Skip to main content

દેશમાં નવા દર્દી કરતા વધુ સાજા, મહારાષ્ટ્રમાં 6 લાખ કોરોનાગ્રસ્ત, દેશમાં સોમવારે 52,886 નવા દર્દી મળ્યા, 59,097 સાજા થયા

દેશમાં કોરોનાના દર્દી 27 લાખની નજીક પહોંચી ગયા છે. સોમવારે 52,886 હજાર નવા દર્દી મળ્યા હતા. રાહતના સમાચાર એ છે કે આ દરમિયાન આશરે 6 હજાર વધુ એટલે કે 59,097 દર્દી સાજા થયા હતા. 24 કલાકમાં વધુ 889 મૃત્યુ સાથે કુલ મૃતકાંક 51,840 થઈ ગયો છે. તેની સાથે મૃત્યુદર 1.92% એ પહોંચી ગયો હતો.

મહારાષ્ટ્રમાં 8,493 નવા દર્દી મળ્યા હતા જે ચાલુ મહિનામાં કોઈ પણ એક દિવસમાં સૌથી ઓછા છે. તેની સાથે જ ત્યાં ચેપગ્રસ્તોની સંખ્યા 6 લાખને વટાવી ગઈ હતી. દેશમાં 19,68,638 દર્દી સાજા થઈ ચૂક્યા છે એટલે કે કોરોનાને હરાવનારાની સરેરાશ 73.04% થઈ ગઈ છે. મંગળવારે દેશમાં સાજા થનારાની સંખ્યા 20 લાખને પાર થઈ શકે છે.

દિલ્હીમાં હોટલ, જિમ, સાપ્તાહિક હાટ શરૂ કરવા અંગે આજે નિર્ણય
દિલ્હીમાં હોટલ, જિમ, સાપ્તાહિક હાટ ફરી શરૂ કરવા અંગે દિલ્હી ઈમરજન્સી મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે સીએમ કેજરીવાલ ચાલુ મહિનાની શરૂઆતમાં તેના વિશે પ્રસ્તાવ રજૂ કરી ચૂક્યા હતા જેને ઉપરાજ્યપાલ અનિલે સંમતિ આપી ન હતી.

બિહારમાં લૉકડાઉન 6 સપ્ટેમ્બર સુધી વધ્યું
બિહાર સરકારે કોરોનાના ચેપને રોકવા માટે લૉકડાઉન 6 સપ્ટેમ્બર સુધી વધારી દીધું છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા માટે કુમારટુલીથી આયોજકો પાસે દુર્ગા મૂર્તિઓ પહેલાથી જ પહોંચાડી દીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોના શંકાસ્પદના સેમ્પલ લઇ રહેલ કોરોના વોરિયર્સની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/312VSWS

Comments

Popular posts from this blog

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...