ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશન પૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓની મદદ માટે આગળ આવ્યું છે. એસોસિએશને ગત દિવસોમાં ખેલાડીઓની મદદ માટે ફંડિંગ શરૂ કરી હતી. કપિલ દેવ અને ગાવસ્કરે મદદ કરી. આઈસીએ દ્વારા 36 ખેલાડીઓને 31 લાખથી વધુની મદદ કરવામાં આવી. તેમાં 17 મહિલા ખેલાડી પણ છે. 3 પૂર્વ ક્રિકેટરની વિધવા પત્નીઓને મદદ મળી. 20 ખેલાડીઓને 1-1 લાખ, 8 ને 80-80 હજાર અને 8ને 60-60 હજારની મદદ કરવામાં આવી. આઈસીએ અધ્યક્ષ અશોક મલ્હોત્રાએ કહ્યું કે, આ પ્રારંભ છે, આગળ અન્ય ક્રિકેટરોને મદદ પહોંચાડવામાં આવશે. મદદ મેળવનારા ખેલાડીઓની કહાણી...
દેવરાજ ગોવિંદરાજ: નિવૃત્તિ બાદ લંડનમાં બસ ચલાવતા હતા
ઝડપી બોલર દેવરાજ ગોવિંદરાજે 93 ફર્સ્ટ ક્લાસ મેચમાં 190 વિકેટ ઝડપી. હૈદરાબાદના ગોવિંદરાજને 1970-71માં વિન્ડીઝ ગયેલી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું. પરંતુ તેમને રમવાની તક મળી નહોતી. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર વિન્ડીઝમાં ટેસ્ટ સીરિઝ જીતી હતી. રમવાની તક ના મળવા પર 73 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, તે સમયે ટીમમાં સારા સ્પિન બોલરો સંખ્યા સારી એવી હતી તેના લીધે તેમને ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. તેઓ લંડનમાં જ નોકરી કરતા હતા. નિવૃત્તિ બાદ તેમણે અમુક દિવસ બસ પણ ચલાવી હતી. 2011માં દેશ પરત આવ્યા. હવે બીસીસીઆઈથી તેમને પેન્શન તરીકે 22,500 રૂપિયા મળે છે. ઓછા પેન્શનના કારણે તેમણે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો. કરિયરમાં રમેલી કુલ મેચ બોર્ડના રેકોર્ડમાં ઓછી હોવાના કારણે તેમને ઓછી પેન્શન મળે છે. તેમને આશા છે કે લૉકડાઉન બાદ તેમને કોઈ જવાબ મળશે.
એસકે જિબ્બુ: ઓછી મેચ રમી છે, તેથી બોર્ડથી પેન્શન મળતું નથી
રાજસ્થાન તરફથી રણજી રમનાર શ્રીકૃષ્ણ જિબ્બુનું 22 વર્ષ અગાઉ નિધન થયું હતું. 80 વર્ષીય પત્ની મીતા જિબ્બુ ચાલી શકતા નથી. વ્હીલચેર પર પરિવારજનો અમુકવાર બહાર લઈ જાય છે. BCCI કે આરસીએ તરફથી મદદ મળતી નથી. લગભગ 8-10 હજાર મહિને દવા પાછળ જાય છે. દીકરા અનિલે જણાવ્યું કે, ઈન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશન દ્વારા 80 હજાર રૂપિયા મળતા અમુક અંશે મદદ મળશે. આરસીએથી 7.5 હજારનું પેન્શન મળવાની શરૂઆત થઈ પરંતુ 7-8 મહિનામાં તે રકમ મળતી બંધ થઈ. 25થી ઓછી ફર્સ્ટ ક્લાસ મેચ રમવાના કારણે BCCI કોઈ મદદ નથી કરતું. રાજ્યના જ એક અન્ય ક્રિકેટર કૌશલ દેવાડાએ જણાવ્યું કે, તે બીકાનેર જીલ્લા ક્રિકેટ એસોસિએસનમાં કોચિંગનું કામ કરે છે. મહિને 8 હજાર રૂપિયા મળે છે. લૉકડાઉનમાં તે પણ મળતા બંધ થયા. આરસીએથી 5 હજાર દરમહિને પેન્શન તરીકે મળતા તે ઘણા સમય પહેલા જ મળતા બંધ થઈ ગયા.
રંજીતા રાણે: કેન્સર પીડિત હોવા છતાં કોઈ મદદ કરતું નથી
મુંબઈની રંજીતા રાણે સિનિયર નેશનલ ટૂર્નામેન્ટ રમી ચૂકી છે. 1993 થી 2003 સુધી ક્રિકેટ રમ્યા. 42 વર્ષીય ખેલાડીને કેન્સર છે. તેને સ્ટેટ એસોસિએશન અને બીસીસીઆઈ તરફથી કોઈ મદદ મળતી નથી. કોઈ પેન્શન પણ મળતું નથી. કેન્સરની સારવાર માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઝડપી બોલર તરીકે રમી ચૂકેલી રંજીતાને આઈસીએ તરફથી 1 લાખ રૂપિયાની મદદ મળી છે. લૉકડાઉનના કારણે હાલ સારવાર માટે જવામાં મુશ્કેલી થતી હોવાથી તે પોતાની બહેનને ત્યાં રહીને સારવાર કરાવી રહી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની મદદને કારણે જુના ખેલાડીઓને ઘણી રાહત મળે છે. આ રીતે અન્ય જરૂરિયાતમંદ ખેલાડીઓને પણ મદદ પહોંચાડવી જોઈએ. રંજીતા ઉપરાંત મુંબઈની નિલિમા પાટિલને જ્યારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનથી રમતી ભારતી ચંદ્રાણી અને ઉર્ષાળલીને પણ આઈસીએ તરફથી 1-1 લાખ રૂપિયાની મદદ મળી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36tVqSI
via
Comments