નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ પ્રથમવાર નેશનલ રજીસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (NRTP)માં સામેલ 5 ભારતીય ક્રિકેટર્સને નોટિસ પાઠવી છે. NADAએ ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માને નોટિસ પાઠવી છે. આ તમામે વ્હેર અબાઉટ ક્લોઝ હેઠળ છેલ્લા 3 મહિનાની માહિતી NADAને આપી નહોતી. બીસીસીઆઈએ સ્પષ્ટતા કરતા કહ્યું કે- પાસવર્ડમાં રહેલી ખામીને કારણે ક્રિકેટર્સ માહિતી ના મોકલી શક્યા.
NADAના ડિરેક્ટર જનરલ (ડીજી) નવીન અગ્રવાલે કહ્યું,‘BCCIના NRTPમાં સામેલ 5 ક્રિકેટરો દ્વારા પોતાનું સરનામું ના મોકલવા પર ઈ-મેલ મોકલી ખુલાસા કર્યા હતા. સોફ્ટરવેરમાં વ્હેર અબાઉટ ફોર્મ ભરવાના 2 જ વિકલ્પ છે. ખેલાડી પોતે કે બોર્ડ તેમની તરફથી માહિતી ઓનલાઈન ભરી શકે છે. એવું બની શકે છે ક્રિકેટર્સ પાસે ફોર્મ ભરવાનો સમય ના હોય. તેથી BCCIએ આ માહિતી આપવાની જવાબદારી લીધી છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YqxyLO
via
Comments