Skip to main content

મુંબઈની જ્વેલરી કંપનીએ SBI સાથે રૂ. 387ની કરોડ છેતરપિંડી કરી, ઓરો ગોલ્ડના અમૃતલાલ જૈન અને રિતેશ જૈન સામે CBIએ ગુનો દાખલ કર્યો

મુંબઈ સ્થિત જ્વેલરી ટ્રેડિંગ કંપની ઓરો ગોલ્ડ જ્વેલરી પ્રા. લિ. અને તેના ડાયરેક્ટરો અમૃતલાલ જૈન અને રિતેશ જૈને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ. 387 કરોડની છેતરપિંડી કરી હોવાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસબીઆઈ દ્વારા સીબીઆઈના એસપી અને એન્ટી કરપ્શન શાખાને પણ છેતરપિંડી અને સંકળાયેલી પાર્ટીઓની વિગતો આપવામાં આવી છે.

અમૃતલાલ અને રિતેન સાથે ફરિયાદમાં અન્ય ત્રણ લોકોનાં નામ પણ નોંધવામાં આવ્યાં છે. 10 સપ્ટેમ્બર, 2014ના રોજ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં આ છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો હતો. આ છેતરપિંડી મુંબઈમાં 2011- 2-15 વચ્ચે થઈ હતી. આરોપીઓએ બેન્કના ભંડોળના ખર્ચે ગેરકાનૂની રીતે લાભ મેળવવા માટે અકાઉન્ટ્સ અને દસ્તાવેજોમાં ચેડાં કર્યાં હતાં, એમ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

હીરાના વેપારી અને ઓરો ગોલ્ડ જ્વેલરી કંપનીના માલિક રિતેશ જૈન સામે બોગસ કંપનીઓ થકી રૂ. 1478 કરોડનો મની લોન્ડરિંગનો કેસ પણ છે. માર્ચમાં તે દુબઈથી આવતાં મુંબઈ પોલીસે તેને ઝડપી લીધો હતો. તે ડિસેમ્બર 2016થી ફરાર હતો.મુંબઈમાં એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ જૈન સામે છેતરપિંડી અને ફોજદારી કાવતરાની ફરિયાદ સપ્ટેમ્બર 2017માં નોંધાવવામાં આવી હતી. જૈન દ્વારા ફરિયાદીને નામે બોગસ કંપની સ્થાપીને અને દસ્તાવેજોમાં ચેડાં કરીને છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદના ખાતામાંથી કરોડોની લેણદેણ જૈને કરી હતી. નવેમ્બર 2016માં એનએમ જોશી માર્ગમાં જૈન અને તેના પિતા અમૃતલાલે નોટબંધી પછી બોગસ કંપનીઓમાં રૂ. 100 કરોડ જમા કર્યા હતા એવો આરોપ કરાયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mumbai-based jewelery company fraud with SBI of Rs 387 crore, CBI file case


from Divya Bhaskar https://ift.tt/2EV507r

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...