Skip to main content

અમદાવાદમાં 2500 કરોડના રોકાણ સાથે 7 લક્ઝુરિયસ હોટલ્સ લોન્ચ થશે

ફાર્મા, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ઓટોથી માંડીને એગ્રીકલ્ચર ક્ષેત્રે હબ બની રહેલું ગુજરાત ધીરે ધીરે હોટલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. સાંસ્કૃતિક, પ્રાકૃતિક, ધાર્મિક, આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતા અમદાવાદ-તેની આસપાસના વિસ્તારમાં તાજ, કોર્ટયાર્ડ મેરિયોટ્સ સહિત નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સની સાત લક્ઝુરિયસ હોટલ્સના પ્રોજેક્ટ્સ આકાર લઇ રહ્યા છે.

વિદેશી મૂડીરોકાણ પ્રવાહ અને સતત વધતો વિદેશી પ્રવાસીઓનો પ્રવાહ જોતાં એકથી દોઢ વર્ષમાં અંદાજિત કુલ રૂ. 2500 કરોડનું મૂડીરોકાણ ધરાવતાં તમામ પ્રોજેક્ટ લોન્ચ થઇ જશે. 1200 નવા રૂમ્સ ઉમેરાવા સાથે કુલ કેપેસિટી 4000 રૂમ્સ થઇ જવાની ધારણા છે. સિંધુભવન રોડ ઉપર તાજ હોટલ અને કોર્ટયાર્ડ બાય મેરિયોટ્સ, આઇટીસી નર્મદા તેમજ ગાંધીનગરની લીલા વર્ષાન્ત સુધીમાં લોન્ચ થવાની ધારણા છે.

અમદાવાદનો હોટલ ઉદ્યોગ એટ એ ગ્લાન્સ

  • છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં હોટલ માર્કેટ 51 ટકાના દરે ગ્રોથ કરી રહ્યું છે. અન્ય નાની મોટી 360થી પણ વધુ હોટલ્સ ધરાવે છે અમદાવાદ
  • 2013-14માં 1500 ક્લાસિફાઇડ હોટલ રૂમ્સ હતાં તે સંખ્યા 2018ના અંત સુધીમાં બમણી એટલેકે 3000 આસપાસ થઇ ગયા છે.
  • આગામી થોડા વર્ષોમાં વધુ 1200 બ્રાન્ડેડ હોટલ રૂમ્સ ઉમેરાય તેવી શક્યતા છે. તે જોતાં અમદાવાદનું હોટલ માર્કેટ ભારતમાં મુખ્ય માર્કેટ્સમાં સ્થાન મેળવવા સજ્જ છે.
  • કોવિડ-19 પહેલાની સ્થિતિ અનુસાર અમદાવાદમાં આશરે રૂ. 4000ના એવરેજ રેટ ધરાવતી હોટલ્સનો રૂમ ઓક્યુપન્સી રેશિયો 63 ટકા રહ્યો હતો.
  • સાણંદ, બેચરાજી (વિઠલાપુર) સહિત સંખ્યાબંધ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ ડેવલોપ થવા ઉપરાંત તહેવારોમાં સહેલાણીઓની સંખ્યા જોતાં પણ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ઘણો ઊંચો છે.
  • અમદાવાદમાં હાલ 28 ટોચની હોટલ્સમાં 2860 રૂમ્સ ઉપલબ્ધ છે. જેમાં રૂ. 7000થી માંડીને રૂ. 50000ના પ્રેસિડેન્સિયલ સ્વીટ્સનો સમાવેશ થઇ જાય છે.

હોટલ ઇન્ડસ્ટ્રીમાં પણ અમદાવાદ ટૂંકાગાળામાં હબ બની શકે
ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, કોવિડ-19 પછી પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોવાથી હોટલ ઇન્ડસ્ટ્રી માટે પણ ગ્રોથની શક્યતા વધુ છે. 2020-21 પછી હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ મૂડીરોકાણ અને પ્રવાસીઓનું પ્રમાણ વધશે તેવો આશાવાદ સેવાય છે.

