Skip to main content

1940 પછી પ્રથમ વખત આ દાયકામાં સૌથી ઓછી ટેસ્ટ રમાઈ, પ્રથમ વખત વનડે પણ ઓછી રમાઈ

ઓસ્ટ્રેલિયા-વેસ્ટઈન્ડીઝ વચ્ચે ઓક્ટોબરમાં યોજાનારી ત્રણ મેચની ટી20 સીરિઝ સ્થગિત થઈ છે. હવે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે યોજાનારી IPL દરમિયાન કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાઈ ન હતી. ટી20 લીગ શરૂ થયા પછી ઈન્ટરનેશનલ ક્રિકેટના કાર્યક્રમ પર પણ તેની અસર દેખાઈ છે. 1940 પછી પ્રથમ વખત આ દાયકા એટલે કે, 2010થી 2019 વચ્ચે સૌથી ઓછી ટેસ્ટ રમાઈ. આટલું જ નહીં, વનડેની મેચમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો નથી. લીગમાં ખેલાડીઓને મોટી આવક થાય છે. જેના કારણે આ બંને ફોર્મેટને બચાવા માટે આઈસીસીએ 2019થી ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ’ અને 2020થી ‘વર્લ્ડ કપ સુપર લીગ’ની શરૂઆત કરી છે.

જોકે, ટી20 ઈન્ટરનેશનલમાં 700 ટકાનો ઉછાળો
ટી20 લીગના કારણે ભલે ટેસ્ટ અને વનડે મેચ ઓછી રમાતી હોય, પરંતુ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ઘટાડો થયો નથી. 2000ના દાયકામાં 16 ટીમ વચ્ચે કુલ 127 ટી20 ઈન્ટરનેશનલ રમાઈ હતી. જ્યારે 2010ના દાયકામાં ટીમોની સંખ્યા વધીને 72 મેચની સંખ્યા વધીને 897 થઈ છે.

2008માં IPLની સફળતાએ અન્ય દેશોને તક આપી2008માં BCCIએ IPLની શરૂઆત કરી. આજે બોર્ડને 90% રેવેન્યુ IPLથી થાય છે. આઈપીએલની જો વર્તમાન સીઝન ન રમાતી તો બીસીસીઆઈને લગભગ 4 હજાર કરોડનું નુકસાન થતું. ઓસ્ટ્રેલિયામાં 2011માં બિગ બેશ લીગ, વિન્ડીઝ બોર્ડે 2013માં CPL-પાક.એ 2016માં PCLની શરૂઆત કરી છે.

બોર્ડર અને અખ્તરે IPLના આયોજન પર સવાલ ઉઠાવ્યા
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરે કહ્યું કે, BCCI ક્રિકેટ ચલાવી રહ્યું છે. જેના કારણે IPLને મહત્ત્વ અપાઈ રહ્યું છે. વર્લ્ડ ટૂર્ના.ના બદલે ઘરેલુ ટૂર્નામેન્ટને પ્રાથમિકતા અપાઈ રહી છે. પાક.ના પૂર્વ ફાસ્ટ બોલર અખ્તરે પણ કહ્યું હતું કે, IPLના કારણે ટી20 એશિયા કપ અને ટી20 વર્લ્ડ કપને ટાળવામાં આવ્યો.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી20 સીરિઝ પણ નહીં રમાય, આવતા વર્ષે રમાશે આ સીરિઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓક્ટોબરમાં ત્રણ મેચની ટી20 સીરિઝ યોજાવાની હતી. જોકે, આ દરમિયાન યુએઈમાં આઈપીએલનું આયોજન થવાનું છે. આથી આ સીરિઝ પણ નહીં રમાય. ટીમ ઈન્ડિયાએ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે. આ દરમિયાન ટીમે ચાર ટેસ્ટ અને ત્રણ વનડે સીરિઝ રમવાની છે. જેમાં એક ડે-નાઈટ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. પછી ટી20 સીરિઝ રમાઈ શકે છે.

ટેસ્ટ : છેલ્લા દાયકામાં 464 મેચ રમાઈ

વર્ષ મેચ ટીમ
1940 45 6
1950 164 7
1960 186 7
1970 198 7
1980 266 7
1990 347 9
2000 464 11
2010 433 12

વન ડે: છેલ્લા દાયકામાં સૌથી વધુ 24 ટીમો ઉતરી

વર્ષ મેચ ટીમ
1970 82 9
1980 516 9
1990 933 14
2000 1405 24
2010 1287 23


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કેપ્ટન કોહલીએ નવા બેટ અને પેડ સાથે આ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.


from Divya Bhaskar https://ift.tt/2Dd671P
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...