Skip to main content

IPLમાં સૌથી સફળ ભારતીય છું, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી, કેટલાક યુવાનો એક સિઝન સારી રમીને ટીમમાં આવી જાય છે : અમિત મિશ્રા

લેગ સ્પિનર અમિત મિશ્રા અનેક વખત ટીમ ઈન્ડિયામાં અંદર-બહાર થયો છે. તેણે છેલ્લી મેચ 2017માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ત્રણ વર્ષથી નેશનલ ટીમમાંથી બહાર રહેલા 37 વર્ષના અમિતને હજુ પણ ટીમ ઈન્ડિયામાં પુનરાગમનની આશા છે. અમિતે 2003માં ડેબ્યુ કર્યું હતું. દિલ્હી કેપિટલ્સના અમિતે કહ્યું કે, તે IPLનૌ સૌથી સફળ ભારતીય બોલર છે, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી, જ્યારે કેટલાક યુવાનો એક સિઝન રમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી લે છે. તેની સાથેની વાતચીતના અંશ...

સવાલ: તમે લીગમાં બીજો સૌથી સફળ બોલર છો, પરંતુ તમને એ શ્રેય મળતું નથી?
અમિત મિશ્રા:
તમે પ્રથમ વ્યક્તિ છો, જેણે મને આ રીતે સંબોધિત કર્યો છે. અગાઉ કોઈએ મારો પરિચય IPLમાં ભારતના સૌથી સફળ બોલર તરીકે આપ્યો નથી. જો મને તક મળતી તો મારા નામે વિકેટો વધુ હોત.

સવાલ: તમે જે સન્માનના હકદાર હતા, એ નથી મળ્યું. શું આ વાત પર નિરાશા થાય છે?
અમિત મિશ્રા:
બિલકુલ. હું છેલ્લા બે વર્ષથી IPLમાં સારું રમું છું. આ દરમિયાન હું ભારતીય ટીમથી બહાર રહ્યો છું, પરંતુ કોઈ ચર્ચા કરતું નથી. અનેક વખત યુવાન ખેલાડી IPLની એક સિઝનમાં સારું રમીને ટીમ ઈન્ડિયામાં આવી જાય છે. છેલ્લા બે દાયકાથી રમતો હોવા છતાં મારે દરેક વખત ખુદને સાબિત કરવાની જરૂર પડે છે.

સવાલ: શું તમને લાગે છે કે ટીમ ઈન્ડિયામાં પુનરાગમન તમારા માટે શક્ય છે?
અમિત મિશ્રા:
બિલકુલ છે અને એટલે જ રમી રહ્યો છું. હું માત્ર IPL માટે રમનારો બોલર નથી.

સવાલ: પુનરાગમન કેટલું મુશ્કેલ હશે?
અમિત મિશ્રા:
અગાઉ અમે હંમેશાં વ્યસ્ત રહેતા હતા. વધુ ક્રિકેટ રમાતી હતી. હવે પુનરાગમન સરળ નહીં હોય. મહેનત કરવી પડશે.

સવાલ: IPL હેટ્રિક અને ટીમ ઈન્ડિયામાં પુનરાગમન, બંનેમાં સરળ શું રહ્યું?
અમિત મિશ્રા:
ભારતીય ટીમમાં પુનરાગમન મુશ્કેલ રહ્યું છે. IPLમાં સારી રમત બતાવવા છતાં, હરિયાણા માટે રણજી ટ્રોફીમાં કેપ્ટનની વધારાની જવાબદારી ઉપાડવા છતાં ટીમ ઈન્ડિયામાં મારું પુનરાગમન થઈ શક્યું નથી. IPLમાં હેટ્રિક લેવી તમારા હાથમાં હોય છે અને બંનેમાં આ જ ફરક છે.

સવાલ: તમને ક્યારેય એવી નિરાશા થઈ કે રમત છોડી દેવાનો વિચાર કર્યો હોય ?
અમિત મિશ્રા:
હા, થઈ છે. જોકે, દરેક વખતે મેં વિચાર્યું કે, જો હું છોડી દઈશ તો તેનો ફાયદો મારા વિરોધીઓને થશે. તેથી નકારાત્મક વિચારોથી બચવા ખુદને મોટિવેટ કરું છું.

સવાલ: ટી20માં તો લેગ સ્પિનરનો દબદબો છે, પરંતુ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં એક પણ લેગ સ્પિનર નથી. આવું કેમ?
અમિત મિશ્રા:
મહેનતના અભાવના કારણે આવું થાય છે. મને હજુ પણ યાદ છે કે, કુંબલે અને વોર્ન જેવા ખેલાડી કેટલી મહેનત કરતા હતા. એક વખત તેંડુલકરે કહ્યું હતું કે, વિદેશ પ્રવાસની તૈયારી મહિનાઓ પહેલા શરૂ કરી દેવી જોઈએ. તો જ તમે ત્યાં સફળ થઈ શકો છો.

અમિતે IPLમાં વિક્રમી 3 હેટ્રિક લીધી છે
અમિત મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 ટી20 રમ્યો છે. તેમાં તેમના નામે ક્રમશ: 76, 64 અને 16 વિકેટ નોંધાયેલી છે. 5 મેચની વનડે સીરિઝમાં સૌથી વધુ 18 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે. 147 IPL મેચમાં 157 વિકેટ લઈને તે IPLનો સૌથી સફળ ભારતીય બોલર છે. IPLમાં સૌથી વધુ 3 હેટ્રિક લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ક્રિકેટર અમિત મિશ્રા-ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/31SIuDF
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...