કોરોના મહામારી વચ્ચે લૉકડાઉન દરમ્યાન બેરોજગાર થયેલા લોકો માટે રાજ્યમાં પહેલીવાર વિશેષ જોબ ફેર યોજાશે. અમદાવાદની રોજગાર કચેરી ચાલુ મહિને પાંચ અલગ અલગ દિવસે ઑનલાઇન જોબ ફેર યોજશે. આ જોબ ફેરમાં વર્ક ફ્રોમ હૉમ કરી શકાય એવી 1200થી પોસ્ટ માટે ઉમેદવારોને જૉબ ઑફર કરવામાં આવશે. જૉબ ફેરમાં સેલ્સ, માર્કેટીંગ, ફાયનાન્સ, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રની કુલ 2000 પોસ્ટ માટે ભરતી થશે. ખાસ વાત એ છે કે ભરતી મેળામાં લૉકડાઉન દરમ્યાન નોકરી ગુમાવનારાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવનાર, કમ્પ્યુટર પર કામ કરી શકે તેવા ઉમેદવારો એપ્લાય કરી શકશે. અમદાવાદ રોજગાર કચેરીના મદદનીશ નિયામક એસ આર વિજયવર્ગીયે જણાવ્યું હતું કે કે, કોવિડ-19ની મહામારીમાં અનેક યુવાનો નોકરી ગુમાવીને બેરોજગાર થયા છે. તેમને રોજગારી આપીને તેમના જીવનને આધાર આપવા માટે ખાસ ઑનલાઈન જોબ ફેર રાખવામાં આવ્યો છે. ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકાશે રોજગાર વિભાગના જણાવ્યા પ્રમાણે 18,20, 25,27,29 ઓગસ્ટ દરમ્યાન આયોજિત ઑનલાઇન જોબ ફેરમાં ભાગ લેવા માગતા ઉમેદવારોએ અહીં જણાવેલી લિંક (http://t.ly/WbX9) પર રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશ
Blog for help .............etc When you read these blogs you'll get ideas and inspiration, and sometimes ... The best online marketing blogs to follow in 2018 ... Digital Uncovered ..... Great summary, thank you.