‘લાળ પર પ્રતિબંધ ટેમ્પરરી, પછી બધું અગાઉ જેવું થઈ જશે’, અનિલ કુંબલે આઈસીસી ક્રિકેટ કમિટીના ચેરમેન છે
આઈસીસી ક્રિકેટ કમિટીના ચેરમેન અનિલ કુંબલેએ કહ્યું કે, બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધનો નિર્ણય ટેમ્પરરી છે. સ્થિતિ સામાન્ય થવા પર બધુ અગાઉ જેવું થઈ જશે. કુંબલેની અધ્યક્ષતાવાળી કમિટીએ સંક્રમણના જોખમથી બચવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનું સૂચન કર્યું. કમિટીએ કહ્યું કે, પરસેવાનો ઉપયોગ કરી શકાશે. કુંબલેએ કહ્યું કે,‘કૃત્રિમ પદાર્થના ઉપયોગ અંગે ચર્ચા થઈ પરંતુ જો તમે તેનો ઈતિહાસ જુઓ તો આ મામલે આપણે ઘણી ટીકા કરતા રહ્યાં છીએ.’
પ્રતિબંધથી બોલર્સની સ્કિલ્સમાં સુધારો થશે: રુટ
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે માન્યું કે બોલ ચમકાવા માટે લાળના ઉપયોગને અટકાવવાથી સ્કિલમાં સુધાર થશે. તેમને પિચથી મદદ મેળવવા ઘણી મહેનત કરવી પડશે. રુટે કહ્યું કે,‘આ બોલરોની તરફેણમાં રહી શકે છે. તેમની સ્કિલમાં સુધારો થઈ શકે છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Xl7FN6
via
Comments