Skip to main content

લિયોનેલ મેસી 20 વર્ષ પછી બાર્સેલોના છોડી શકે છે, માનચેસ્ટર સિટી સાથે જોડાઈ શકે છે

ચેમ્પિયન્સ લીગમાં બાયર્ન મ્યુનિખ સામે 2-8ના કારમા પરાજય પછી સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના પોતાની ટીમના મોટાભાગના ખેલાડીઓને વેચી શકે છે. જોકે, તે એક ખેલાડીને હજુ પણ પોતાની સાથે રાખવા માગે છે અને તે છે લિયોનેલ મેસી. જોકે, મેસી તાત્કાલિક ક્લબ છોડવા માગે છે.

બ્રાઝીલ સ્પોર્ટ્સ ચેનલ એસ્પોર્ટે ઈન્ટેરેટિવોના રિપોર્ટ અનુસાર, મેસી બીજી ક્લબમાં જવા માગે છે. જો આમ થયું તો મેસી 20 વર્ષમાં પ્રથમ વખત તે બાર્સેલોના છોડશે. મેસીએ સપ્ટેમ્બર, 2000માં 13 વર્ષની ઉંમરે એક પેપર નેપકિન પર બાર્સિલોના સાથે કરાર કર્યો હતો. તેણે 2004થી સીનિયર ટીમમાં રવાનું શરૂ કર્યું હતું. મેસીના ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી કે ફ્રેન્ચ ક્લબ પીએસજી સાથે જોડાવાના સમાચાર છે.

આ ક્લબોમાં મેસીને ખરીદવાની સ્પર્ધા

  • માનચેસ્ટર સિટી : ઈંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર સિટી પણ ચેમ્પિયન્સ લીગમાં ફેંકાઈ ગઈ છે. તે આ વખતે ઘરેલુ પ્રીમિયર લીગ પણ જીતી શકી નથી. કોચ પેપ ગુઆર્ડિઓલા અગાઉ બાર્સિલોનાને કોચિંગ આપી ચુક્યા છે. તેઓ મેસીને ક્લબ સાથે જોડીને માન્ચેસ્ટર સિટીને ચેમ્પિયન બનાવવા માગે છે.
  • ઈન્ટર મિલાન : ઈટાલિયન ક્લબ છેલ્લા અનેક વર્ષોથી મેસીને પોતાની સાથે લેવા માગે છે. મેસીના હરીફ રોનાલ્ડો પણ ઈટાલીની યુવેન્ટસ તરફથી રમે છે. આથી ઈન્ટર મેસીને જોડીને ફરી વખત બંને ક્લબ વચ્ચે રાઈવલરી શરૂ કરવા માગે છે. ઝેવિયર જાનેટી ઈન્ટર મિલાન બોર્ડના વાઈસ પ્રેસિડન્ટ છે.
  • નેવેલ્સ ઓલ્ડ બોય્ઝ : આર્જેન્ટિનાની આ ક્લબ મેસીની પ્રારંભિક ક્લબ છે. તે 6 વર્ષની વયે આ ક્લબ સાથે જોડાયો હતો અને 500 ગોલ કર્યા હતા.
  • અલ-સાદ : કતરની ક્લબના મેનેજર બાર્સિલોનાના પૂર્વ કેપ્ટન જાવી છે. કતરમાં વર્લ્ડ કપ પણ છે. આથી ક્લબ મેસીને લેવા માગે છે.

1180 કરોડ સાથે મેસી દુનિયાનો સૌથી શ્રીમંત ફૂટબોલર છે
મેસી દુનિયાનો સૌથી શ્રીમંત ફુટબોલર છે. મેસીએ ગયા વર્ષે રોનાલ્ડો કરતાં 11 મિલિયન પાઉન્ડ (રૂ.108 કરોડ) વધુ કમાયા છે. મેસીની કમાણી રૂ.1180 કરોડ છે, જ્યારે રોનાલ્ડોની કમાણી રૂ.1072 કરોડ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લિયોનેલ મેસી.


from Divya Bhaskar https://ift.tt/316iSo0
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...