હોટલ્સની કેપેસિટી અને રોકાણ

હોટલ રૂમ્સ રોકાણ*
તાજ હોટલ સિંધુભવન રોડ 315 600
કોર્ટયાર્ડ બાય મેરીયોટ, સિંધુભવન 155 300
ધ લીલા પેલેસ, ગાંધીનગર 300 550
આઇટીસી નર્મદા, વસ્ત્રાપુર 307 600

(નોંધઃ * આંકડા અંદાજિત રૂપિયા કરોડમાં દર્શાવે છે. કોવિડ-19 ક્રાઇસિસ દરમિયાન વિલંબના કારણે તેમાં વધારો થયો હોવાની સંભાવના છે. સ્રોતઃ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસો., ગુજરાત સરકાર)

હોટલ્સમાં કેવી હશે ફેસેલિટીસ

  • તાજ હોટલ્સમાં ફેસેલિટીસ: 315 રૂમ્સ, ઓલ- ડે ડિનર, સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ, ટી લોન્જ બેન્ક્વેટ અને કોન્ફરન્સ હોલ્સ ઉપરાંત સ્પા, સ્વીમિંગ પુલ અને ફિટનેશ સેન્ટર
  • આઇટીસી નર્મદા: 307 રૂમ્સ, રેસ્ટોરન્ટ્સ, કોફી હાઉસ, બેન્ક્વેટ હોલ, પાર્ટી હોલ, સ્વીમિંગ પૂલ, સ્પા- ફિટનેસ સેન્ટર
  • ધ લીલા પેલેસ, ગાંધીનગર: 300+ રૂમ્સ, મિટિંગ, કન્વેન્શન હોલ્સ, એક્ઝિબિશન સેન્ટર્સ, કોન્ફરન્સ હોલ, સેમિનાર રૂમ્સ.
  • કોર્ટયાર્ડ બાય મેરિયોટ્સ: 100+ રૂમ્સ, બેન્ક્વેટ અને કોન્ફરન્સ હોલ્સ ઉપરાંત સ્પા, સ્વીમિંગ પુલ અને ફિટનેસ સેન્ટર
  • શેરેટોન ગ્રાન્ડ, એસપી રીંગ રોડ: એસપી રીંગ રોડ ઉપર ભાડજ નજીક સૂચિત પ્રોજેક્ટ તૈયાર થશે. તે મેરેજ હોલ સહિતની તમામ ફેસેલિટીસથી સજ્જ હશે.

ઓક્યુપન્સી રેટમાં અમદાવાદ પાછળ

શહેર ઓક્યુપન્સી રેટ
મુંબઇ 77.1
નવી દિલ્હી 72.5
ગોવા 71.8
કોલકાતા 70.8
જયપુર 67.9
બેંગલુરુ 66
ચેન્નાઇ 65
અમદાવાદ 63.9

ગુજરાતમાં ટૂરિસ્ટ પ્રવાહ

વર્ષ સંખ્યા કરોડ
2015-16 3.83
2016-17 4.48
2017-18 5
2018-19 6.5


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
7 Luxurious Hotels will be launched in Ahmedabad with an investment of Rs 2500 crore


from Divya Bhaskar https://ift.tt/2DKF65H

Comments

Popular posts from this blog

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

How You can Genarate more Search Traffic Using Voice Search|

Have you Optimize Your Website To Voice Search!  Yes that Is the Biggest Idea of you! You know What? In the Future Everyone Used Voice To find there Looking for! So today I will Teach You How You can Genarate more Search Traffic Using Voice Search! 1.So First Things I have for You that make sure Your website Comapartable  with https:- If Your Website Found On https That's much more Comapartable to Genarate more search traffic From Voice Search!  Now Your Question Is? Why You used that Https on your Website! What happening in http! Then My opinion is much more saw that The 65% voice Searches website is happening on https site!  So if You want to Genarate more search traffic from voice Searches Then  make sure That Your website Comapartable with https!  2.Build Authoritive Domain:-   We found that That Any Site have Lot of link, amazing Content,  Lot Of Social Share and Very Good User Experience!  Overall  Theirs authority...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...