Skip to main content

વેક્સિનમાં ગરબડથી નારાજ એથિક્સ કાઉન્સિલના વરિષ્ઠ ડોક્ટરનું રાજીનામું, કહ્યું - ના ટ્રાયલ, ના નૈતિકતાનું પાલન

કોરોનાવાઈરસ અંગે દુનિયામાં સૌ પ્રથમ વેક્સિન બનાવવાનો દાવા કરનારા રશિયાને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વેક્સિન પર સવાલ ઉઠાવાયા પછી હવે પોતાના જ દેશમાં વિરોધ સહન કરવો પડી રહ્યો છે. વેક્સિન બનાવવામાં ગરબડ અને મેડિકલ એથિક્સનું પાલન ન કરવાથી નારાજ આરોગ્ય મંત્રાલયની નેશનલ કાઉન્સિલના સભ્ય અને વરિષ્ઠ ડોક્ટર એલેક્ઝેન્ડર કુશલિને પદ પરથી રાજીનામું આપી દીધું છે. શ્વાસ રોગના જાણીતા નિષ્ણાત ડો. કુશલિને વેક્સિન બનાવવાની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવીને રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, વેક્સિન બનાવવામાં મેડિકલ એથિક્સનું ગંભીર ઉલ્લંઘન થયું છે. ડો. કુશલિને કહ્યું કે, ‘રાજકીય દબાણમાં વેક્સિનની ઉચિત ટ્રાયલ થઈ નથી કે કોઈ મેડિકલ જર્નલમાં વેક્સિન સાથે જોડાયેલી માહિતી પ્રકાશિત કરાઈ છે.’

બે ડોક્ટર્સ પર લગાવ્યા આરોપ
ડો. કુશલિને કહ્યું કે, આખી પ્રક્રિયામાં બે ડોક્ટર મુખ્ય રીતે સામેલ હતા. ગામાલિયા સેન્ટર ફોર એપિડેમોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના ડિરેક્ટર પ્રો. એલેક્ઝેન્ટર ગિન્ટ્સબર્ગ અને રશિયાના આર્મીના ટોચના વાઈરોલોજિસ્ટ પ્રો. સર્ગેઈ બોરિશેવિક. આ બંનેની ટીમે જ વેક્સિન તૈયાર કરી છે અને મંજૂરી આપનારી ટીમમાં પણ તે હતા.

ડો. કુશલિને કહ્યું કે, ‘મારા પર કંઈ ન કહેવાનું દબાણ બનાવાઈ રહ્યું હતું. હું પૂછવા માગું છું કે, શું તમે રશિયન ફેડરેશન લેજિસ્લેશન અને ઈન્ટરનેશનલ સયન્ટિફિક કમ્યુનિટીની ગાઈડલાન્સનું પાલન કર્યું છે? જો હા, તો તેને જણાવતા કેમ ડરો છો. મેં કોઈ દવા બનાવવા માટે આટલા નિયમોનું ઉલ્લંઘન આજ સુધી જોયું નથી.’

વેક્સિન સુરક્ષિત હોવાની ગેરન્ટી નહીં : ડો. કુશલિન
ડો. એલેક્ઝેન્ડર કુશલિન રશિયાના આરોગ્ય મંત્રાલયની એથિક્સ કાઉન્સિલના સભ્ય હતા. તેમણે કોરોનાવાઈરસની આ વેક્સિન બનાવવામાં કરાયેલી ગરબડ વિરુદ્ધ આ કાઉન્સિલમાંથી રાજીનામું આપી દીધું છે. ડો. કુશલિને કહ્યું - ‘વેક્સિન સ્પૂતનિક-વી માટે જરૂરી મંજૂરી પણ લેવાઇ નથી અને તેની જાહેરાત ઉતાવળે કરાઈ છે. આટલી બધી ગરબડના કારણે આ વેક્સિનના સુરક્ષિત હોવાની હાલ કોઈ ગેરન્ટી નથી. આ અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ વેક્સિનના યોગ્ય હોવા પર સવાલ ઉઠાવ્યા હતા’.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડોક્ટર એલેક્ઝેન્ડર કુશલિન.


from Divya Bhaskar https://ift.tt/3aoeBza
via IFTTT

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...