Skip to main content

કોરોના સંકટમાં અર્થવ્યવસ્થાને ટેકો આપતી ગ્રામીણ માગ પ્રભાવિત થવાની શક્યતા, હવે વરસાદ પર મદાર

કોરોના કાળમાં અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતિને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ધરાવતા મોનસુનનો સહારો પણ દૂર થઈ રહ્યો છે. જૂનમાં વરસાદ સારો રહ્યો હતો. હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી હતી. પરંતુ જુલાઈમાં અનેક જિલ્લાઓમાં દુષ્કાળની સ્થિતિ રહી. હવે ગ્રામીણ માગનો આધાર ઓગસ્ટમાં થનારા વરસાદ પર નક્કી થશે. જો ઓગસ્ટમાં પણ સ્થિતિ યથાવત રહી તો અર્થવ્યવસ્થામાં વી શેપની રિકવરીમાં મુશ્કેલીઓ નોંધાઈ શકે છે.

જૂનમાં, દેશના 20 ટકા હિસ્સામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હતો, 50 ટકા હિસ્સામાં સામાન્ય અને 30 ટકા હિસ્સામાં વધુ વરસાદ પડ્યો હતો. પરંતુ સૌથી વધુ વરસાદ ધરાવતા જુલાઈમાં સામાન્ય કરતા 10 ટકા ઓછો વરસાદ પડ્યો હતો. એટલે કે, પાક માટે પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. ફિચ રેટિંગ્સ લિમિટેડના સ્થાનિક એકમ, ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્રકુમાર પંતે જણાવ્યું હતું કે, વરસાદનું ભૌગોલિક અને સ્થાનિક વિતરણ ખૂબ મહત્વનું છે. જ્યારે આપણે આમાંના કેટલાક ક્ષેત્રોને જોઈએ ત્યારે પરિસ્થિતિ થોડી ચિંતાજનક છે. તેથી, હવે એ જોવાની જરૂર છે કે, જુલાઈમાં રહેલા વરસાદની અછત ઓગસ્ટમાં પૂર્ણ થશે કે કેમ.

જ્યારે બીજી બાજુ અપૂરતા વરસાદને કારણે ચોખા અને ઘઉંના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક ભારત પર માઠી અસર પડી શકે છે. પીવાના પાણીની તંગી સર્જાઈ શકે છે. ઓછા પાક ઉત્પાદનને કારણે ખાદ્યતેલો સહિત અન્ય ચીજવસ્તુઓની આયાતમાં વધારો થઈ શકે છે. કૃષિ કરોડો લોકોને રોજગારી પણ આપે છે, તેથી તેના પર પણ અસર થઈ શકે છે. બાર્કલેઝ બેંકના અર્થશાસ્ત્રી રાહુલ બાજોરીયાએ જણાવ્યું હતું કે, વરસાદનું સ્થાનિક વિતરણ, વાવણીની ગતિ અને જળાશયોના સ્તરનો અભ્યાસ થઈ રહ્યો છે. જળાશયોની હાલત હાલ ઠીક છે, પરંતુ ઓગસ્ટમાં વરસાદ મહત્વપૂર્ણ રહેશે કારણ કે, પાકના ઉત્પાદન પર તેની મોટી અસર પડશે.

મધ્યપ્રદેશના ખેડૂત હરીશ પાટીદારે જણાવ્યા પ્રમાણે, જુલાઇમાં ડાંગરના પાકમાં ભૂગર્ભ જળનો ઉપયોગ થતો હતો, પરંતુ ગરમી એટલી વધારે હતી કે ખેતરોમાં પાણી ગરમ થઈ ગયું હતું. જેના કારણે પાકને વધુ નુકસાન થયું છે.

દક્ષિણ ભારતમાં વરસાદ 14% વધુ, પંજાબમાં 20 ટકા ઘટ્યો
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર એટલે કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં આ સિઝનમાં ચોમાસુ સામાન્ય કરતાં 20 ટકા અને મધ્ય પ્રદેશમાં સામાન્ય વરસાદ કરતા 7 ટકા ઓછો રહ્યો છે. પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં 10 ટકા અને દક્ષિણ ભારતમાં સરેરાશ કરતાં 14 ટકા વધુ વરસાદ થયો છે.

કૃષિની સૌથી મોટી સમસ્યા ચોમાસા પરની તેની નિર્ભરતા : નિષ્ણાતો
દેશની ઘટતી અર્થવ્યવસ્થામાં રિકવરી માટે કૃષિ ક્ષેત્ર મહત્વનો ફાળો આપે છે. રિઝર્વ બેંકે ગ્રામીણ માગમાં વધારાનો અંદાજ મૂક્યો હતો. પરંતુ ખેતીની સૌથી મોટી સમસ્યા વરસાદ પરની તેની નિર્ભરતા છે. ભારતમાં મુખ્યત્વે ચોમાસુ પાકોમાં કપાસ, મકાઈ, શેરડી અને તેલીબિયાં ઉગાડવામાં આવે છે. જો વરસાદ પ્રભાવિત થાય છે, તો આર્થિક રિકવરીમાં અડચણો આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ખેતીકામ કરતા લોકોની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/33xuSQU

Comments

Popular posts from this blog

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

How You can Genarate more Search Traffic Using Voice Search|

Have you Optimize Your Website To Voice Search!  Yes that Is the Biggest Idea of you! You know What? In the Future Everyone Used Voice To find there Looking for! So today I will Teach You How You can Genarate more Search Traffic Using Voice Search! 1.So First Things I have for You that make sure Your website Comapartable  with https:- If Your Website Found On https That's much more Comapartable to Genarate more search traffic From Voice Search!  Now Your Question Is? Why You used that Https on your Website! What happening in http! Then My opinion is much more saw that The 65% voice Searches website is happening on https site!  So if You want to Genarate more search traffic from voice Searches Then  make sure That Your website Comapartable with https!  2.Build Authoritive Domain:-   We found that That Any Site have Lot of link, amazing Content,  Lot Of Social Share and Very Good User Experience!  Overall  Theirs authority...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...