ભારતમાં બાળકોનું વેક્સિનેશન 60% સુધી ઘટી ગયું, બ્રિટનમાં હોસ્પિટલ બંધ હોવાથી 16 હજાર લોકો મોતને ભેટ્યા
કોરોનાથી બચવા માટે દુનિયાભરની નજર વેક્સિન પર છે. પણ આ સંકટ દરમિયાન દેશમાં બાળકોને બીમારીઓથી બચાવતું વેક્સિનેશન અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. દેશમાં માર્ચથી જૂન સુધી ઈમ્યૂનિટી વધારતા વેક્સિનેશનમાં 60%નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને લીધે નાણાકીય વર્ષ 2020નું વેક્સિનેશન 40% સુધી નીચે જઈ શકે છે.
બ્રિટન: લૉકડાઉનમાં હોસ્પિટલ બંધ હોવાથી 16 હજાર લોકો મૃત્યુ પામ્યા
લંડનઃ બ્રિટન સરકારના આંકડા અનુસાર કોરોનાના ચેપને રોકવા માટે લગાવેલું લૉકડાઉન લોકોના મૃત્યુનું મોટું કારણ બન્યું. અહીં 23 માર્ચથી 1 મે દરમિયાન હોસ્પિટલ બંધ રહેવા અને સ્વાસ્થ્ય સુવિધાઓ ન મળવાને લીધે 16 હજાર લોકો મૃત્યુ પામ્યા. આ સમયગાળામાં કોરોનાને લીધે 25 હજાર લોકો મૃત્યુ પામ્યા. 6 હજાર મૃત્યુ ફક્ત એટલા માટે થયા કેમ કે ચેપના ડરથી લોકો હોસ્પિટલે જ ન ગયા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3a85hzf
Comments