Skip to main content

ડેમોક્રેટ સામે ટક્કર લેવા ટ્રમ્પ ડિજિટલ પ્રચાર પાછળ ચાર દિવસમાં 75 કરોડનો ખર્ચ કરશે

કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. રેલીઓ, ફંડ એકઠું કરવા સભાઓ અને ચૂંટણી મુદ્દા પર ચર્ચા જેવા કાર્યક્રમ લગભગ રદ્દ થઈ ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને અત્યાર સુધી એક પણ રેલી કરી નથી. અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઓગસ્ટના મધ્ય સુધી પાર્ટીઓનાં કાર્યકર્તા વોટરોનાં દરવાજે ટકોરા મારી દેવાતા હતા. આ વર્ષે આમ થયું નથી. ચૂંટણીમાં બંને પાર્ટીઓનું નેશનલ કન્વેન્શન મહત્ત્વનું હોય છે. અહીં પાર્ટીઓ ઉમેદવારોનું નામાંકન સ્વીકારે છે.

ચાલુ વર્ષે ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન એપ્રિલમાં યોજાવાનું હતું, જેને લંબાવીને જુલાઈ અને પછી 17 ઓગસ્ટ કરવું પડ્યું છે. ટ્રમ્પને પણ ફ્લોરિડામાં કન્વેન્શન રદ્દ કરવું પડ્યું છે. તે ચારલોટના કન્વેન્શનમાં પણ સામેલ નહીં થાય. આટલું જ નહીં ટ્રમ્પ વોશિંગટન ડીસીના એન્ડ્ર્યુ મેલન ઓડિટોરિયમમાં નોમિનેશન સ્વીકારશે, પરંતુ ભાષણ વ્હાઈટ હાઉસમાંથી આપશે. ચારલોટ કન્વેન્શનમાં 400 પાર્ટી ડેલિગેટ્સ ભાગ લેશે.

આ વખત પ્રત્યક્ષ રેલીઓ, ઘરે-ઘરે પહોંચીને પ્રચાર જેવી ગતિવિધિઓનું સ્થાન ડિજિટલ માધ્યમે લીધું છે. પાર્ટિઓ વેબસાઈટ, યુટ્યુબ વગેરે પર જાહેરાત આપીને પ્રચાર કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના નેશનલ કન્વેન્શનને મોટી ટક્કર આપવા માટે વિશાળ ડિજિટલ અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. આ કન્વેન્શન ચાર દિવસ સુધી ચાલશે. ટ્રમ્પના પ્રવક્તા ટિમ મુર્તોએ કહ્યું કે, તેમની પાર્ટી આ ચાર દિવસોમાં ડિજિટલ પ્રચાર પાછળ રૂ.75 કરોડનો ખર્ચ કરશે. યુટ્યુબ પર સતત 96 કલાક પ્રચાર કરાશે. આ ઉપરાંત અનેક મોટી વેબસાઈટ અને ન્યૂઝ આઉટલેટ્સ પર કેમ્પેઈન ચલાવાશે. જેની સામે બાઈડેન ટીવી અને રેડિટો દ્વારા પ્રચાર કરી રહ્યા છે.

એડ ટ્રેકિંગ ફર્મ એડવર્ટાઈઝિંગ એનાલિટિક્સ અનુસાર, બાઈડેને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી પ્રચાર પાછળ રૂ.111 કરોડ અને ટ્રમ્પે 53 કરોડ ખર્ચ્યા છે. બંને પાર્ટીઓ આ વખતે ચૂંટણી પ્રચાર કાર્યકર્તાઓની અછતનો પણ સામનો કરી રહી છે. અનેક કાર્યકર્તાઓએ વોટિંગના દિવસે કામ કરવાનો પણ ઈનકાર કરી દીધો છે. એકલા મેરીલેન્ડ રાજ્યમાં જ 14 હજાર કાર્યકર્તાઓની ઘટ છે.

ભારતીયતા : મંત્ર- અરદાસની સાથે ડેમોક્રેટનું કન્વેન્શન શરૂ
ડેમોક્રેટિક પાર્ટીનું ચાર દિવસનું નેશનલ કન્વેન્શન સોમવારથી શરૂ થઈ ગયું છે. તેના માટે દેશભરમાં અલગ-અલગ સ્થળે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પ્રથમ દિવસે ટેક્સાસમાં ઓનલાઈન સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ. જેમાં વેદો અને મહાભારતના શ્લોક વાંચવામાં આવ્યા. શીખ ધર્મની અરદાસ પણ કરાઈ. ટેક્સાસમાં ચિન્મય મિશનના એક અનુયાયીએ મંત્રોચ્ચાર કર્યો. વિસ્કોન્સિન ગુરુદ્વારના શીખ સમુદાયના એક નેતાએ અરદાસ ગાઈ હતી. આ સંમેલનમાં બાઈડેનને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળની સેનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના કાયદેસરના ઉમેદવાર ચૂંટવામાં આવશે. આ અગાઉ ‘બાઈડેન ફોર પ્રેસિડન્ટ’ અભિયાન માટે રવિવારે પણ સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં બાઈડેન અને હેરિસ માટે મહાભારતની પંક્તિઓ વાંચતા કહેવાયું હતું - ‘યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય’. ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે પ્રથમ ચર્ચા 29 સપ્ટેમ્બરના રોજ યોજાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3130Jr2
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...