ક્રિકેટ વિન્ડીઝ (CWI)એ વાતને ફગાવી છે જેમાં દાવો કરાયો છે કે તેણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પાસેથી 23 કરોડ રૂપિયાની રકમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવા માટે લીધી છે. આ રકમ મે મહિનામાં બોર્ડની પૈસાની તંગીના કારણે લેવામાં આવી. CWIના અધ્યક્ષ રિકી સ્કીરિટે અન્ય એક અહેવાલોને ફગાવ્યા જેમાં આ રકમ જુલાઈમાં આઈસીસી ચેરમેનના પદ માટે ઈંગ્લેન્ડના કોલિન ગ્રેવ્સની મદદ કરવા માટે લીધી છે. આઈસીસીની એથિક્સ કમિટી આ મામલે તપાસ કરશે. વિન્ડીઝ ટીમ 3 મેચોની ટેસ્ટ સીરિઝ રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. પ્રથમ મેચ 8 જુલાઈથી રમાશે.
સ્કીરિટે કહ્યું કે- પ્રવાસને મંજૂરી ત્યારે આપવામાં આવી, જ્યારે ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષા ઉપાયો અંગે અમારી મેડિકલ ટીમે સહમતિ વ્યક્ત કરી. આ નિર્ણયમાં પૈસાની લેવડ-દેવડ સામેલ નથી. CWIએ એપ્રિલમાં આઈસીસી પાસેથી વાર્ષિક ભાગીદારીમાંથી 23 કરોડ રૂપિયા એડવાન્સમાં માગ્યા હતા. દરે વર્ષ જાન્યુઆરી અને જુલાઈમાં દરેક બોર્ડને આ રકમ આપે છે.
સ્કીરિટે કહ્યું કે,‘કોરોનાને કારણે બોર્ડની સ્થિતિ બગડી છે. આઈસીસીની એપ્રૂવલ મળવામાં સમય લાગી રહ્યો હતો. આઈસીસીની ગેરન્ટી પર ઈસીબી રકમ આપવા તૈયાર થયું. જુલાઈમાં અમને મળનાર ફંડ ઈસીબીને મળશે. આઈસીસીના ફાઈનાન્સિયલ ઓફિશિયલ્સને આ અંગે જાણ હતી અને તેઓ પછી આ કેસમાં લીગલ પાર્ટી પણ બન્યા.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XZM5zm
via
Comments