહેલી ફિલ્મની સફળતા પર આધારિત હતી

સુશાંત સિંહ રાજપૂતે 2012માં યશરાજ ફિલ્મ્સની સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, આમાંથી બે ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ તથા ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ જ બની શકી હતી. ત્રીજી ફિલ્મ ‘પાની’ની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે બની શકી નહીં. પહેલી ફિલ્મ માટે સુશાંતને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં. આ માહિતી યશરાજની કોન્ટ્રાક્ટ કોપીમાંથી મળી છે. આ કોપી 19 જૂનના રોજ યશરાજ પ્રોડક્શને પોલીસને આપી હતી.

મુંબઈ પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. તેની પ્રોફેશનલ લાઈફમાં આવેલા ચઢાવ-ઉતારને પણ પોલીસે ધ્યાનમાં લીધા છે. આ જ કારણે યશરાજ પાસેથી કોન્ટ્રાક્ટની નકલ માગવામાં આવી હતી. કોન્ટ્રાક્ટની સૌથી મહત્ત્વની વાત એ હતી કે ફિલ્મ હિટ છે કે ફ્લોપ તે વાત પ્રોડક્શન હાઉસ જાતે નક્કી કરશે.

કોન્ટ્રાક્ટની ત્રણ મુખ્ય વાતો
કોન્ટ્રાક્ટ પ્રમાણે, સુશાંતે યશરાજની સાથે ત્રણ ફિલ્મ કરવાની હતી પરંતુ તમામની ટર્મ્સ અને કન્ડિશન અલગ-અલગ હતી. ખાસ કરીને ફીને લઈ ત્રણ પોઈન્ટ્સ હતાં.

  • પહેલી ફિલ્મ માટે 30 લાખ રૂપિયા મળશે. જો ફિલ્મ હિટ ગઈ તો બીજી ફિલ્મ માટે 60 લાખ મળશે. જો ફિલ્મ ફ્લોપ ગઈ તો બીજી ફિલ્મ માટે 30 લાખ રૂપિયા જ મળશે.
  • જો પહેલી તથા બીજી ફિલ્મ હિટ ગઈ તો ત્રીજી ફિલ્મ માટે એક કરોડ રૂપિયા આપવામાં આવશે. જો પહેલી હિટ અને બીજી ફ્લોપ ગઈ તો ત્રીજી ફિલ્મ માટે 30 લાખ જ મળશે.
  • જો પહેલી ફ્લોપ તથા બીજી હિટ ગઈ તો ત્રીજી માટે 60 લાખ રૂપિયા મળશે.

મોટો સવાલઃ બીજી ફિલ્મ માટે એક કરોડ કેમ આપ્યા?
સૂત્રોના મતે, સુશાંતની પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ હિટ ગઈ તો યશરાજે બીજી ફિલ્મ ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ માટે એક કરોડ રૂપિયા આપ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટ પ્રમાણે તો 60 લાખ રૂપિયા આપવાના હતાં. પ્રોડક્શન હાઉસે કેમ આવું કર્યું? આનો જવાબ હજી સુધી મળ્યો નથી. અત્યાર સુધી જેટલાના પણ નિવેદન લેવામાં આવ્યા તેમણે એમ જ કહ્યું કે તેમને આ અંગે કોઈ માહિતી નથી.

ક્રિએટિવ ડિફરન્સને કારણે ‘પાની’ બની નહીં
ત્રીજી ફિલ્મ શેખર કપૂરના ડિરેક્શનમાં બનવાની હતી પરંતુ પ્રોડક્શન હાઉસ તથા શેખર કપૂર વચ્ચે ક્રિએટિવ ડિફરન્સને કારણે ફિલ્મ ફ્લોર પર જઈ શકી નહીં. ટ્રેડ પંડિતોએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કપૂરે ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા કહ્યું હતું. આદિત્ય ચોપરાને આ બજેટ વધારે લાગ્યું અને તેણે પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

યશરાજના કેટલાંક મોટા અધિકારીઓની પૂછપરછ થઈ
શુક્રવાર (26 જૂન)ના રોજ પ્રોડક્શન હાઉસના બે પૂર્વ અધિકારીઓ આશીષ સિંહ તથા આશીષ પાટિલની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 27 જૂનના રોજ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. પોલીસ હજી પણ કોન્ટ્રાક્ટની જટીલ બાબતોમાં ફસાયેલી છે. આ બાબતોને સમજવા માટે પ્રોડક્શન હાઉસના અન્ય મોટા અધિકારીઓને બોલાવવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
yashraj contract copy Sushant got Rs 30 lakh for his first film shuddh desi romance, the other two were based on the success of the first film.


from Divya Bhaskar https://ift.tt/2VyWalc

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...