Skip to main content

ફ્યૂચર બ્રાન્ડ ઈન્ડેક્સમાં પ્રથમ વખત ભારતની બે બ્રાન્ડ, રિલાયન્સ એન્ટ્રી લેતાંની સાથે જ સીધી બીજા ક્રમે પહોંચી, ટીસીએસ 65મા નંબરે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફ્યૂચર બ્રાન્ડ ઈન્ડેક્સ 2020માં રિલાયન્સ પ્રથમ વખત સ્થાન મેળવી સીધા બીજા ક્રમે પહોંચી છે. દિગ્ગજ બ્રાન્ડ્સને પાછળ પાડી રિલાયન્સ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ બની છે. ઈન્ડેક્સમાં બીજી ભારતીય કંપની તાતા કન્સલ્ટન્સી(ટીસીએસ) છે. જેણે પ્રથમ વખત 65મું સ્થાન હાંસલ કર્યુ છે. અગાઉ 2018ના ઈન્ડેક્સમાં એપલ ચોથા નંબરે હતી. આ વખતે નંબર વન બની છે. મુખ્ય વાત એ છે કે ટોપ-10ની અન્ય બ્રાન્ડની તુલનાએ રિલાયન્સની માર્કેટકેપ સૌથી ઓછી છે.

ઈન્ડેક્સમાં નોંધ– આગામી વખતે રિલાયન્સ નંબર વન પર આવશે
રિલાયન્સની ઉપલબ્ધિ પર ઈન્ડેક્સમાં લખવામાં આવ્યું છે કે, આ વર્ષનું નવું સભ્ય સૌથી વિશિષ્ટ છે. ભારતમાં સૌથી વધુ નફો ધરાવતી કંપનીઓમાં રિલાયન્સ સન્માનિત અને નૈતિક રૂપે વ્યવહારિક કંપનીના રૂપે જોવામાં આવી રહી છે. જે ગ્રોથ, ઈનોવેટિવ પ્રોડક્ટ, અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ માટે પણ જાણીતી છે. લોકો તેની સાથે મજબૂત ભાવનાત્મકતા સાથે જોડાયેલા છે. જેની સફળતાનો શ્રેય મુકેશ અંબાણીના ફાળે જાય છે. અંબાણીએ એક એવી ડિજિટલ કંપની સ્થાપી છે કે, જે ગ્રાહકોની તમામ જરૂરિયાતો પૂરી કરી રહી છે. કંપની આગામી ઈન્ડેક્સમાં ટોપ પર આવી શકે છે.

15 બ્રાન્ડ પ્રથમ વખત યાદીમાં
ઈન્ડેક્સમાં વિશ્વની ટોચની 100 બ્રાન્ડ સામેલ થઈ છે. જેમાં 15 બ્રાન્ડ પ્રથમ વખત આ યાદીમાં સામેલ થઈ છે. જેમાંથી સાતએ ટોપ-20માં સ્થાન મેળવ્યું છે. પ્રથમ વખત સામેલ થનારી કંપનીઓમાં પેપાલ, ડેનહેયર, સઉદી અરામ્કો વગેરે છે.

ફ્યૂચર બ્રાન્ડ ઈન્ડેક્સ
આ ઈન્ડેક્સનું છઠ્ઠું વર્ષ છે. માર્કેટકેપ મુજબ પસંદ કરવામાં આવેલી પીડબ્લ્યુસીની ટોપ-100 કંપનીઓની નાણાકીય શક્તિ ઉપરાંત પરસેપ્શન મુજબ રેન્કિંગ આપે છે.

ટોપ-10 બ્રાન્ડ- બ્રાન્ડ પરસેપ્શન મહત્વપૂર્ણ

કંપની રેન્ક 2020 રેન્ક2018 માર્કેટકેપ લાખ કરોડ રૂ.માં
એપલ 1 4 83.47
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2 પ્રથમ વખત 7.05
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ 3 9 17.55
એનવીડિયા કોર્પ 4 10 12.07
કીચો મોઉતાઉ 5 2 14.77
નાઈકી 6 6 9.67
માઈક્રોસોફ્ટ 7 12 90
ASML હોલ્ડિંગ્સ 8 પ્રથમ વખત 8.47
પેપાલ 9 પ્રથમ વખત 8.4
નેટફ્લિક્સ 10 15 12.37

​​​​



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2DGaja8

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...