Skip to main content

ગામડાં સુધી સસ્તાં કમ્પ્યૂટર પહોંચે તો જ ઓનલાઈન શિક્ષણનો ફાયદો થશે: કેન્દ્રીયમંત્રી નિશંક

નવી શિક્ષણનીતિ કેબિનેટમાંથી પસાર થઈ ચૂકી છે પણ અત્યાર સુધી સામાન્ય નાગરિકો અનેક મુદ્દાઓ અંગે મૂંઝવણમાં છે. 10+2ના સ્થાને 5+3+3+4ની વ્યવસ્થા, ડિજિટલ શિક્ષણ હોય કે ફેકલ્ટીની બાધ્યતા ખતમ કરવી… આ તમામ મુદ્દાઓ અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ ભાસ્કર સાથે વાતચીત કરી હતી. શિક્ષણનીતિમાં ડિજિટલ એજ્યુકેશન પર વિશેષ ભાર મૂકનારા નિશંક પણ સ્વીકારે છે કે આ ત્યારે જ સફળ થઈ શકશે જ્યારે ગામડાંઓ સુધી ડિજિટલ ભારત અભિયાન પહોંચી જાય અને ગ્રામીણ વિસ્તારોનાં બાળકોને સસ્તાં કમ્પ્યૂટર ઉપલબ્ધ થાય. વાંચો અમિતકુમાર નિરંજન સાથેની વાતચીતના મુખ્ય અંશો….

સવાલ: શિક્ષણ પર જીડીપીનો 6 ટકા ખર્ચ કરવાનું લક્ષ્ય છે, આ કઈ રીતે થશે?
જવાબ:
10 વર્ષમાં શિક્ષણ પર ખર્ચને વધારી 20% સુધી કરવાની આશા છે. જુદાં જુદાં ક્ષેત્રોની ફન્ડિંગ અને જટિલતાને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ માટે ફંડ સ્ટ્રીમ જરૂરી છે. તેમાં ઉચ્ચ શિક્ષણ ફાઈનાન્શિયલ એજન્સીના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યોનાં સંસ્થાનો માટે સરકાર ગેરન્ટીવાળી લોન વ્યવસ્થા વિકસિત કરશે.

સવાલ: ઓનલાઇન શિક્ષણ પર ભાર મુકાય છે પણ ગામડાંઓમાં વિદ્યાર્થીઓ મુખ્ય ધારાથી દૂર થાય છે, કઈ રીતે અટકાવશો?
જવાબ:
ઓનલાઈન, ડિજિટલ પ્રણાલીમાં શિક્ષણ ભવિષ્ય માટે તૈયાર કરે છે. જોકે તેનો ફાયદો ત્યારે થશે જ્યારે ડિજિટલ ઈન્ડિયા અભિયાન અને સસ્તાં કમ્પ્યૂટરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે.

સવાલ: 5+3+3+4ની પદ્ધતિમાં સ્પષ્ટ નથી કે 10મા-12માના બોર્ડ રહેશે કે નહીં?
જવાબ:
5+3+3+4નો સૌથી મોટો ફાયદો એ છે કે રાઈટ ટુ એજ્યુકેશનના દાયરામાં હવે 3 વર્ષથી 18 વર્ષનાં બાળકો આવી જશે. 10મા અને 12માની બોર્ડની પરીક્ષા ચાલુ રખાશે પણ તેને સરળ બનાવાશે. પ્રેશર ઘટાડવા માટે બે વખત બોર્ડની પરીક્ષા આપવાની છૂટ અપાશે.

સવાલ: સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ખાનગી સ્કૂલોની ફી પર કઈ રીતે સકંજો કસશે?
જવાબ:
રાજ્યમાં રચાનાર સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી સ્વતંત્ર એકમ હશે જે કોડ ઓફ કન્ડક્ટ બનાવશે. માહિતી SSAની વેબસાઈટ પર અપાશે.

સવાલ: સ્ટ્રીમને ખતમ કરવા અંગે ટીકાકારો કહે છે કે તેનાથી નિષ્ણાત નહીં બને?
જવાબ:
એવું નથી. હવે વિદ્યાર્થીઓ અનેક અભ્યાસક્રમના કોર્સ કરી શકશે. ઉદાહરણ તરીકે IIT દિલ્હીથી 2 અભ્યાસક્રમ, જેએનયુથી 3 અને ડીયુથી 1 અભ્યાસક્રમ કરવાની છૂટ મળશે. જેમ કે કોરોના મહામારીનો મેડિકલ પક્ષ, વૈજ્ઞાનિક પક્ષ અને સામાજિક પક્ષ પણ છે. નવી વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ દરેક પક્ષનો અભ્યાસ કરી શકશે. જોકે તેને લાગુ કરવામાં થોડોક સમય લાગી શકે છે.

સવાલ: નવી શિક્ષણનીતિ ક્યારથી લાગુ પડશે?
જવાબ:
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સલાહ-સૂચન કર્યા પછી રણનીતિ બનાવાશે. રાષ્ટ્રીય સ્તરે પાઈલટ પ્રોજેક્ટ ચલાવાશે જેથી સુનિશ્ચિત થઇ શકે કે વિદ્યાર્થીઓ પર તેની પ્રતિકૂળ અસર ન થાય.

સવાલ: નવી શિક્ષણનીતિ સંપૂર્ણપણે લાગુ કરવામાં કેટલો ખર્ચ થશે?
જવાબ:
નવી શિક્ષણનીતિ લાગુ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે શિક્ષણમાં જાહેર રોકાણ વધારવું પડશે. 2020 માટે 1,13,684.51 કરોડ વધારાની રકમ નાણાપંચે શેર કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ.


from Divya Bhaskar https://ift.tt/2DQxezR

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...