Skip to main content

15 દેશના કેબિનેટ મંત્રીઓના વજનનો અભ્યાસ, ચોંકાવનારા પરિણામ મળ્યાઃ સરકાર જેટલી ભારે, દેશમાં તેટલો વધુ ભ્રષ્ટાચાર

દક્ષિણ ઇંગ્લેન્ડના બકિંગહામશાયરના હાઇ વાયકોમ્બે શહેરના સાંસદ, મેયર અને કોર્પોરેટર દર વર્ષે જાહેરમાં પોતાનું વજન કરાવતા હતા, જનતાને એ જણાવવા માટે કે ટેક્સના નાણાનો ઉપયોગ કરતા કરતા તેમનું વજન વધ્યું નથી. કોઇ નેતાનું વજન થોડુંય વધેલું જણાય તો ટોળું હોબાળો મચાવી દેતું. વર્ષો જૂની આ કવાયતની વર્તમાન સંદર્ભમાં પ્રાસંગિકતા જાણવા ફ્રાન્સની મોન્ટેપેલિયર બિઝનેસ સ્કૂલના સંશોધક પાવ્લો બ્લાવસ્કીએ રસપ્રદ અભ્યાસ કર્યો. તેમણે 15 દેશની સરકારોના કેબિનેટ મંત્રીઓના વજનનો અભ્યાસ કર્યો, જેના પરિણામ ચોંકાવનારા રહ્યા. તે દર્શાવે છે કે સરકાર જેટલી ભારે ભરખમ છે તે દેશમાં તેટલો જ વધુ ભ્રષ્ટાચાર છે.

જ્યાં મેદસ્વીતા વધુ ત્યાં ભ્રષ્ટાચાર વધુ હોવાનો દાવો
બ્લાવસ્કીએ 300 કેબિનેટ મંત્રીની તસવીર પરથી તેમના બૉડી-માસ ઇન્ડેક્સ (બીએમઆઇ)નો અંદાજ બાંધ્યો. તેને મિલાન વર્લ્ડ બેન્ક અને ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના આંકડા સાથે મેળવ્યા. તેમણે નોંધ્યું કે જે દેશોના મંત્રીઓનો બીએમઆઇ વધુ હતો તે વધુ ભ્રષ્ટ દેશોમાં સામેલ હતા. એસ્ટોનિયા, લિથુઆનિયા, લાત્વિયા અને જ્યોર્જિયા ઓછા ભ્રષ્ટ દેશ હતા. આ 4 દેશની કેબિનેટ પણ સૌથી સુડોળ હતી જ્યારે તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વધુ હતો તો ત્યાંની કેબિનેટ પણ મેદસ્વી હતી. અભ્યાસમાં તમામ 15 દેશના અંદાજે એક-તૃતીયાંશ મંત્રીઓ સૌથી મેદસ્વી જણાયા. ઉઝબેકિસ્તાનના 54 ટકા અને તાજિકિસ્તાનના 44 ટકા મંત્રી મેદસ્વી જણાયા. માત્ર 3 ટકા મંત્રી સામાન્ય વજન શ્રેણીમાં હતા. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનની છબિ ભલે સ્વસ્થ પુરુષની હોય પણ તેમની કેબિનેટ પડોશી દેશોની માફક મેદસ્વી છે.

ગરીબ-ઓછા વજનવાળી વસતી ધરાવતા દેશોમાં ઓછો ભ્રષ્ટાચાર
બ્લાવસ્કી કહે છે કે મેદસ્વી લોકો સંતોષી દેખાતા હોય છે પણ તેઓ લોભી હોય છે. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલનો રિપોર્ટ જોતાં માલૂમ પડે છે કે ગરીબ અને ઓછા વજનવાળી વસતી ધરાવતા દેશો ઓછા ભ્રષ્ટ છે. જોકે, આ સંબંધ દરેક મામલે યોગ્ય હોય તે જરૂરી નથી.

આ રીતે અભ્યાસ કરાયો
બ્લાવસ્કીએ 15 દેશના વર્ષ 2017ના મંત્રીઓની 300 તસવીરનો અભ્યાસ કર્યો, જેમાં આર્મેનિયા, અઝરબૈજાન, બેલારુસ, એસ્ટોનિયા, જ્યોર્જિયા, કઝાકિસ્તાન, રશિયા, કિર્ગિસ્તાન, લાત્વિયા, લિથુઆનિયા, યૂક્રેન, માલ્ડોવા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. બ્લાવસ્કીએ કમ્પ્યૂટર અલ્ગોરિધમ દ્વારા તસવીરો પરથી બીએમઆઇનું આકલન કર્યું. તેઓ એ જાણીને દંગ રહી ગયા કે બીએમઆઇના મધ્યાંકનો ભ્રષ્ટાચારના ઇન્ડેક્સ સાથે સંબંધ હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A study of the weights of 15 cabinet ministers found shocking results: the heavier the government, the more corruption in the country.


from Divya Bhaskar https://ift.tt/33g7iIh
via IFTTT

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...