Skip to main content

શાળાઓ બંધ થતાં સ્ટેશનરી વેપારીઓને ઝાટકો, વેપાર એપ્રિલ-જૂન દરમિયાન 80 ટકા જેટલો ઘટ્યો

કોરોના મહામારીના લીધે શાળાઓ બંધ થતાં સ્ટેશનરી વેપારને માઠી અસર થઈ છે. ઓનલાઈન અભ્યાસના લીધે દેશભરના સ્ટેશનરી વેપારીઓનો આશરે રૂ. 1600 કરોડનો સ્ટોક વખારોમાં જ પડ્યો રહ્યો છે. એપ્રિલ,મે, અને જૂનમાં સ્ટેશનરી વેપારની સિઝન ગણાય છે. દરવર્ષે આ સમયગાળામાં 4000 કરોડનો વેપાર થાય છે. પરંતુ આ વખતે માત્ર 400 કરોડનો વેપાર જ નોંધાયો છે. આ 3 મહિનાનો વાર્ષિક બિઝનેસમાં 50 ટકા હિસ્સો હતો.

દિલ્હી સ્ટેશનર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્યામ રસ્તોગી અનુસાર, સ્ટેશનરી મામલે દિલ્હી દેશનુ સપ્લાય હબ છે. દેશભરમાં અહીંથી માલ સપ્લાય થાય છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી આ રાજ્યોમાંથી વેપાર બંધ થયો છે. સ્ટેશનરીમાં 3 સેગમેન્ટમાં વેપાર થાય છે. પ્રથમ સ્ટેશનરી, બીજુ બુક અને ત્રીજુ ફાઈલ્સ છે. સ્ટેશનરીમાં સ્કૂલ બેગ, બોટલ, પેન્સિલ બોક્સ, જ્યોમેટ્રી બોક્સ, સેલોટેપ, ગમસ્ટીક, બુક્સમાં નોટબુક, ચોપડાઓ અને ફાઈલ્સમાં તમામ પ્રકારની ફાઈલ સામેલ છે.

વેપારીઓએ 3 મહિનાની સિઝનની તૈયારી કરી
વેપારીઓ આ 3 મહિનાની સીઝનની તૈયારી જાન્યુઆરીથી શરૂ કરે છે. આ માટે તેઓ વ્યાજ પર લોન લે છે. વેપારીઓ વર્ષના નવ મહિનામાં જેટલો વેપાર કરે છે, તે ફક્ત 3 મહિનામાં જ વેચાઈ જાય છે. દિલ્હી સ્ટેશનર્સ એસોસિએશનના પ્રમુખ કાંતિપ્રસાદ ગુપ્તા કહે છે કે, માર્ચના મધ્યમાં કોરોના રોગચાળો મોટા પ્રમાણમાં ફેલાવાની અપેક્ષા ન હોવાથી વેપારીઓએ લોન લઈને માલનો જથ્થો લીધો હતો.

ગણવેશ બનાવનારા વેપારીઓને બેંકો લોન આપી રહી નથી
ઔરંગાબાદના શાંતિદૂત યુનિફોર્મ અને એપેરલના મણીખંડ પોખર્ણાએ જણાવ્યું કે, માર્ચથી ઓગસ્ટ સુધીમાં અમારું ટર્નઓવર રૂ. 1.5 કરોડ છે. શાળા શરૂ થાય તે પહેલાં અમારે 10-20 લાખ રૂપિયાની લોન જોઈએ છે. પરંતુ બેંકો RBIની ગાઇડલાઇન્સ, મોરટોરિયમ, એજ ફેક્ટરને ટાંકીને લોન આપી રહી નથી.

બે લાખ નાના-મોટા વેપારી સ્ટેશનરીના વેપારમાં
સ્ટેશનરીના વ્યવસાયમાં દેશમાં 2 લાખ જેટલા નાના મોટા વેપારી છે. એકલા દિલ્હીમાં લગભગ 15-20 હજાર વેપારીઓ છે. દિલ્હીમાં ધંધો ધીમો થયો છે. તેના પરથી અંદાજ લગાવી શકાય કે, વેપારીઓ અઠવાડિયામાં માત્ર બેથી ત્રણ દિવસ જ દુકાનો ખોલે છે. જ્યારે બીજી બાજુ, દિલ્હીના વિદ્યા બાલ ભવનના અધ્યક્ષ ડો.સત્વીર શર્મા કહે છે કે, ઓનલાઇન ક્લાસના કારણે માતા-પિતા પુસ્તકો અને નોટબુક સિવાયની સ્ટેશનરી વસ્તુઓની ખરીદી ઓછી કરી રહ્યા છે. શાળા દરમિયાન, ઘણી પ્રવૃત્તિઓ હતી.

ઔરંગાબાદમાં 10-12 કરોડનો કારોબાર અટકી પડ્યો
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શાળાઓ બંધ થવાને કારણે સ્કૂલ બેગ, પાણીની થેલીઓ, ગણવેશ, મોજાં, પગરખાં, પટ્ટાઓ વગેરેનો આખો વ્યવસાય અટકી પડ્યો છે. માર્ચ અને જુલાઈ દરમિયાન તેનું ટર્નઓવર રૂ. 10-12 કરોડ રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/31KYBU6

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...