Skip to main content

રાની તેરો, ચિર જીયો ગોપાલ... આ જ્યાં સુધી ગાય નહીં ત્યાં સુધી પંડિત જસરાજનો સંગીત સમારંભ પૂરો થતો નહોતો

નાની વયે જ લક્ષ્ય નક્કી હોય, નિશ્ચિત હોય અને તેને પકડીને જે ટોચ પર પહોંચે તથા વર્ષો સુધી ટોચ પર ટકી રહેવાની ક્ષમતા પણ હોય તો તેનું નામ જસરાજ છે. પંડિત જસરાજ ખરેખર તો પ્રારંભમાં તબલાવાંદક હતા. પોતાના મોટાભાઈ મહાન ગાયક પંડિત મણિરામ સાથે સંગત કરતા હતા. લાહોરની એક સંગીત સભામાં એકવાર ગાયકોને મંચ પર સ્થાન અપાયું અને સંગત આપનારા માટે નીચે બેસવાની વ્યવસ્થા કરાઈ. તે દિવસથી પંડિત જસરાજે તબલાંવાદન છોડી દીધું. એ સંગીત સભામાં પણ સંગત કરી નહીં. તેવું પણ કહેવાય છે કે પંડિત કુમાર ગાંધર્વના કહેવાથી તેમને તબલાં છોડી ગાયકી શરૂ કરી હતી. મંચ પર ગાવા તો માંડ્યા હતા. આ દરમિયાન ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં બીમાર પડ્યા તો તેમની ખબર જોવા ગયા હતા. તેમના શાગિર્દ બનવું ઘણું મુશ્કેલ હતું. એ જ બડે ગુલામ અલી ખાં સાહેબે પંડિત જસરાજને પોતે કહ્યું કે તમે આટલું સારું ગાવ છો તો મારા શાગિર્દ બની જાવ. પંડિત જસરાજે ઇન્કાર કર્યો. કહ્યું કે પંડિત મણિરામ મારા ગુરુ છે, હું તો તેમની પાસે જ શીખીશ.

પિતા મોતીરામ મેવાતના રાજગાયક હતા, સસરા વિખ્યાત ફિલ્મકાર વ્હિ. શાંતારામ હતા પણ પોતાની ગાયિકી દ્વારા પંડિત જસરાજ સૌથી મોટા બની ગયા. ગાતા ગયા. શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય ગાયનમાં તેઓ જેટલા નિષ્ણાત હતા એટલી જ સરળતાથી તેઓ ભજન ગાતા હતા. તેમના અવાજમાં એક મીઠાસ હતી. તે ગળાની ખરજથી આવતી હતી. તેને સમજવું હોય તો એ રીતે સમજી શકાય કે આ ખરજ સૌથી વધુ પંડિત છન્નુલાલ મિશ્રના ગળામાં છે. બોલીએ તો લાગે કે સાથે બીજું કંઈ આવી રહ્યું છે. ગાઈએ તો લાગે કે બોલની સાથે એક ઝરણું વહી રહ્યું છે.

શાસ્ત્રીય ગાયનના દરેક મંચ પર બડા ખયાલ, છોટા ખયાલ, તરાના, બધુ પૂરું થયા પછી શ્રોતાઓની ફરમાઈશ જરૂર આવતી હતી કે - રાની તેરો, ચિર જીયો ગોપાલ... આ જ્યાં સુધી ગાય નહીં ત્યાં સુધી પંડિત જસરાજનો સંગીત સમારંભ પૂરો થતો નહોતો.

સંગીત જાણનારા કેટલાક લોકો તેમની તુલના પંડિત ભીમસેન જોશી સાથે કરતા. ધીમા અવાજે ટીકા પણ કરતા કે પંડિત જસરાજ થોડા ટેકનિકલ થઈ જાય છે. હા સાચું છે, તેઓ શાસ્ત્રીય ગાયન સમયે ટેકનિકલ લાગતા હતા પરંતુ આ તેમની ખામી નહોતી, સંપૂર્ણતા હતી. પરિપક્વતા હતી. કારણ કે તેઓ તબલાંવાદક પણ રહ્યા હોવાથી વીજળીના ચમકારા જેવી લાંબી-લાંબી ધૂન, મધ્યમાં જઈ ફરી મધ્ય સપ્તક સુધી આલાપ સાથે રમી મૂળ સ્થાને આવવામાં પારંગત હતા. પરંતુ જ્યારે ભજન ગાતા હતા તો પંડિત ભીમસેનની જેમ જ સાદગી અને સરળતાથી વહેતા હતા. ચિર જીયો ગોપાલ, હમારે માહી રાધા જુકો રાજ, માઈ મેરો મન મોહ્યો સાંવરે, મોહે ઘર અંગના ના સુહાય... આ અને આવાં હજારો ભજન તેમની ગાયકીની સરળતાના સાક્ષી છે.

પંડિતજીએ એક રાગની પણ રચના કરી હતી તેનું નામ હતું જસરંગી. આ રાગની મહાનતા એ છે કે તેને કોઈ એકલું ગાઈ શકતું નથી. બે જણા ભેગા થઈને જ ગાઈ શકે છે. તેમાં પણ એક પુરુષ અને એક મહિલા હોવી જોઈએ. હકીકતમાં આ એક પ્રકારે જુગલબંધીનો રાગ છે જે બે રાગ અભોગી અને કલાવતીથી બન્યો છે. મહિલા અભોગી અને પુરુષ કલાવતી. તેનું સૌથી કઠિન અને સુંદર પાસું એ છે કે મહિલા ગાયિકા મધ્યમ (મ), પુરુષ ગાયકનો ષડજ (સા) હોય છે. જ્યારે પુરુષ ગાયકનો પંચમ (પ), મહિલા ગાયિકાનો ષડજ (સા) હોય છે.

પંડિત જસરાજે પહેલા આ રાગને પોતાના બે પરમ શિષ્યો - પુત્રી દુર્ગા જસરાજ અને શિષ્ય સંજીવ અભ્યંકર પાસે ગવડાવ્યો હતો. ત્યારપછી સૌથી વધુ સંજીવ અભ્યંકર અને અશ્વિની ભીડે દેશપાંડેએ ગાયો છે.

ગુજરાત સાથે તેમનો ગાઢ સંબંધ હતો. તેઓ સાણંદમાં લાંબા સમય સુધી રહીને ગાતા રહ્યાં હતા. તેમના શિષ્ય દેશ-વિદેશમાં ફેલાયેલા છે. મોટા-મોટા સંગીતકાર છે. તેમના ગાયેલાં ભજન, રાગ અને ચોમેર ફેલાયેલા શિષ્યો જ તેમની સૌથી મોટી અને અમૂલ્ય દોલત છે જેને તેઓ પોતાની પાછળ છોડી ગયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પંડિત જસરાજની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3h7l7Nk

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...