Skip to main content

ભારતીય અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર, પરંતુ કોરોનાના વધતા કેસો અને લોકલ લૉકડાઉન મોટા પડકારો

દેશની અર્થવ્યવસ્થા એપ્રિલ બાદ સતત રિકવર થઈ રહી છે. જે યોગ્ય માર્ગે આગળ વધી રહી છે. પરંતુ કોરોના વાયરસના વધતા કેસો અને રાજ્ય સરકાર દ્વારા લાગૂ લોકડાઉન આ રિકવરી માટે મોટુ જોખમ બન્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલય અને જાપાની ફાઈનાન્સિયલ કંપની નોમુરા દ્વારા જારી રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

નાણાં મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા જુલાઈના અહેવાલમાં જણાવ્યુ છે કે, એપ્રિલના ઘટાડા પછી ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર રિકવરી થઈ રહી છે. સરકાર અને રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલા મદદ કરી રહ્યા છે. રાજ્યોમાં કોરોના વાયરસના વધતા જતા કેસો અને “તૂટક તૂટક” સ્થાનિક લોકડાઉનને કારણે ભારતની આર્થિક સ્થિતિની રિકવરી નબળી પડી રહી છે. જેના પર સતત દેખરેખ રાખવાની જરૂર છે.

અહેવાલમાં જણાવાયું છે કે, કોવિડ -19 ભારતના વિકાસમાં ફાળો આપનારા ટોચના 12 રાજ્યોમાં 85 ટકા હિસ્સો ધરાવે છે. તેમાં ટોચનાં બે રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં 40% કેસો છે. રિપોર્ટ અનુસાર, અર્થતંત્ર માટે સૌથી ખરાબ તબક્કો પસાર થઈ ગયો હોય તેમ લાગે છે, કારણ કે એપ્રિલ અને મેની તુલનામાં જૂન-જુલાઇમાં જીએસટી કલેક્શન, વીજ વપરાશ, રેલ નૂર અને મુસાફરોના ડેટા, પેટ્રોલ અને ડીઝલ વપરાશ અને ટોલ કલેક્શનમાં સુધારો નોંધાયો છે.

જ્યારે બીજી બાજુ, નોમુરાએ તેના રિસર્ચમાં જણાવ્યું હતું કે, જુલાઇના પ્રારંભિક આર્થિક ડેટા જેમ કે ઓટો વેચાણ અને વીજ વપરાશમાં મજબૂત રિકવરી જારી છે. જે ગતિશીલતા તરફ ધ્યાન દોરે છે. જુલાઈમાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ ઘટવા છતાં અન્ય એશિયન દેશોમાં તેમાં સુધારો થયો છે.

આવી સ્થિતિમાં પીએમઆઈ ભારતમાં પણ સુધરશે. નોમુરાએ ઝડપથી વિકસી રહેલા કોરોના કેસોને મુખ્ય પડકાર ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 8 જૂનથી દેશવ્યાપી લોકડાઉન દૂર કર્યા હતા. શાળા, સિનેમા હોલ અને મંદિર જેવા ફક્ત થોડા સ્થળો પર જ પ્રતિબંધ છે. જો કે, રાજ્યોને તેમના સ્તર પર પ્રતિબંધ લાદવાની મંજૂરી આપવામાં આવી છે.

પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે ફ્યુચર જનરાલી
ભારતની અગ્રણી વીમા કંપનીઓમાં સ્થાન ધરાવતી ફ્યુચર જનરાલી ઈન્ડિયા લાઈફ ઈન્શ્યોરન્સે વૈશ્વિક માર્કેટ રિસર્ચ કંપનીએ તાજેતરમાં એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું હતું કે 50% ગ્રાહકો એવી અપેક્ષા રાખે છે કે આવતા મહિનાઓમાં પરિસ્થિતિ ખરાબ અથવા વધુ ખરાબ થઇ શકે છે. કંપનીના રાકેશ વાધવાએ જણાવ્યું કે સ્વાસ્થ્ય સંબંધિત 3 પાસાં એટલે કે શારીરિક, નાણાંકીય અને માનસિક સંબંધિત ગ્રાહકોની ધારણા વિશે પણ પૂછપરછ કરી હતી.

જુલાઈમાં ઇ-વે બિલમાં વધારો
જુનની તુલનામાં જુલાઈમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના કલેક્શનમાં ઘટાડો થયો છે, જ્યારે ધંધાકીય પ્રવૃત્તિઓ સંબંધિત ઇ-વે બિલ જૂનની તુલનામાં જુલાઈમાં વધારો નોંધાયો છે. વાર્ષિક ધોરણે, જુલાઈ 2020માં ઇ-વે બિલ જુલાઈ 2019ની તુલનામાં માત્ર 7.28 ટકા ઓછા હતા.

માસ વાર ઇ-‌‌‌‌‌‌‌‌‌‌વે બીલ

માસ ઈ-વે બિલ
જુલાઈ 4,83,66,538
જુન 4,34,24,869
મે 2,54,92,670
એપ્રિલ 86,09,447
જુલાઈ-19 5,21,68,892

​​​​​​



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3a0vD6m

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...