Skip to main content

સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- ઇશ્વર ગાતા હોત તો તેમનો અવાજ પણ આવો જ હોત...

પદ્મવિભૂષણથી સન્માનિત સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- પંડિત જસરાજની વિદાય શાસ્ત્રીય સંગીતની દુનિયા માટે બહુ મોટી ખોટ તો છે જ, મારું અંગત નુકસાન પણ છે. તેઓ મારા મોટા ભાઇ હતા. 1960-61ના દાયકામાં અમે બન્ને ઘણા પ્રોગ્રામ-ફેસ્ટિવલમાં સાથે પ્રસ્તુતિ આપતા હતા. ક્યારેક અમે તેમનાથી પહેલાં, ક્યારેક તેઓ અમારાથી પહેલાં. પદ્મશ્રી સન્માન પણ 1975માં અમને બન્નેને સાથે જ મળ્યું. સંગીત સુંદર બગીચા જેવું હોય છે, જેમાં જુદા-જુદા રંગના, જુદી-જુદી સુગંધના ફૂલો હોય છે. બગીચામાંથી જે ફૂલ જતું રહે છે તે પાછું નથી આવતું, હવે બીજા જસરાજ પેદા નહીં થઇ શકે.

પંડિત જસરાજ સ્વભાવે પણ બહુ સારા અને મિલનસાર હતા. તેમનો એક પરિવાર મુંબઇમાં છે અને એક અમેરિકામાં. તેઓ અડધો સમય અમેરિકામાં વીતાવતા અને અડધો સમય મુંબઇમાં રહેતા. તેમના શિષ્યોની લાંબી શૃંખલા છે. તેઓ માત્ર શીખવતા નહોતા, વ્યક્તિગત ધોરણે મદદ પણ કરતા. તેમના શિષ્યો તેમની ગાયિકીની પરંપરાને ચોક્કસપણે આગળ વધારશે. અમદાવાદ-ગુજરાત સાથે તેમનો બહુ જૂનો નાતો હતો. હૈદરાબાદમાં તેમના પૂર્વજોની સમાધિ વગેરે છે. આ શહેરો સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો. તેઓ પોતાને મેવાતી ઘરાનાના કહેતા. તેમણે ગાયિકીને એક અલગ અંદાજ, અલગ ઓળખ આપ્યા.

શાસ્ત્રીય સંગીતના સુવર્ણયુગના ગાયકો પૈકી અંતિમ મહાન ગાયક પંડિત જસરાજ જ હતા. પંડિતજી ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ ગુરુ ગુલામ અલી ખાં સાહેબ, અમીર ખાં સાહેબ, પંડિત ભીમસેન જોશી, પંડિત કુમાર ગંધર્વ, ગિરિજા દેવી, બેગમ અખ્તર વગેરેની પરંપરાના તેઓ અંતિમ ગાયક હતા. તેઓ 80મો જન્મદિન મનાવી રહ્યા હતા ત્યારે મેં ફોન કરીને કહ્યું હતું કે તમે 80 વર્ષના લાગતા તો નથી. તાજેતરમાં ટીવી પર આવી રહ્યું હતું કે તેઓ 90 વર્ષના પણ થઇ ગયા હતા પણ મને તો યંગ જસરાજનો ચહેરો જ યાદ રહેશે. પંડિતજીના અવાજમાં અસર, તાસીર, કશિશ હતા. તેઓ ગાતા ત્યારે લાગતું કે ઇશ્વર ગાતા હોત તો તેમનો અવાજ આવો જ હતો. હવે તે અવાજ થંભી ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાન.


from Divya Bhaskar https://ift.tt/3gcVrh6
via

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT