Skip to main content

રશિયાએ કોરોના વાયરસ વેક્સીનની જાહેરાતના પગલે સોના-ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનું રૂપિયા 1600, ચાંદી 2500 તૂટી

સોના-ચાંદીમાં આવેલી ઝડપી એકતરફી તેજીને બ્રેક લાગી છે. રશિયા દ્વારા સૌ પ્રથમ કોરોના વાયરસ વેકસીનની જાહેરાતના અહેવાલે આજે વૈશ્વિક બજારમાં સોનામાં ઝડપી ઘટાડો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 50 ડોલર ગબડી 2000 ડોલરની અંદર 1992 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જેના પગલે અમદાવાદ ખાતે સોનામાં રૂ.1600નો જંગી ઘટાડો થઇ 56000ની સપાટી અંદર 55900 બોલાયું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ 28 ડોલરની સપાટી જાળવી રાખી છે. પરંતુ અમદાવાદ ખાતે ચાંદી ઝડપી રૂ.2500ના ઘટાડા સાથે 70000ની સપાટીએ પહોંચી છે. સેફહેવન ગણાતા એવા રોકાણકારોને સોનાએ છેલ્લા 5 માસમાં 40 ટકા, ચાંદીમાં બમણું રિટર્ન આપ્યું છે.

કોરોના મહામારીને અંદાજે સાતેક મહિનાનો સમય વિત્યા બાદ પહેલી વેકસીન રશિયા દ્વારા શોધ કરાઇ છે જેના કારણે વૈશ્વિક બજારોમાં મોટી મૂવમેન્ટ જોવા મળી હતી. સેફહેવન ગણાતા એકમાત્ર સોના-ચાંદીમાં કોરોના સમયમાં એટલે કે માર્ચથી અત્યાર સુધીમાં સોનામાં 40 ટકા અને ચાંદીમાં 90ટકાથી વધુ ઉછળી છે. અમદાવાદ ખાતે રૂ.73500 અને સોનાએ રૂ.58000ની સપાટીએ પહોંચ્યા બાદ નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો છે. કોરોના વાયરસ વેકસીનની શોધ થતા આગામી સમયમાં હેજફંડો, એચએનઆઇ ઇન્વેસ્ટર્સ, ગોલ્ડ ઇટીએફમાં વેચવાલી આવી શકે છે. સ્થાનિક બજારમાં સોનું ઘટી 53000 અને ચાંદી 67000 સુધી આવી શકે છે.

ચાંદી વાયદામાં 4200, સોનું 1800થી વધુ તૂટ્યું
હાજર બજારની સાથે વાયદામાં પણ આક્રમક વેચવાલી આવી છે. એમસીએક્સ ખાતે ચાંદી સપ્ટેમ્બર વાયદો 4026 એટલે કે 5.34 ટકાના ઘટાડા સાથે 71368 અને ડિસેમ્બર વાયદો 5.50 ટકા એટલે 4296 રૂપિયાના ઘટાડા સાથે 74000ની અંદર 73960 બોલાઇ રહ્યો છે જ્યારે સોનાનો ઓક્ટોબર વાયદો 3.30 ટકા એટલે 1814 ઘટી 53132 બોલાઇ ગયો છે. હજુ ચાંદી અને સોનામાં 5-10 ટકાના ઘટાડાની શક્યતા બૂલિયન એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે.

મુખ્ય ત્રણ શહેરોમાં સોના-ચાંદીની મૂવમેન્ટ

શહેર સોનું ઘટાડો
અમદાવાદ 55900 -1600
દિલ્હી 54763 -1317
મુંબઇ 53951 -990
શહેર ચાંદી ઘટાડો
અમદાવાદ 70000 -2500
દિલ્હી 73600 -2943
મુંબઇ 71211 -2000


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2DIQfEm

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...