Skip to main content

હજી 5 દિવસ ભારે વરસાદની અગાહી, રાજ્યમાં 80% વરસાદ, ગુજરાતમાં અત્યાર સુધી 26 ઈંચ વરસાદ, ચોમાસાના 26 દિવસ બાકી

સુરત જિલ્લામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના માંડવી તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે મહુવામાં 9 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સાથે ચોર્યાસી-પલસાણામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સુરત શહેરના પરવટપાટિયા-લિંબાયતમાં ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ ફરી ખાડીપૂરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલમાં મીઠીખાડી સ્થિર તો સીમાડા અને ભેદવાડ ખાડીના સ્તર વધ્યા છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદના આંકડા

નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક 3થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા પર મેઘો મંડાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં દોઢ ઇંચ, ઊનામાં 1 ઇંચ, તાલાલા ગ્રામ્યમાં 12 ઇંચ અને તાલાલા ગિરમાં 8 ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને વેરાવળમાં 1 ઇંચ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં દોઢ ઇંચ, જૂનાગઢ પોણો ઇંચ, ભેંસાણ પા ઇંચ, મેંદરડા દોઢ ઇંચ, માંગરોળ 2 ઇંચ, માણાવદર અડધો ઇંચ, માળિયા હાટીના દોઢ ઇંચ, વંથલી 1 ઇંચ અને વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં પોણો ઇંચ અને બગસરામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.

સૌથી વધારે અને સૌથી ઓછા વરસાદના જિલ્લાવાર આંકડા

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સતલાસણામાં 2 ઇંચ, વિસનગર-કડીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 3, ડીસામાં 2 અને દાંતીવાડા-ધાનેરામાં 1-1 ઇંચ જ્યારે સાબરકાંઠાના વડાલી અને ઇડરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

તાલુકો વરસાદ (ઇંચ)
તાલાલા (ગ્રામ્ય) 12
માંડવી (સુરત) 10
ડોલવણ 9
મહુવા (સુરત 9
વાંસદા 7
નવસારી 6
બારડોલી 6
વાલોડ 6
વઘઈ 5.5
ગણદેવી 5
પલસાણા 5
વ્યારા 4.5
આહવા 4.5
નખત્રાણા 4.5
ચીખલી 4.5
જોડિયા 4.5
કડી 4

રાજ્યના ડેમની સ્થિતિ

  • 206 ડેમમાં પાણી 60 ટકા 79 ડેમમાં 100 ટકા પાણી
  • 94 ડેમ હાઈ એલ ઉપર એટલે કે 90%થી વધુ ભરાયા.
  • 10 ડેમ એલર્ટ ઉપર એટલે કે 80થી 90% ભરાયા
  • 74 ડેમ વોર્નિંગ ઉપર એટલે કે 70થી 80% ભરાયા
  • સરદાર સરોવર ડેમ 54% ભરાયો
  • અન્ય ડેમો 70%થી ઓછા ભરાયા


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભારે વરસાદને કારણે ઘોડાપૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા.


from Divya Bhaskar https://ift.tt/3203rg9
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...