Skip to main content

દેશમાં 11.5 લાખ કરોડના મોબાઈલ બનશે, 12 લાખને રોજગારી મળશે, લૉકડાઉન પછી 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા

કોરોના સંકટના કારણે સર્જાયેલા આર્થિક પડકારો વચ્ચે રોજગાર ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. 22 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં દેશમાં આશરે રૂ. 11.5 લાખ કરોડના મોબાઈલ ફોન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ લૉકડાઉન પછી દેશમાં 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા. જેથી દેશમાં સ્માર્ટફોન યુઝર્સ 50 કરોડને પાર થઈ ગયા છે.

કેન્દ્રિય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે, આ યોજનાથી 12 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ અપ્રત્યક્ષ હશે. કેન્દ્રની રૂ. 41 હજાર કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ આ આવેદન આવ્યા છે. આ કંપનીઓમાં આઈફોન બનાવનારી કંપની ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સિવાય સેમસંગ, લાવા અને માઈક્રોમેક્સ પણ સામેલ છે. આ પ્રસ્તાવ મંજૂર થશે તેના આધારે આ કંપનીઓ હજારો કરોડનું રોકાણ કરશે. જૂનના આખરી સપ્તાહમાં કસ્ટમમાં તપાસના નામે આયાત રોકાતા ઉત્પાદન પર અસર પડી.

એપલ પ્રોડક્શનનો 20% હિસ્સો ભારતમાં શિફ્ટ કરશે
પીએલઆઈનો લાભ લેવા માટે એપલ ભારતમાં ઉત્પાદન વધારશે. કંપની સ્માર્ટફોનનું 20% ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવાની યોજના પર કામ કરી રહી છે. માર્કેટ એક્સપર્ટ શિલ્પી જૈનના કહેવા પ્રમાણે, લાવા અને માઈક્રોમેક્સ જેવી ભારતીય બ્રાન્ડ ફાયદો ઉઠાવીને ફરી માર્કેટમાં હિસ્સો વધારી શકે છે.

અનલૉકમાં તેજી આવી
કોરોના સંકટ વચ્ચે દેશમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 50 કરોડ છે. 31 માર્ચ સુધી આ આંકડો 48.3 કરોડ હતો. લૉકડાઉન ખૂલ્યા પછી મે-જૂનમાં 1.8 કરોડ ફોન વેચાયા, જેથી યુઝર્સ વધ્યા. આ સિવાય 35 કરોડ લોકો ફિચર ફોનનો પણ ઉપયોગ કરે છે. જોકે, લૉકડાઉનમાં ફોન કંપનીઓને ઘણું નુકસાન થયું. એપ્રિલથી જૂન વચ્ચે ફક્ત 1.8 કરોડ સ્માર્ટફોન વેચાયા છે, 2019માં આ જ ગાળામાં આ આંકડો 3.7 કરોડનો હતો. કાઉન્ટર પોઈન્ટના સિનિયર એનાલિસ્ટ પ્રાચીર સિંહ કહે છે કે, 40 દિવસના લૉકડાઉન પછી જૂનથી મોબાઈલ માર્કેટમાં તેજી આવી હતી. મોટા ભાગના યુનિટ એપ્રલથી બંધ થયા હતા, જે મેમાં જ ખૂલવા લાગ્યા હતા. ત્યાં પ્રોડક્શન તો ના થયું, પરંતુ કેટલીક બ્રાન્ડ્સે હૉલસેલમાં હેન્ડસેટ આયાત કરવાની માંગ પૂરી કરી.

  • 51% ઘટાડો નોંધાયો સ્માર્ટફોન વેચાણમાં. આ અછત લૉકડાઉન પછી એપ્રિલ, મે અને જૂનમાં નોંધાઈ હતી.
  • 68% ફિચર ફોન પણ ઓછા વેચાયા. ફોનના બદલે જરૂરી કામોમાં વધુ ખર્ચ કરાયો.
  • 45% રેકોર્ડબ્રેક વેચાણ ઓનલાઈન થયું અનેક પ્રોડક્ટ પણ ઓનલાઈન લૉન્ચ કરાઈ.

ચીનના વિરોધમાં સેમસંગનું વેચાણ 94% વધી ગયું

  • ચીન વિરોધી વલણનો લાભ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગને થયો. એક મહિનામાં કંપનીનું વેચાણ 94% વધી ગયું.
  • સેમસંગના એક અધિકારીએ કહ્યું કે, પહેલીવાર એક મહિનામાં કોઈ કંપનીના ફોનનું વેચાણ આટલું વધ્યું છે.
  • ભારતીય બજારમાં 29% હિસ્સા સાથે ચીની કંપની શાઓમી હજુયે લીડર છે.

ચીનની મોબાઈલ કંપનીઓનો માર્કેટ હિસ્સો દેશમાં 9% ઘટ્યો
ભારતની ડિજિટલ સ્ટ્રાઈકના કારણે ચીની મોબાઈલ કંપનીઓનો માર્કેટ હિસ્સો એપ્રિલથી જૂન 2020 દરમિયાન 9% ઘટી ચૂક્યો છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ 2020 વચ્ચે ચીની કંપનીઓનો માર્કેટ હિસ્સો 81% હતો. એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં ચીની મોબાઈલ ફોન બનાવતી કંપનીઓનો માર્કેટ હિસ્સો ઘટીને 72% પર આવી ગયો છે.

મારુતિ જુલાઈમાં જૂનથી 88% વધુ કાર વેચાઈ, એમજીનું વેચાણ ગયા વર્ષથી 40% વધ્યું
ઓટો કંપનીઓને જુલાઈમાં ઘણી રાહત થઈ. જૂનની તુલનામાં મારુતિ સુઝુકીનું વેચાણ 88.17% અને હ્યુન્ડાઈનું 53.98% વધ્યું. જોકે, વાર્ષિક આધારે જુલાઈ 19ની સરખામણીમાં એમજી મોટર્સનું વેચાણ 40% સુધી વધ્યું

કંપની જુલાઈ 20 જૂન-20 જુલાઈ-19 માસિક વધારો
એમજી મોટર 2,105 2012 1,508 4.62%
{મારુતિ 1,08,064 57428 1,09,264 88.17%
હ્યુન્ડાઈ 41,300 26820 57,310 53.98%
ટોયોટા 5,386 3866 10,423 28.22%
કંપની (દ્વિચક્રી) જુલાઈ 20 જૂન-20 જુલાઈ-19 માસિક વધારો
સુઝુકી ઈન્ડિયા 34412 25149 69,236 37%
હીરો મોટર્સ 514509 450744 535810 14%

​​​​​​



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3hWYivz

Comments

Popular posts from this blog

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

How You can Genarate more Search Traffic Using Voice Search|

Have you Optimize Your Website To Voice Search!  Yes that Is the Biggest Idea of you! You know What? In the Future Everyone Used Voice To find there Looking for! So today I will Teach You How You can Genarate more Search Traffic Using Voice Search! 1.So First Things I have for You that make sure Your website Comapartable  with https:- If Your Website Found On https That's much more Comapartable to Genarate more search traffic From Voice Search!  Now Your Question Is? Why You used that Https on your Website! What happening in http! Then My opinion is much more saw that The 65% voice Searches website is happening on https site!  So if You want to Genarate more search traffic from voice Searches Then  make sure That Your website Comapartable with https!  2.Build Authoritive Domain:-   We found that That Any Site have Lot of link, amazing Content,  Lot Of Social Share and Very Good User Experience!  Overall  Theirs authority...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...