Skip to main content

બાયજુ, કોકાકોલા, એમેઝોન અને રિલાયન્સ ટાઈટલ સ્પોન્સરની રેસમાં, જોકે 440 કરોડ રૂપિયા મળવા મુશ્કેલ

BCCI આઈપીએલની વર્તમાન સીઝનના ટાઈટલ સ્પોન્સર માટે ટૂંક સમયમાં જ અરજીઓ મગાવી શકે છે. બોર્ડે વીવોને ખસેડવાની ગુરુવારે આધિકારીક જાહેરાત કરી છે. જોકે, કરાર 2022 સુધીનો છે. હવે કંપની સાથે આગામી સીઝનમાં નવેસરથી કરાર થઈ શકે છે. વીવો દર વર્ષે સ્પોન્સર તરીકે રૂ.440 કરોડ આપે છે. નવા ટાઈટલ સ્પોન્સરની રેસમાં બાયજુ, એમેઝોન, રિલાયન્સ જિયો અને કોકાકોલા ઈન્ડિયા છે. જોકે, કોરોનાના કારણે અત્યાર કંપનીઓ આર્થિક મંદીમાં છે. આથી નવા કરારમાં બોર્ડને 440 કરોડ મળવા મુશ્કેલ છે. બાયજુ ટીમ ઈન્ડિયાની પહેલાથી જ સ્પોન્સર છે. થોડા દિવસો અગાઉ કંપનીએ વિવિધ રોકાણકારો પાસેથી રૂ.3700 કરોડ મેળવ્યા છે. બાયજુના અધિકારીએ કહ્યું કે, કંપનીએ ડીલ માટે રૂ.300 કરોડ રાખ્યા છે. કોકાકોલા ઈન્ડિયાએ કહ્યું કે, અમે ક્રિકેટમાં સતત રોકાણ કરતા રહેવા માગીએ છીએ. કોઈ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

ફ્રેન્ચાઈઝી ગેટ મની અને સ્પોન્સરશિપથી થનારા નુકસાનની ભરપાઈ ઈચ્છે છે
બોર્ડ એક બાજુ વીવોના સ્થાને બીજો સ્પોન્સર શોધી રહ્યું છે, બીજી તરફ અનેક ફ્રેન્ચાઈઝીએ પોત-પોતાની માગ મુકી છે. એક ફ્રેન્ચાઈઝી ગેટ મનીથી થનારા નુકસાનની ભરપાઈ ઈચ્છે છે, કેમ કે આ વખતે મેચ ફેન્સ વગર થવાની છે. બીજા એક ફ્રેન્ચાઈઝી વીવોના ખસ્યા પછી બોર્ડ પાસેથી પૈસા માગ્યા છે. દરેક ફ્રેન્ચાઈઝીને સ્પોન્સર તરફથી લગભગ રૂ.20-20 કરોડ મળતા હતા.

એસઓપી ધ્યાનમાં રાખવી પડશે, એક કેસથી ઈવેન્ટ બરબાદ થઈ જશે
કિંગ્સ ઈલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ કહ્યું કે, ભલે સ્પોનસરની વાત થઈ રહી છે, પરંતુ અમારે બોર્ડ પાસેથી મળેલા એસઓપીનું ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ કે, કોવિડ-19નો એક કેસ ટૂર્નામેન્ટ દરમિયાન આવી ગયો તો આખી ઈવેન્ટ બરબાદ થઈ જશે. અનેક ફ્રેન્ચાઈઝીએ બોર્ડ દ્વારા અપાયેલી એસઓપીમાં રાહત માગી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
IPL મેચની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3gAAoGf
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...