Skip to main content

પરમાણુ બોમ્બના હુમલાને 75 વર્ષ, 1.36 લાખ પીડિત બચ્યા, જીવનભર આ માટે લોકોને જાગૃત કર્યા, કોરોનાથી અડચણ

જાપાનના હિરોશિમા પર 75 વર્ષ પહેલાં 6 ઓગસ્ટ, 1945ના રોજ અમેરિકાએ પરમાણુ બોમ્બ ‘લિટલ બોય’ ઝીંક્યો હતો. તેમાં 1.40 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આડઅસરનો સામનો કરી રહેલી પેઢી હવે લુપ્ત થવાની અણીએ છે. જાપાનમાં ફક્ત 1,36,700 જ એવા લોકો છે જે એ વિનાશની સાક્ષી પૂરે છે. આ બધા 80થી 90 વર્ષના છે. આ તમામ લોકો કોઈ ને કોઈ અસાધ્ય રોગથી પીડિત છે.

તાજેતરમાં એક સરવેમાં 78 ટકા પીડિતોએ સ્વીકાર્યુ કે જીવનભર તેઓ પોતાના અનુભવ જણાવી દુનિયાને પરમાણુ હુમલાનું નુકસાન જણાવતા રહ્યા પણ હવે તેમની વયને લીધે ઊભા થયેલા પડકારો તથા મર્યાદાઓને લીધે તેઓ આવું કરી શકી રહ્યા નથી. જ્યારે 63.1 ટકા પીડિતોએ કહ્યું કે કોરોનાને લીધે પરમાણુ નિ:શસ્ત્રીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું નથી. મોટી વાત તો એ છે કે પીડિત હોવા છતાં જાપાનના લોકો જ નથી ઈચ્છતા કે તેમનો દેશ પરમાણુ શસ્ત્રોને પ્રોત્સાહન આપે. સરવેમાં 71.4 ટકા પીડિતોએ સ્વીકાર્યું કે જાપાને પણ પરમાણુ નિ:શસ્ત્રીકરણ સંધિને મંજૂરી આપવી જોઈએ.

દર વર્ષે વૉર મેમોરિયલ પર મૃત લોકોને શ્રદ્ધાંજલિ અપાય છે અને પરમાણુમુક્ત દુનિયાનો સંકલ્પ લેવાય છે. મૌન રખાય છે. ચાલુ વર્ષે કોરોનાના ચેપને લીધે કાર્યક્રમ સ્થગિત કરાયા છે. અમુક કાર્યક્રમ વર્ચ્યુઅલ યોજાશે.

US-રશિયા ઘટાડી રહ્યા છે, ભારત-ચીનમાં પરમાણુ હથિયાર વધી રહ્યાં છે, દુનિયામાં કુલ 13,400

દેશ તહેનાત અન્ય 2020માં 2019માં
અમેરિકા 1750 4050 5800 6185
રશિયા 1570 4805 6375 6500
યુકે 120 95 215 200
ફ્રાન્સ 280 10 290 300
ચીન - 320 320 290
ભારત - 150 150 130-140
પાકિસ્તાન - 160 160 150-160
ઈઝરાયલ - 90 90 80-90
ઉત્તર કોરિયા - 30-40 30-40 20-30
કુલ 3,720 9,680 13,400 13,865

(સ્ત્રોત : સ્ટૉકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો તાજેતરનો રિપોર્ટ)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હિરોશિમા ડે પર દેખાવો કરી રહેલા કાર્યકરોની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3kfR0Fl
via IFTTT

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...