Skip to main content

દેશમાં 82% બિઝનેસમેનોએ સ્વીકાર્યુ - કોવિડ-19થી બિઝનેસમાં અવરોધ, ગાડી પાટા પરથી ઊતરી નથી, જૂન પહેલાં બધું સારું થશે

કોરોના કાળમાં વૈશ્વિક અર્થતંત્ર ભલે મંદ પડ્યું હોય પણ ભારતીય બિઝનેસમેનો આગામી વર્ષના જૂન મહિના પહેલાં એટલે કે એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરી પોતાના પગ પર ઊભા થઈ જશે. ભારતીય બિઝનેસ ફરી વેગવંતા થવાની આશા દર્શાવતી આ તસવીર ગુરુવારે પ્રાઈઝ વૉટર હાઉસ કૂપર્સ(પીડબ્લ્યુસી)એ રજૂ કરી હતી. પીડબ્લ્યુસી દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ સર્વિસિઝ ફર્મમાંથી એક અને ચાર સૌથી મોટી એકાઉન્ટિંગ ફર્મ પૈકી સૌથી મોટી ફર્મ છે.

‘વેલ્યૂ કન્ઝર્વેશન ટુ વેલ્યૂ રિકવરી’ નામના રિપોર્ટમાં પીડબ્લ્યુસીએ દેશના 225 સીએક્સઓ(ચીફ એક્સપિરિન્યસ ઓફિસર) સાથે વાતચીત કરી હતી. તેમાં 82% કંપનીઓએ સ્વીકાર્યુ કે કોવિડ-19ને લીધે બિઝનેસમાં અવરોધ તો જરૂર આવ્યો પણ ગાડી પાટા પરથી ઊતરી નથી. જૂન-2021 પૂર્વે બિઝનેસમાં ફરી રિકવરી થઈ જશે. સરવે દરમિયાન બે તૃતીયાંશથી વધુ કંપનીઓએ સ્વીકાર્યુ કે આગામી સમય ડિજિટલ કાયાપલટ કરશે અને બિઝનેસમાં હરીફાઈ વધશે. આ કારણે જ આગળ વધવા ટેક્નોલોજી અપનાવવી પડશે. જ્યારે એક તૃતીયાંશથી પણ ઓછાએ ક્ષમતાઓ વધારવા માટે બિઝનેસને લગતી સમજૂતીઓ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.વાતચીતમાં કન્ઝ્યુમર આધારિત સેક્ટરે જ્યાં કોરોનાને લીધે બિઝનેસમાં ઘટાડો થયાની વાત સ્વીકારી ત્યાં જ ઝડપથી રિકવરી કરવાની પણ આશા વ્યક્ત કરી હતી. બીજી બાજુ કેપિટલ ગુડ્સ સેક્ટરની 95 ટકા કંપનીઓએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષની રેવન્યૂમાં થોડોક ઘટાડો થશે. જોકે 70 ટકાથી વધુએ કહ્યું કે તેમાં 10 ટકાનો ઘટાડો નોંધાશે. બિઝનેસવર્ગે કહ્યું કે રેવન્યૂમાં ઘટાડાનાં મુખ્ય કારણોમાં માગમાં ઘટાડો, સપ્લાય ચેન ખોરવાઈ જવી અને રોકડનો અભાવ સામેલ છે.

પીડબ્લ્યુસી ઈન્ડિયાના સંજીવ કૃષ્ણન કહે છે કે બિઝનેસ લીડર્સે કોરોનાની આ અનપેક્ષિત સ્થિતિને સારી રીતે અપનાવી લીધી છે. તે રિકવરી અંગે આશાવાદી છે. અમે સીએક્સઓ દ્વારા ભરવામાં આવેલાં પગલાંમાં વ્યવહારિક પ્રગતિ જોઈ છે. તેમણે સુધાર(રિપેર)થી પુન:વિચાર(રિથિન્ક)થી નવો સ્વરૂપ આપવા(રિકોન્ફિગર)નાં પગલાં ભર્યાં છે. સરવે મુજબ મોટા ભાગના સીએક્સઓ હવે બિઝનેસનાં ડિજિટલ પાસા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર્સ માને છે કે ડિજિટલને અપનાવનારી કંપનીઓ અનેક મામલે ખુદને આગળ રાખી શકશે.

