Skip to main content

બંને હાથ નથી, પગની આંગળીથી બ્રશ પકડી પેઇન્ટિંગ બનાવી વેચી રહી છે જેથી દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ ખોલી શકે

મુશ્કેલી કોના જીવનમાં નથી આવતી, ભગવાન મારા બંને હાથ બનાવવાનું ભૂલી ગયા પરંતુ મેં પગથી જીવવાનું શીખી લીધું. 21 વર્ષીય પ્રિન્સી ગોગોઈ જ્યારે આ વાત કરે છે ત્યારે તેની આંખ અતૂટ વિશ્વાસથી ચમકવા લાગે છે. આસામના નાના શહેર સોનારીમાં જન્મેલી પ્રિન્સીના જન્મથી જ બે હાથ નથી. હાલમાં તે ગુવાહાટીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ફ્રન્ટડેસ્ક એક્ઝિક્યુટિવની નોકરી કરી ઘરખર્ચ પૂરો કરી રહી છે.

પ્રિન્સીએ પગથી લખીને ધોરણ-12ની પરીક્ષા પાસ કરી છે. પ્રિન્સીને પેઈન્ટિંગ, સિંગિગ અને સ્પોર્ટ્સનો શોખ છે. પગની આંગળીથી બ્રશ પકડી પ્રિન્સીએ હાલમાં જ ગણેશનું પેઈન્ટિંગ કર્યું જે 30 હજાર રૂપિયામાં વેચાયું. તે દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ શરૂ કરવા માંગે છે.

પ્રિન્સી ગોગોઈ.

માનસિક બીમાર કહી સ્કૂલે પ્રવેશ આપ્યો નહોતો
પ્રિન્સીએ કહ્યું કે, તેને એક સરકારી શાળામાં ધોરણ-5માં એટલા માટે પ્રવેશ મળ્યો નહોતો કેમકે તેના બંને હાથ નહોતા. એક શિક્ષકે માતાને કહ્યું કે તેઓ માનસિક રોગી બાળકોને પ્રવેશ આપતા નથી. પરંતુ એક દરવાજો બંધ થાય છે તો ઈશ્વર બીજો ખોલી નાંખે છે. ગામની જ એક વ્યક્તિની મદદથી મારો પ્રવેશ એક ખાનગી શાળામાં થયો. ત્યાંથી મેં ધોરણ-10 પાસ કર્યું.

સફળતાનો મંત્ર: રોજ પોતાને પૂછો- હું આ કામ કેવી રીતે વધુ સારી રીતે કરી શકું...

  • એવું કોઈ કામ નથી કે જે થઈ ના શકે. જ્યારે તમે એવો વિશ્વાસ વ્યક્ત કરો કે તમે કોઈપણ કામ કરી શકો છો તો તમારું મગજ એ પૂરું કરવાની રીત શોધી કાઢે છે. આનો કોઈ રસ્તો છે. આવું વિચારવાથી રસ્તો નીકળી આવે છે.
  • પોતાના શબ્દ ભંડોળથી અસંભવ, આ કામ નહીં થઈ શકે, હું આ નહીં કરી શકું, પ્રયત્ન કરવાથી કોઈ ફાયદો નથી... જેવા વાક્યો કાઢી નાંખો.
  • પોતાની જાતને રોજ પૂછો કે ‘હું કંઈ રીતે વધુ સારી રીતે કામ કરી શકું છું? જ્યારે તમે પોતાની જાતને આ પૂછો છો ત્યારે તેનો સારો જવાબ સામે આવશે.’ કરી જુઓ.
  • પોતાના કામની ગુણવત્તા સુધારો. રોજ જેટલું કામ કરતા હો તેનાથી વધુ કરો.
  • પૂછવાની અને સાંભળવાની ટેવ પાડો. યાદ રાખો મોટા લોકો સતત સાંભળે છે, નાના લોકો સતત બોલે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આસામના સોનારીની પ્રિન્સી ગોગોઈ.


from Divya Bhaskar https://ift.tt/345USDi
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...