Skip to main content

મેઘ તાંડવના પગલે અલગ-અલગ જગ્યાએ આવેલા પૂરમાં 12 લોકો તણાયા, 4 મોત, 8 લાપતા

ગુજરાતમાં મેઘમહેર હવે મેઘતાંડવમાં ફેરવાતી જાય છે. રાજ્યમાં ઠેર ઠેર વ્યાપક વરસાદ થયો છે. અનેક ઠેકાણે પૂર આવ્યા છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. સુરત શહેરની ત્રણ ખાડીમાં પાણી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 20.50 ફૂટ થતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજવા ડેમની સપાટી પણ ઘટીને 212.10 ફૂટ થઈ છે.

સુરતના બલેશ્વર ગામે કેડસમા પાણીમાં મહિલાનો જનાજો કાઢવાની ફરજ પડી હતી. આ બાજુ વલ્લભીપુરની નસીતપુરની કેરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં 6 ઇંચ સુધીનો વરસાદ થવા પામ્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના બીલીમોરા નજીક પોંસરી ગામે કાવેરી નદીના સંગમ પર એક હોડીમાં જઈ રહેલા 5 લોકો હોડી પલટી ખાવાથી તણાઈ ગયા હતા. તેમાંથી 3ને બચાવાયા હતા. એક મહિલાનું મોત થયું હતું. જ્યારે હજુ એક લાપત્તા છે. તેવી જ રીતે રાણાવાવ નજીક મોકરના રણમાં પાણી ભરાતા 4 યુવાનો તેમાં તણાઈ ગયા હતા. એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. એક યુવાન બચી ગયો છે જ્યારે બાકીના બેની એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે.

દ્વારકાની હડમતિયા નદીમાં ઘોડાપૂર આવતા 3 યુવાનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તણાઈ ગયા હતા. તાત્કાલિક એનડીઆરએફની ટીમ આવી જતા એક યુવાનને બચાવી શકાયો હતો જ્યારે 2ના મૃતદેહ મળી આવ્યા હતા. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ક્યાં કેટલો વરસાદ

કપરાડા 6.7 ઇંચ
નવસારી 5 ઇંચ
જલાલપોર 4.7 ઇંચ
ગણદેવી 6 ઇંચ
ચીખલી 6.5 ઇંચ
વાંસદા 5 ઇંચ
ખેરગામ 4.7 ઇંચ
ઊંઝા 4.5 ઇંચ
વિસાવદર 4 ઇંચ
પાટણ 3.5 ઇંચ
ઉમરપાડા 3.5 ઇંચ

​​​



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતમાં તાપી નદી બે કાંઠે વહેવા લાગી.


from Divya Bhaskar https://ift.tt/31X3fOT
via

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...