આ પ્રોડક્શન અને ડિલિવરી ચેનલ વચ્ચેનો ગેપ ભરવાની રણનીતિનો સમય

  • 77 ટકા કંપનીઓએ ડિજિટલને અપનાવવા સંમતિ વ્યક્ત કરી.
  • 45 ટકા સંસ્થાને વર્તમાન સ્થિતિને દૃઢીકરણ કે જમાવટને શ્રેષ્ઠ બનાવવાની તક માની.
  • 75 ટકાથી વધુ સંસ્થા હાલમાં સમયનો ઉપયોગ પ્રોડક્શન અને ડિલિવરી ચેનલ વચ્ચેના ગેપને ભરવા માટે રણનીતિ બનાવવા કરી રહ્યા છે.
  • 39 ટકા કંપનીઓ રોકડની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. એટલા માટે તે કાં તો ફંડ એકઠું કરશે કાં અધિગ્રહણ માટે સ્ટૉકનો ઉપયોગ રોકડ તરીકે કરશે.
  • 73 ટકા કંપનીઓએ સ્વીકાર્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં રેવન્યૂમાં ઘટાડો થશે. ફક્ત 15 ટકા કંપનીઓએ સ્વીકાર્યું કે આ ઘટાડો આગામી નાણાકીય વર્ષ સુધી વધશે. બાકી કંપનીઓએ સ્વીકાર્યું કે આગામી નાણાકીય વર્ષમાં રેવન્યૂ વધી જશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રાઈઝ વૉટર હાઉસ કૂપર્સની ઓફિસની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2PcL7dV

Comments

Popular posts from this blog

करोड़ों की मालकिन हैं कातिल फिगर वाली निया शर्मा, एक एपिसोड के लिए लेती हैं इतनी फीस

सोशल मीडिया पर एक्टिव रहने वाली निया शर्मा (Nia Sharma) आए दिन अपनी पर्सनल और प्रोफेशनल लाइफ की तस्वीरें शेयर करती रहती हैं. from Zee News Hindi: Entertainment News https://ift.tt/39c4YDJ

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

દુનિયામાં રવિવારે કોરોના વાઈરસના સંક્રમણનો આંકડો 2 કરોડ થઈ ગયો છે. 31 ડિસેમ્બરે પહેલો કેસ સામે આવ્યા પછી 1 કરોડ કેસ થવામાં 180 દિવસ લાગ્યા હતા. માત્ર 43 દિવસમાં જ 1 કરોડથી વધીને કેસ 2 કરોડનો આંકડો વટાવી ગયા છે. કુલ કેસમાં માત્ર અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% એટલે કે 1 કરોડથી વધુ દર્દી છે. ઉત્તર અમેરિકામાં 85% સંક્રમિત માત્ર USમાં દુનિયામાં હાલ સૌથી સંક્રમિત મહાદ્વીપ ઉત્તર અમેરિકામાં છે. અહીંયા સંક્રમણના 60 લાખ 62 હજાર 281 કેસ નોંધાયા છે. જેમાંથી 32 લાખ 30 હજાર 863 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 33 હજાર 895 લોકોના મોત થઈ ચુક્યા છે. અહીંયા 85% સંક્રમિત માત્ર અમેરિકામાં છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલમાં સૌથી વધુ દર્દી દક્ષિણ અમેરિકામાં સંક્રમણના અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાં 20 લાખ 94 હજાર 293 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ 1 લાખ 58 હજાર 387 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી સંક્રમિત બ્રાઝિલ છે, જ્યાં 30 લાખ 13 હજારથી વધુ દર્દી છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં એશિયામાં 49 લાખ 57 હજાર 753 દર્દી છે. જેમાંથી 43% કેસ માત્ર ભારતમાં છે. અહીંયા સંક્રમણના 21 લાખથ...

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ. તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટ...